વર્ષ 2023માં આવનારી વૈશ્વિક મંદી માટે થઈ જાઓ તૈયાર, આ અગ્રણી સંસ્થાએ કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-29 17:29:09

વિશ્વમાં આગામી વર્ષે મંદી આવશે કે કેમ તેને લઈ અર્થશાસ્ત્રીઓમાં મતમતાંતર છે. જો કે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ એક બાબતે સંમત છે કે વર્ષ 2023 લોકો માટે કપરા ચઢાણ જેવું રહેશે. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેશ રિસર્ચ (CEBR)ના જણાવ્યા મુજબ વર્ષ 2023માં વૈશ્વિક મંદી આવશે. 


મંદી અંગે CEBRનો રિપોર્ટ શું કહે છે?


CEBRના રિપોર્ટ મુજબ ઉંચા ફુગાવા દરને રોકવા માટે વિશ્વના વિવિધ દેશોની કેન્દ્રીય બેંકો વ્યાજ દર વધારી રહી છે. તેના પરિણામ સ્વરૂપે વૈશ્વિક અર્થતંત્રને આગામી વર્ષે મંદીનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મોંઘવારીનો દર હજુ પણ ઉંચો છે અને વ્યાજ દર વધારવામાં આવ્યો હોવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી.


IMFએ પણ મંદીની આશંકા વ્યક્ત કરી 


આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (International Monetary Fund-IMF)એ પણ તેના પૂર્વાનુમાનમાં નિરાશાજનક ચિત્ર બતાવ્યું છે. IMFએ ઓક્ટોબરમાં ચેતવણી આપી હતી કે વિશ્વ અર્થતંત્રનો એક તૃતિયાંશથી વધુ કોન્ટ્રાસ્ટ થશે અને વર્ષ 2023માં વૈશ્વિક જીડીપીના 2 ટકાથી ઓછી વધવાની શક્યતા 25 ટકા છે. જેને તે વૈશ્વિક મંદીના સ્વરૂપમાં પરિભાષિત કરે છે. 


અત્રે ઉલ્લેખનિય છે કે સેન્ટ્રર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેશ રિસર્ચ આઈએમેફ અને વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક પાસેથી તેનો આધાર ડેટા મેળવે છે. CEBR ગ્રોથ, મોંઘવારી અને વિનિમય દરોની ભવિષ્યવાણી કરવા માટે એક આંતરિક મોડલનો ઉપયોગ કરે છે. CEBRના રિસર્ચ પ્રમાણે ભારત 2035માં વિશ્વની ત્રીજી 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે અને વર્ષ 2032 સુધી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.  



૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.