વર્લ્ડ કપ 2023નું શિડ્યુલ જાહેર, જાણો આ શહેરોમાં રમાશે મહત્વની મેચ


  • Published By :
  • Published Date : 2023-06-27 13:27:04

ICC Men’s ODI Cricket World Cup 2023નું શિડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે. ICCએ આજે મુંબઈમાં એક મીડિયા બ્રીફિંગમાં આ શિડ્યુલની જાહેરાત કરી છે. જેમાં BCCI સેક્રેટરી જય શાહ પણ પહોંચ્યા હતા. આ વિશ્વકપની શરુઆત આગામી 5 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી થવાની છે, જેમાં પહેલી મેચ ઈંગ્લેન્ડ વિ. ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની છે.


સૌથી રોચક મુકાબલો ભારત વિ. પાકિસ્તાન પણ અમદાવાદમાં 

યજમાન દેશ ભારતમાં કુલ 10 શહેરોમાં તમામ મેચ રમાશે. જેનો સૌથી મોટો હાઈ વોલ્ટેજ મુકાબલો ભારત વિ. પાકિસ્તાન વચ્ચે થશે અને આ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત વિ. પાકિસ્તાનની આ મેચ આગામી 15 ઓક્ટોબર અને રવિવારના રોજ રમાવાની છે, જેને લઈને માત્ર અમદાવાદ અને ગુજરાતના જ ક્રિકેટ પ્રેમીઓ નહીં પરંતુ આખા દેશના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે આ પહેલા ભારત તેની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે, જે 8 ઓક્ટોબર અને રવિવારે ચેન્નાઈ ખાતે રમાશે. 


ભારતમાં આટલી જગ્યાઓ પર રમાશે વિશ્વકપની મેચ

યજમાન દેશ ભારતમાં કુલ 10 શહેરોમાં રમાશે, જેમાં અમદાવાદના(નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), બેંગલુરુ (એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ), ચેન્નાઈ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ), દિલ્હી (અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ), ધર્મશાલા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ), હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ઉપ્પલ), કોલકાતા (ઈડન ગાર્ડન્સ), લખનૌ (એકાના ક્રિકેટ સ્ટેડિયમ), ઈન્દોર (હોલ્કર સ્ટેડિયમ), મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ) ખાતે તમામ મેચ રમાશે.


સેમિફાઈનલ મુંબઈ અને કોલકત્તામાં અને ફાઈનલ અમદાવાદમાં રમાશે

વિશ્વકપની મહત્વની નોકઆઉટ મેચ ત્રણ શહેરોમાં રમાશે. જેમાં 15 નવેમ્બરે સેમિફાઈનલ 1નો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.16 નવેમ્બરે સેમિફાઈનલ 2નો મુકાબલો કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ અને 19 નવેમ્બર અને રવિવારે ફાઈનલનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.