ભારત જોડો યાત્રામાં જોડાશે નારી શક્તિ, પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં થયા સામેલ


  • Published By :
  • Published Date : 2022-12-12 11:21:21

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની આ યાત્રા રાજસ્થાન પહોંચી છે. આજના દિવસ માટે યાત્રાનું નામ બદલી મહિલા શક્તિ પદયાત્રા નામ રાખ્યું છે. આ યાત્રામાં મહિલાઓ ચાલવાની છે. આ યાત્રામાં ભાગ લેવા પ્રિયંકા ગાંધી પણ પોતાની દીકરી સાથે પહોંચી ગયા છે અને યાત્રામાં સામેલ થયા છે.

राहुल गांधी की यात्रा में आज भी प्रियंका गांधी और उनकी बेटी मिराया भी साथ चल रही हैं।राहुल ने बूंदी और सवाई माधोपुर में कांग्रेस की स्थानीय महिला नेताओं से बातचीत कर फीडबैक भी लिया।


નારી શક્તિને સમર્પિત છે આજની યાત્રા

કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રામાં અનેક નેતાઓ, કલાકારો તેમજ સમર્થકો જોડાયા હતા. આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક અલગ અંદાજ જોવા મળ્યા હતા. ત્યારે આજનો દિવસ મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યો છે. આ યાત્રામાં મહિલાઓ રાહુલ ગાંધી સાથે ચાલવાની છે. મહિલા શક્તિ પદયાત્રામાં અંદાજીત 5000 જેટલી મહિલાઓ ભાગ લેવાની છે. આ યાત્રામાં સામેલ થવા પ્રિયંકા ગાંધી પણ રાજસ્થાન પહોંચી ગયા છે.      




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.