ભારત જોડો યાત્રામાં જોડાશે નારી શક્તિ, પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં થયા સામેલ


  • Published By :
  • Published Date : 2022-12-12 11:21:21

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની આ યાત્રા રાજસ્થાન પહોંચી છે. આજના દિવસ માટે યાત્રાનું નામ બદલી મહિલા શક્તિ પદયાત્રા નામ રાખ્યું છે. આ યાત્રામાં મહિલાઓ ચાલવાની છે. આ યાત્રામાં ભાગ લેવા પ્રિયંકા ગાંધી પણ પોતાની દીકરી સાથે પહોંચી ગયા છે અને યાત્રામાં સામેલ થયા છે.

राहुल गांधी की यात्रा में आज भी प्रियंका गांधी और उनकी बेटी मिराया भी साथ चल रही हैं।राहुल ने बूंदी और सवाई माधोपुर में कांग्रेस की स्थानीय महिला नेताओं से बातचीत कर फीडबैक भी लिया।


નારી શક્તિને સમર્પિત છે આજની યાત્રા

કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રામાં અનેક નેતાઓ, કલાકારો તેમજ સમર્થકો જોડાયા હતા. આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક અલગ અંદાજ જોવા મળ્યા હતા. ત્યારે આજનો દિવસ મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યો છે. આ યાત્રામાં મહિલાઓ રાહુલ ગાંધી સાથે ચાલવાની છે. મહિલા શક્તિ પદયાત્રામાં અંદાજીત 5000 જેટલી મહિલાઓ ભાગ લેવાની છે. આ યાત્રામાં સામેલ થવા પ્રિયંકા ગાંધી પણ રાજસ્થાન પહોંચી ગયા છે.      




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.