ભારત જોડો યાત્રામાં જોડાશે નારી શક્તિ, પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં થયા સામેલ


  • Published By :
  • Published Date : 2022-12-12 11:21:21

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની આ યાત્રા રાજસ્થાન પહોંચી છે. આજના દિવસ માટે યાત્રાનું નામ બદલી મહિલા શક્તિ પદયાત્રા નામ રાખ્યું છે. આ યાત્રામાં મહિલાઓ ચાલવાની છે. આ યાત્રામાં ભાગ લેવા પ્રિયંકા ગાંધી પણ પોતાની દીકરી સાથે પહોંચી ગયા છે અને યાત્રામાં સામેલ થયા છે.

राहुल गांधी की यात्रा में आज भी प्रियंका गांधी और उनकी बेटी मिराया भी साथ चल रही हैं।राहुल ने बूंदी और सवाई माधोपुर में कांग्रेस की स्थानीय महिला नेताओं से बातचीत कर फीडबैक भी लिया।


નારી શક્તિને સમર્પિત છે આજની યાત્રા

કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રામાં અનેક નેતાઓ, કલાકારો તેમજ સમર્થકો જોડાયા હતા. આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક અલગ અંદાજ જોવા મળ્યા હતા. ત્યારે આજનો દિવસ મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યો છે. આ યાત્રામાં મહિલાઓ રાહુલ ગાંધી સાથે ચાલવાની છે. મહિલા શક્તિ પદયાત્રામાં અંદાજીત 5000 જેટલી મહિલાઓ ભાગ લેવાની છે. આ યાત્રામાં સામેલ થવા પ્રિયંકા ગાંધી પણ રાજસ્થાન પહોંચી ગયા છે.      




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.