પાકિસ્તાન અંગે વર્લ્ડ બેંકનો ચોંકાવનારો રિપોર્ટ, એક જ વર્ષમાં ગરીબોની સંખ્યા 1.25 કરોડથી વધી 9.5 કરોડ થઈ


  • Published By :
  • Published Date : 2023-09-24 17:08:04

ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા (Pakistan Economic Crisis) પાકિસ્તાનમાં હજુ પણ સ્થિતિ સુધરી રહી નથી. દેશમાં ગરીબોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વ બેંકે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે એક વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબોની 34.2 ટકાથી વધીને 39.4 ટકા થઈ ગઈ છે. આ સાથે જ દેશમાં વધુ 1.25 કરોડ લોકો ગરીબી રેખા નીચે આવ્યા બાદ પાકિસ્તાનમાં ગરીબીથી પીડિત લોકોની સંખ્યા વધીને 9.5 કરોડ થઈ ગઈ છે.

 

પાકિસ્તાનનું આર્થિક મોડલ નિષ્ફળ!


વિશ્વ બેંકના પાકિસ્તાન માટેના મુખ્ય અર્થશાસ્ત્રી ટોબિઆસ હક (Tobias Haque)નું કહેવું છે કે પાકિસ્તાનનું આર્થિક મોડલ હવે ગરીબી ઘટાડતું નથી અને સમકક્ષ દેશોની સરખામણીએ અહીં જીવનધોરણ સતત ઘટી રહ્યું છે. વિશ્વ બેંકે તેના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે દેશને નાણાકીય સ્થિરતા માટે જે પગલાં લેવાની જરૂર છે તેમાં કૃષિ અને રિયલ એસ્ટેટ પર કર લાદવાની સાથે સાથે નકામા ખર્ચમાં કાપ મૂકવાનો સમાવેશ થાય છે. ટોબિઆસ હકે વધુમાં કહ્યું કે પાકિસ્તાન ગંભીર આર્થિક અને માનવ વિકાસ સંકટનો સામનો કરી રહ્યું છે અને તે એવા તબક્કે છે કે જ્યાંરે મોટા નીતિગત ફેરફારોની જરૂર છે. તેમણે કહ્યું કે વિશ્વ બેંક પાકિસ્તાનની આજની આર્થિક સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. પાકિસ્તાન ઝડપથી ગરીબીની જાળમાં ફસાઈ રહ્યું છે, જે પહેલાથી જ આર્થિક રીતે ત્રસ્ત પાકિસ્તાન માટે મોટું સંકટ પેદા કરી શકે છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.