પાકિસ્તાન અંગે વર્લ્ડ બેંકનો ચોંકાવનારો રિપોર્ટ, એક જ વર્ષમાં ગરીબોની સંખ્યા 1.25 કરોડથી વધી 9.5 કરોડ થઈ


  • Published By :
  • Published Date : 2023-09-24 17:08:04

ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા (Pakistan Economic Crisis) પાકિસ્તાનમાં હજુ પણ સ્થિતિ સુધરી રહી નથી. દેશમાં ગરીબોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વ બેંકે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે એક વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબોની 34.2 ટકાથી વધીને 39.4 ટકા થઈ ગઈ છે. આ સાથે જ દેશમાં વધુ 1.25 કરોડ લોકો ગરીબી રેખા નીચે આવ્યા બાદ પાકિસ્તાનમાં ગરીબીથી પીડિત લોકોની સંખ્યા વધીને 9.5 કરોડ થઈ ગઈ છે.

 

પાકિસ્તાનનું આર્થિક મોડલ નિષ્ફળ!


વિશ્વ બેંકના પાકિસ્તાન માટેના મુખ્ય અર્થશાસ્ત્રી ટોબિઆસ હક (Tobias Haque)નું કહેવું છે કે પાકિસ્તાનનું આર્થિક મોડલ હવે ગરીબી ઘટાડતું નથી અને સમકક્ષ દેશોની સરખામણીએ અહીં જીવનધોરણ સતત ઘટી રહ્યું છે. વિશ્વ બેંકે તેના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે દેશને નાણાકીય સ્થિરતા માટે જે પગલાં લેવાની જરૂર છે તેમાં કૃષિ અને રિયલ એસ્ટેટ પર કર લાદવાની સાથે સાથે નકામા ખર્ચમાં કાપ મૂકવાનો સમાવેશ થાય છે. ટોબિઆસ હકે વધુમાં કહ્યું કે પાકિસ્તાન ગંભીર આર્થિક અને માનવ વિકાસ સંકટનો સામનો કરી રહ્યું છે અને તે એવા તબક્કે છે કે જ્યાંરે મોટા નીતિગત ફેરફારોની જરૂર છે. તેમણે કહ્યું કે વિશ્વ બેંક પાકિસ્તાનની આજની આર્થિક સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. પાકિસ્તાન ઝડપથી ગરીબીની જાળમાં ફસાઈ રહ્યું છે, જે પહેલાથી જ આર્થિક રીતે ત્રસ્ત પાકિસ્તાન માટે મોટું સંકટ પેદા કરી શકે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.