દર વર્ષે 10 એપ્રિલના રોજ મનાવાય છે વિશ્વ હોમિયોપેથી દિવસ, જાણો કેમ કરાય છે આ દિવસની ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-04-10 15:25:28

વિશ્વભરમાં અનેક તેહવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. પ્રસિદ્ધ લોકોની જન્મજયંતીને યાદ રાખવા અનેક વખત તેમના જન્મદિવસે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતી તરીકે મનાવવામાં આવે છે.

World Homeopathy Day 2023: વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે,  જાણો શું છે આ વર્ષની થીમ, world homeopathy day 2023 one health one family

10 એપ્રિલે ઉજવાય છે વિશ્વ હોમિયોપેથી દિવસ

રોગના ઉપચાર માટે અનેક પદ્ધતિઓ આપણને મળી આવે છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી સહિતની અનેક પદ્ધિતીઓની મદદથી રોગોને દૂર કરવામાં આવે છે. એવા અનેક લોકો હોય છે જેમને હોમિયોપેથી પર વધારે વિશ્વાસ હોય છે. અનેક લોકો હોમિયોપેથી પર વિશ્વાસ રાખી સારવાર કરાવી રહ્યા છે. લાઈફ ક્યોર સિદ્ધાંતોના આધારે ચાલવા વાળી પદ્ધતિ છે. જો હોમિયોપેથી શબ્દની વાત કરીએ તો આ શબ્દ હોમિયો પરથી આવ્યો છે. હોમિયોનો અર્થ થાય છે સમાન અને પેથોસનો અર્થ થાય છે રોગ.       

 I am Gujarati & This is my Gujarat - A Gujarati Community website to serve  the Society - હોમિયોપેથી-એક-પરિચય

હોમિયોપેથી પણ છે સારવારની એક પદ્ધતિ   

જર્મન ડોક્ટર ડો.ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનીમેનને હોમિયોપેથીના સ્થાપક માનવામાં આવે છે. 10 એપ્રિલના રોજ તેમની જન્મજયંતી મનાવવામાં આવે છે એટલે આ જ કારણો સર વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. હોમિયોપેથી પણ સારવારનો એક ભાગ છે. હોમિયોપેથીમાં દર્દી પ્રમાણે સારવાર કરવામાં આવે છે. જેને જેવી બિમારી તે પ્રમાણે દર્દીને દવા આપવામાં આવે છે. દરેક દવાઓ અલગ અલગ હોય છે. તમે જ્યારે હોમિયોપેથીના ડોક્ટરને કન્સલ્ટ કરો છો ત્યારે તે બહુ બધી વાતો કરતા હોય છે. દર્દી પ્રમાણે દવાઓ બદલાતી રહે છે. ડોક્ટરની સલાહ વગર આ દવાઓ ન લેવી જોઈએ.   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.