ભારત જોડો યાત્રામાં જોડાશે નારી શક્તિ, પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં થયા સામેલ


  • Published By :
  • Published Date : 2022-12-12 11:21:21

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની આ યાત્રા રાજસ્થાન પહોંચી છે. આજના દિવસ માટે યાત્રાનું નામ બદલી મહિલા શક્તિ પદયાત્રા નામ રાખ્યું છે. આ યાત્રામાં મહિલાઓ ચાલવાની છે. આ યાત્રામાં ભાગ લેવા પ્રિયંકા ગાંધી પણ પોતાની દીકરી સાથે પહોંચી ગયા છે અને યાત્રામાં સામેલ થયા છે.

राहुल गांधी की यात्रा में आज भी प्रियंका गांधी और उनकी बेटी मिराया भी साथ चल रही हैं।राहुल ने बूंदी और सवाई माधोपुर में कांग्रेस की स्थानीय महिला नेताओं से बातचीत कर फीडबैक भी लिया।


નારી શક્તિને સમર્પિત છે આજની યાત્રા

કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રામાં અનેક નેતાઓ, કલાકારો તેમજ સમર્થકો જોડાયા હતા. આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક અલગ અંદાજ જોવા મળ્યા હતા. ત્યારે આજનો દિવસ મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યો છે. આ યાત્રામાં મહિલાઓ રાહુલ ગાંધી સાથે ચાલવાની છે. મહિલા શક્તિ પદયાત્રામાં અંદાજીત 5000 જેટલી મહિલાઓ ભાગ લેવાની છે. આ યાત્રામાં સામેલ થવા પ્રિયંકા ગાંધી પણ રાજસ્થાન પહોંચી ગયા છે.      




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.