દર વર્ષે 10 એપ્રિલના રોજ મનાવાય છે વિશ્વ હોમિયોપેથી દિવસ, જાણો કેમ કરાય છે આ દિવસની ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-04-10 15:25:28

વિશ્વભરમાં અનેક તેહવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. પ્રસિદ્ધ લોકોની જન્મજયંતીને યાદ રાખવા અનેક વખત તેમના જન્મદિવસે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતી તરીકે મનાવવામાં આવે છે.

World Homeopathy Day 2023: વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે,  જાણો શું છે આ વર્ષની થીમ, world homeopathy day 2023 one health one family

10 એપ્રિલે ઉજવાય છે વિશ્વ હોમિયોપેથી દિવસ

રોગના ઉપચાર માટે અનેક પદ્ધતિઓ આપણને મળી આવે છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી સહિતની અનેક પદ્ધિતીઓની મદદથી રોગોને દૂર કરવામાં આવે છે. એવા અનેક લોકો હોય છે જેમને હોમિયોપેથી પર વધારે વિશ્વાસ હોય છે. અનેક લોકો હોમિયોપેથી પર વિશ્વાસ રાખી સારવાર કરાવી રહ્યા છે. લાઈફ ક્યોર સિદ્ધાંતોના આધારે ચાલવા વાળી પદ્ધતિ છે. જો હોમિયોપેથી શબ્દની વાત કરીએ તો આ શબ્દ હોમિયો પરથી આવ્યો છે. હોમિયોનો અર્થ થાય છે સમાન અને પેથોસનો અર્થ થાય છે રોગ.       

 I am Gujarati & This is my Gujarat - A Gujarati Community website to serve  the Society - હોમિયોપેથી-એક-પરિચય

હોમિયોપેથી પણ છે સારવારની એક પદ્ધતિ   

જર્મન ડોક્ટર ડો.ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનીમેનને હોમિયોપેથીના સ્થાપક માનવામાં આવે છે. 10 એપ્રિલના રોજ તેમની જન્મજયંતી મનાવવામાં આવે છે એટલે આ જ કારણો સર વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. હોમિયોપેથી પણ સારવારનો એક ભાગ છે. હોમિયોપેથીમાં દર્દી પ્રમાણે સારવાર કરવામાં આવે છે. જેને જેવી બિમારી તે પ્રમાણે દર્દીને દવા આપવામાં આવે છે. દરેક દવાઓ અલગ અલગ હોય છે. તમે જ્યારે હોમિયોપેથીના ડોક્ટરને કન્સલ્ટ કરો છો ત્યારે તે બહુ બધી વાતો કરતા હોય છે. દર્દી પ્રમાણે દવાઓ બદલાતી રહે છે. ડોક્ટરની સલાહ વગર આ દવાઓ ન લેવી જોઈએ.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.