વર્લ્ડ કપ 2023નું શિડ્યુલ જાહેર, જાણો આ શહેરોમાં રમાશે મહત્વની મેચ


  • Published By :
  • Published Date : 2023-06-27 13:27:04

ICC Men’s ODI Cricket World Cup 2023નું શિડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે. ICCએ આજે મુંબઈમાં એક મીડિયા બ્રીફિંગમાં આ શિડ્યુલની જાહેરાત કરી છે. જેમાં BCCI સેક્રેટરી જય શાહ પણ પહોંચ્યા હતા. આ વિશ્વકપની શરુઆત આગામી 5 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી થવાની છે, જેમાં પહેલી મેચ ઈંગ્લેન્ડ વિ. ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની છે.


સૌથી રોચક મુકાબલો ભારત વિ. પાકિસ્તાન પણ અમદાવાદમાં 

યજમાન દેશ ભારતમાં કુલ 10 શહેરોમાં તમામ મેચ રમાશે. જેનો સૌથી મોટો હાઈ વોલ્ટેજ મુકાબલો ભારત વિ. પાકિસ્તાન વચ્ચે થશે અને આ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત વિ. પાકિસ્તાનની આ મેચ આગામી 15 ઓક્ટોબર અને રવિવારના રોજ રમાવાની છે, જેને લઈને માત્ર અમદાવાદ અને ગુજરાતના જ ક્રિકેટ પ્રેમીઓ નહીં પરંતુ આખા દેશના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે આ પહેલા ભારત તેની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે, જે 8 ઓક્ટોબર અને રવિવારે ચેન્નાઈ ખાતે રમાશે. 


ભારતમાં આટલી જગ્યાઓ પર રમાશે વિશ્વકપની મેચ

યજમાન દેશ ભારતમાં કુલ 10 શહેરોમાં રમાશે, જેમાં અમદાવાદના(નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), બેંગલુરુ (એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ), ચેન્નાઈ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ), દિલ્હી (અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ), ધર્મશાલા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ), હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ઉપ્પલ), કોલકાતા (ઈડન ગાર્ડન્સ), લખનૌ (એકાના ક્રિકેટ સ્ટેડિયમ), ઈન્દોર (હોલ્કર સ્ટેડિયમ), મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ) ખાતે તમામ મેચ રમાશે.


સેમિફાઈનલ મુંબઈ અને કોલકત્તામાં અને ફાઈનલ અમદાવાદમાં રમાશે

વિશ્વકપની મહત્વની નોકઆઉટ મેચ ત્રણ શહેરોમાં રમાશે. જેમાં 15 નવેમ્બરે સેમિફાઈનલ 1નો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.16 નવેમ્બરે સેમિફાઈનલ 2નો મુકાબલો કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ અને 19 નવેમ્બર અને રવિવારે ફાઈનલનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.