વિશ્વ બેંકની રિપોર્ટે ચિંતા વધારી, વૈશ્વિક મંદીની કરાઈ આગાહી, ગરીબ દેશો થશે પાયમાલ


  • Published By :
  • Published Date : 2023-01-11 21:00:35

દેશમાં મંદીની આશંકા ઘણા લાંબા સમયથી સાંભળવા મળે છે. તેનું અનુમાન દુનિયાની મોટી-મોટી કંપનીઓમાં શરૂ થયેલી છટણી પરથી પણ લગાવી શકાય છે. હવે વિશ્વ બેંકના રિપોર્ટમાં પણ વૈશ્વિક વિકાસ દરનું અનુમાન ઘટાડવાના સંકેતો આપ્યા છે. વિશ્વ બેંકે જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટમાં ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને 1.7 ટકા કરી દીધું છે. આ પહેલા વિશ્વ બેંકે ગ્રોથ રેટનું પુર્વાનુમાન 3 ટકા જાહેર કર્યું હતું.


1.7 ટકાના વિકાસ દરનું અનુમાન


વિશ્વ બેંકએ તેની રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકા, ચીન, અને  યુરોપ જેવી દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓના વિકાસ દરમાં  ઘટાડાને પગલે વૈશ્વિક અર્થતંત્રો આ વર્ષે મંદીની એકદમ નજીક જઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને 2023 માટે ગ્લોબલ ઈકોનોમીનું વિકાસ અનુમાન ઘટાડીને 1.7 ટકા કરવામાં આવ્યું છે. આ આર્થિક વૃધ્ધીનું ત્રણ દાયકામાં સૌથી ઓછું અનુમાન છે. આ પહેલા 2008ની મંદી અને 2020માં કોરોનાના પ્રકોપના કારણે વિકાસ દરમાં મોટો ઘડાડો નોંધાયો હતો.


ગરીબ દેશો થશે બેહાલ


વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે મંદીની અસર ગરીબ દેશો પર સૌથી વધુ થશે. આફ્રિકા જેવા દેશો પર તેની સૌથી વધુ અસર થશે. આ દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક માત્ર 1.2 ટકા જેટલી રહેવાનું અનુમાન છે. તેનાથી ગરીબી વધવાની આશંકા પણ વધી રહી છે. તે ઉપરાંત અમેરિકા-યુરોપમાં સતત વધી રહેલા વ્યાજ દર ગરીબ દેશોમાંથી મૂડી રોકાણને આકર્ષશે અને આ દેશોમાં ઈન્વેસ્ટમેન્ટનું સંકટ વધુ ચિંતાજનક બનશે.   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.