વિશ્વ બેંકની રિપોર્ટે ચિંતા વધારી, વૈશ્વિક મંદીની કરાઈ આગાહી, ગરીબ દેશો થશે પાયમાલ


  • Published By :
  • Published Date : 2023-01-11 21:00:35

દેશમાં મંદીની આશંકા ઘણા લાંબા સમયથી સાંભળવા મળે છે. તેનું અનુમાન દુનિયાની મોટી-મોટી કંપનીઓમાં શરૂ થયેલી છટણી પરથી પણ લગાવી શકાય છે. હવે વિશ્વ બેંકના રિપોર્ટમાં પણ વૈશ્વિક વિકાસ દરનું અનુમાન ઘટાડવાના સંકેતો આપ્યા છે. વિશ્વ બેંકે જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટમાં ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને 1.7 ટકા કરી દીધું છે. આ પહેલા વિશ્વ બેંકે ગ્રોથ રેટનું પુર્વાનુમાન 3 ટકા જાહેર કર્યું હતું.


1.7 ટકાના વિકાસ દરનું અનુમાન


વિશ્વ બેંકએ તેની રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકા, ચીન, અને  યુરોપ જેવી દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓના વિકાસ દરમાં  ઘટાડાને પગલે વૈશ્વિક અર્થતંત્રો આ વર્ષે મંદીની એકદમ નજીક જઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને 2023 માટે ગ્લોબલ ઈકોનોમીનું વિકાસ અનુમાન ઘટાડીને 1.7 ટકા કરવામાં આવ્યું છે. આ આર્થિક વૃધ્ધીનું ત્રણ દાયકામાં સૌથી ઓછું અનુમાન છે. આ પહેલા 2008ની મંદી અને 2020માં કોરોનાના પ્રકોપના કારણે વિકાસ દરમાં મોટો ઘડાડો નોંધાયો હતો.


ગરીબ દેશો થશે બેહાલ


વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે મંદીની અસર ગરીબ દેશો પર સૌથી વધુ થશે. આફ્રિકા જેવા દેશો પર તેની સૌથી વધુ અસર થશે. આ દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક માત્ર 1.2 ટકા જેટલી રહેવાનું અનુમાન છે. તેનાથી ગરીબી વધવાની આશંકા પણ વધી રહી છે. તે ઉપરાંત અમેરિકા-યુરોપમાં સતત વધી રહેલા વ્યાજ દર ગરીબ દેશોમાંથી મૂડી રોકાણને આકર્ષશે અને આ દેશોમાં ઈન્વેસ્ટમેન્ટનું સંકટ વધુ ચિંતાજનક બનશે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.