વર્ષ 2023માં આવનારી વૈશ્વિક મંદી માટે થઈ જાઓ તૈયાર, આ અગ્રણી સંસ્થાએ કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-29 17:29:09

વિશ્વમાં આગામી વર્ષે મંદી આવશે કે કેમ તેને લઈ અર્થશાસ્ત્રીઓમાં મતમતાંતર છે. જો કે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ એક બાબતે સંમત છે કે વર્ષ 2023 લોકો માટે કપરા ચઢાણ જેવું રહેશે. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેશ રિસર્ચ (CEBR)ના જણાવ્યા મુજબ વર્ષ 2023માં વૈશ્વિક મંદી આવશે. 


મંદી અંગે CEBRનો રિપોર્ટ શું કહે છે?


CEBRના રિપોર્ટ મુજબ ઉંચા ફુગાવા દરને રોકવા માટે વિશ્વના વિવિધ દેશોની કેન્દ્રીય બેંકો વ્યાજ દર વધારી રહી છે. તેના પરિણામ સ્વરૂપે વૈશ્વિક અર્થતંત્રને આગામી વર્ષે મંદીનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મોંઘવારીનો દર હજુ પણ ઉંચો છે અને વ્યાજ દર વધારવામાં આવ્યો હોવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી.


IMFએ પણ મંદીની આશંકા વ્યક્ત કરી 


આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (International Monetary Fund-IMF)એ પણ તેના પૂર્વાનુમાનમાં નિરાશાજનક ચિત્ર બતાવ્યું છે. IMFએ ઓક્ટોબરમાં ચેતવણી આપી હતી કે વિશ્વ અર્થતંત્રનો એક તૃતિયાંશથી વધુ કોન્ટ્રાસ્ટ થશે અને વર્ષ 2023માં વૈશ્વિક જીડીપીના 2 ટકાથી ઓછી વધવાની શક્યતા 25 ટકા છે. જેને તે વૈશ્વિક મંદીના સ્વરૂપમાં પરિભાષિત કરે છે. 


અત્રે ઉલ્લેખનિય છે કે સેન્ટ્રર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેશ રિસર્ચ આઈએમેફ અને વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક પાસેથી તેનો આધાર ડેટા મેળવે છે. CEBR ગ્રોથ, મોંઘવારી અને વિનિમય દરોની ભવિષ્યવાણી કરવા માટે એક આંતરિક મોડલનો ઉપયોગ કરે છે. CEBRના રિસર્ચ પ્રમાણે ભારત 2035માં વિશ્વની ત્રીજી 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે અને વર્ષ 2032 સુધી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.