વર્લ્ડ કપ 2023નું શિડ્યુલ જાહેર, જાણો આ શહેરોમાં રમાશે મહત્વની મેચ


  • Published By :
  • Published Date : 2023-06-27 13:27:04

ICC Men’s ODI Cricket World Cup 2023નું શિડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે. ICCએ આજે મુંબઈમાં એક મીડિયા બ્રીફિંગમાં આ શિડ્યુલની જાહેરાત કરી છે. જેમાં BCCI સેક્રેટરી જય શાહ પણ પહોંચ્યા હતા. આ વિશ્વકપની શરુઆત આગામી 5 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી થવાની છે, જેમાં પહેલી મેચ ઈંગ્લેન્ડ વિ. ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની છે.


સૌથી રોચક મુકાબલો ભારત વિ. પાકિસ્તાન પણ અમદાવાદમાં 

યજમાન દેશ ભારતમાં કુલ 10 શહેરોમાં તમામ મેચ રમાશે. જેનો સૌથી મોટો હાઈ વોલ્ટેજ મુકાબલો ભારત વિ. પાકિસ્તાન વચ્ચે થશે અને આ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત વિ. પાકિસ્તાનની આ મેચ આગામી 15 ઓક્ટોબર અને રવિવારના રોજ રમાવાની છે, જેને લઈને માત્ર અમદાવાદ અને ગુજરાતના જ ક્રિકેટ પ્રેમીઓ નહીં પરંતુ આખા દેશના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે આ પહેલા ભારત તેની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે, જે 8 ઓક્ટોબર અને રવિવારે ચેન્નાઈ ખાતે રમાશે. 


ભારતમાં આટલી જગ્યાઓ પર રમાશે વિશ્વકપની મેચ

યજમાન દેશ ભારતમાં કુલ 10 શહેરોમાં રમાશે, જેમાં અમદાવાદના(નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), બેંગલુરુ (એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ), ચેન્નાઈ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ), દિલ્હી (અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ), ધર્મશાલા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ), હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ઉપ્પલ), કોલકાતા (ઈડન ગાર્ડન્સ), લખનૌ (એકાના ક્રિકેટ સ્ટેડિયમ), ઈન્દોર (હોલ્કર સ્ટેડિયમ), મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ) ખાતે તમામ મેચ રમાશે.


સેમિફાઈનલ મુંબઈ અને કોલકત્તામાં અને ફાઈનલ અમદાવાદમાં રમાશે

વિશ્વકપની મહત્વની નોકઆઉટ મેચ ત્રણ શહેરોમાં રમાશે. જેમાં 15 નવેમ્બરે સેમિફાઈનલ 1નો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.16 નવેમ્બરે સેમિફાઈનલ 2નો મુકાબલો કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ અને 19 નવેમ્બર અને રવિવારે ફાઈનલનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.