દર વર્ષે 10 એપ્રિલના રોજ મનાવાય છે વિશ્વ હોમિયોપેથી દિવસ, જાણો કેમ કરાય છે આ દિવસની ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-04-10 15:25:28

વિશ્વભરમાં અનેક તેહવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. પ્રસિદ્ધ લોકોની જન્મજયંતીને યાદ રાખવા અનેક વખત તેમના જન્મદિવસે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતી તરીકે મનાવવામાં આવે છે.

World Homeopathy Day 2023: વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે,  જાણો શું છે આ વર્ષની થીમ, world homeopathy day 2023 one health one family

10 એપ્રિલે ઉજવાય છે વિશ્વ હોમિયોપેથી દિવસ

રોગના ઉપચાર માટે અનેક પદ્ધતિઓ આપણને મળી આવે છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી સહિતની અનેક પદ્ધિતીઓની મદદથી રોગોને દૂર કરવામાં આવે છે. એવા અનેક લોકો હોય છે જેમને હોમિયોપેથી પર વધારે વિશ્વાસ હોય છે. અનેક લોકો હોમિયોપેથી પર વિશ્વાસ રાખી સારવાર કરાવી રહ્યા છે. લાઈફ ક્યોર સિદ્ધાંતોના આધારે ચાલવા વાળી પદ્ધતિ છે. જો હોમિયોપેથી શબ્દની વાત કરીએ તો આ શબ્દ હોમિયો પરથી આવ્યો છે. હોમિયોનો અર્થ થાય છે સમાન અને પેથોસનો અર્થ થાય છે રોગ.       

 I am Gujarati & This is my Gujarat - A Gujarati Community website to serve  the Society - હોમિયોપેથી-એક-પરિચય

હોમિયોપેથી પણ છે સારવારની એક પદ્ધતિ   

જર્મન ડોક્ટર ડો.ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનીમેનને હોમિયોપેથીના સ્થાપક માનવામાં આવે છે. 10 એપ્રિલના રોજ તેમની જન્મજયંતી મનાવવામાં આવે છે એટલે આ જ કારણો સર વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. હોમિયોપેથી પણ સારવારનો એક ભાગ છે. હોમિયોપેથીમાં દર્દી પ્રમાણે સારવાર કરવામાં આવે છે. જેને જેવી બિમારી તે પ્રમાણે દર્દીને દવા આપવામાં આવે છે. દરેક દવાઓ અલગ અલગ હોય છે. તમે જ્યારે હોમિયોપેથીના ડોક્ટરને કન્સલ્ટ કરો છો ત્યારે તે બહુ બધી વાતો કરતા હોય છે. દર્દી પ્રમાણે દવાઓ બદલાતી રહે છે. ડોક્ટરની સલાહ વગર આ દવાઓ ન લેવી જોઈએ.   



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.