વર્લ્ડ કપ 2023નું શિડ્યુલ જાહેર, જાણો આ શહેરોમાં રમાશે મહત્વની મેચ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-27 13:27:04

ICC Men’s ODI Cricket World Cup 2023નું શિડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે. ICCએ આજે મુંબઈમાં એક મીડિયા બ્રીફિંગમાં આ શિડ્યુલની જાહેરાત કરી છે. જેમાં BCCI સેક્રેટરી જય શાહ પણ પહોંચ્યા હતા. આ વિશ્વકપની શરુઆત આગામી 5 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી થવાની છે, જેમાં પહેલી મેચ ઈંગ્લેન્ડ વિ. ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની છે.


સૌથી રોચક મુકાબલો ભારત વિ. પાકિસ્તાન પણ અમદાવાદમાં 

યજમાન દેશ ભારતમાં કુલ 10 શહેરોમાં તમામ મેચ રમાશે. જેનો સૌથી મોટો હાઈ વોલ્ટેજ મુકાબલો ભારત વિ. પાકિસ્તાન વચ્ચે થશે અને આ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત વિ. પાકિસ્તાનની આ મેચ આગામી 15 ઓક્ટોબર અને રવિવારના રોજ રમાવાની છે, જેને લઈને માત્ર અમદાવાદ અને ગુજરાતના જ ક્રિકેટ પ્રેમીઓ નહીં પરંતુ આખા દેશના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે આ પહેલા ભારત તેની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે, જે 8 ઓક્ટોબર અને રવિવારે ચેન્નાઈ ખાતે રમાશે. 


ભારતમાં આટલી જગ્યાઓ પર રમાશે વિશ્વકપની મેચ

યજમાન દેશ ભારતમાં કુલ 10 શહેરોમાં રમાશે, જેમાં અમદાવાદના(નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), બેંગલુરુ (એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ), ચેન્નાઈ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ), દિલ્હી (અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ), ધર્મશાલા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ), હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ઉપ્પલ), કોલકાતા (ઈડન ગાર્ડન્સ), લખનૌ (એકાના ક્રિકેટ સ્ટેડિયમ), ઈન્દોર (હોલ્કર સ્ટેડિયમ), મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ) ખાતે તમામ મેચ રમાશે.


સેમિફાઈનલ મુંબઈ અને કોલકત્તામાં અને ફાઈનલ અમદાવાદમાં રમાશે

વિશ્વકપની મહત્વની નોકઆઉટ મેચ ત્રણ શહેરોમાં રમાશે. જેમાં 15 નવેમ્બરે સેમિફાઈનલ 1નો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.16 નવેમ્બરે સેમિફાઈનલ 2નો મુકાબલો કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ અને 19 નવેમ્બર અને રવિવારે ફાઈનલનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.



વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'

થોડા સમય પહેલા સામ પિત્રોડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત સામ પિત્રોડાએ ફરી એક વખત નિવેદન આપ્યું છે. તેમના નિવેદનના લીધે કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર બેકફૂટ પર આવી ગયી છે . કારણ કે ફરી એક વાર સામ પિત્રોડાએ ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે..