વર્ષ 2023માં આવનારી વૈશ્વિક મંદી માટે થઈ જાઓ તૈયાર, આ અગ્રણી સંસ્થાએ કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-29 17:29:09

વિશ્વમાં આગામી વર્ષે મંદી આવશે કે કેમ તેને લઈ અર્થશાસ્ત્રીઓમાં મતમતાંતર છે. જો કે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ એક બાબતે સંમત છે કે વર્ષ 2023 લોકો માટે કપરા ચઢાણ જેવું રહેશે. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેશ રિસર્ચ (CEBR)ના જણાવ્યા મુજબ વર્ષ 2023માં વૈશ્વિક મંદી આવશે. 


મંદી અંગે CEBRનો રિપોર્ટ શું કહે છે?


CEBRના રિપોર્ટ મુજબ ઉંચા ફુગાવા દરને રોકવા માટે વિશ્વના વિવિધ દેશોની કેન્દ્રીય બેંકો વ્યાજ દર વધારી રહી છે. તેના પરિણામ સ્વરૂપે વૈશ્વિક અર્થતંત્રને આગામી વર્ષે મંદીનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મોંઘવારીનો દર હજુ પણ ઉંચો છે અને વ્યાજ દર વધારવામાં આવ્યો હોવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી.


IMFએ પણ મંદીની આશંકા વ્યક્ત કરી 


આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (International Monetary Fund-IMF)એ પણ તેના પૂર્વાનુમાનમાં નિરાશાજનક ચિત્ર બતાવ્યું છે. IMFએ ઓક્ટોબરમાં ચેતવણી આપી હતી કે વિશ્વ અર્થતંત્રનો એક તૃતિયાંશથી વધુ કોન્ટ્રાસ્ટ થશે અને વર્ષ 2023માં વૈશ્વિક જીડીપીના 2 ટકાથી ઓછી વધવાની શક્યતા 25 ટકા છે. જેને તે વૈશ્વિક મંદીના સ્વરૂપમાં પરિભાષિત કરે છે. 


અત્રે ઉલ્લેખનિય છે કે સેન્ટ્રર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેશ રિસર્ચ આઈએમેફ અને વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક પાસેથી તેનો આધાર ડેટા મેળવે છે. CEBR ગ્રોથ, મોંઘવારી અને વિનિમય દરોની ભવિષ્યવાણી કરવા માટે એક આંતરિક મોડલનો ઉપયોગ કરે છે. CEBRના રિસર્ચ પ્રમાણે ભારત 2035માં વિશ્વની ત્રીજી 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે અને વર્ષ 2032 સુધી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.  



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.