વિશ્વ બેંકની રિપોર્ટે ચિંતા વધારી, વૈશ્વિક મંદીની કરાઈ આગાહી, ગરીબ દેશો થશે પાયમાલ


  • Published By :
  • Published Date : 2023-01-11 21:00:35

દેશમાં મંદીની આશંકા ઘણા લાંબા સમયથી સાંભળવા મળે છે. તેનું અનુમાન દુનિયાની મોટી-મોટી કંપનીઓમાં શરૂ થયેલી છટણી પરથી પણ લગાવી શકાય છે. હવે વિશ્વ બેંકના રિપોર્ટમાં પણ વૈશ્વિક વિકાસ દરનું અનુમાન ઘટાડવાના સંકેતો આપ્યા છે. વિશ્વ બેંકે જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટમાં ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને 1.7 ટકા કરી દીધું છે. આ પહેલા વિશ્વ બેંકે ગ્રોથ રેટનું પુર્વાનુમાન 3 ટકા જાહેર કર્યું હતું.


1.7 ટકાના વિકાસ દરનું અનુમાન


વિશ્વ બેંકએ તેની રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકા, ચીન, અને  યુરોપ જેવી દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓના વિકાસ દરમાં  ઘટાડાને પગલે વૈશ્વિક અર્થતંત્રો આ વર્ષે મંદીની એકદમ નજીક જઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને 2023 માટે ગ્લોબલ ઈકોનોમીનું વિકાસ અનુમાન ઘટાડીને 1.7 ટકા કરવામાં આવ્યું છે. આ આર્થિક વૃધ્ધીનું ત્રણ દાયકામાં સૌથી ઓછું અનુમાન છે. આ પહેલા 2008ની મંદી અને 2020માં કોરોનાના પ્રકોપના કારણે વિકાસ દરમાં મોટો ઘડાડો નોંધાયો હતો.


ગરીબ દેશો થશે બેહાલ


વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે મંદીની અસર ગરીબ દેશો પર સૌથી વધુ થશે. આફ્રિકા જેવા દેશો પર તેની સૌથી વધુ અસર થશે. આ દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક માત્ર 1.2 ટકા જેટલી રહેવાનું અનુમાન છે. તેનાથી ગરીબી વધવાની આશંકા પણ વધી રહી છે. તે ઉપરાંત અમેરિકા-યુરોપમાં સતત વધી રહેલા વ્યાજ દર ગરીબ દેશોમાંથી મૂડી રોકાણને આકર્ષશે અને આ દેશોમાં ઈન્વેસ્ટમેન્ટનું સંકટ વધુ ચિંતાજનક બનશે.   



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે