દર વર્ષે 2 Januaryએ મનાવાય છે World Introvert Day, જાણો કેવી રીતે થઈ આ દિવસને ઉજવવાની શરૂઆત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-02 15:56:39

સમાજ ભિન્ન લોકોથી બનેલો છે. કોઈ એકદમ જલ્દીથી લોકો સાથે  હળીમળી જોય છે તો કોઈ પોતાની દુનિયામાં જ મસ્ત હોય છે. કોઈ એકદમ વાતોડિયા સ્વભાવના હોય તો કોઈ એકદમ શાંત સ્વભાવના. કોઈ એકદમ હસમુખા હોય તો કોઈ એકદમ ધીરગંભીર હોય. આજે આવી વાતો એટલા માટે કરાઈ રહી છે કારણ કે આજની તારીખ અંતર્મુખી સ્વભાવ ધરાવતા લોકોને સમર્પિત છે. દર વર્ષે 2 જાન્યુઆરીના રોજ વિશ્વ અંતર્મુખ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

World Introvert Day 2024: Best Wishes, Images, Facebook & WhatsApp Status  to Share With Introvert Friends - News18


2 જાન્યુઆરીએ ઉજવાય છે વિશ્વ અંતર્મુખી દિવસ 

વિશ્વભરમાં અનેક દિવસો ઉજવાતા હોય છે. અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખી વિવિધ દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે દર વર્ષે 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખ દિવસ મનાવવામાં આવે છે. તે અંતર્મુખી લોકોની અસાધારણ લાક્ષણિકતાઓને સમજવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે સમર્પિત દિવસ છે. 



કેવા હોય છે અંતર્મુખી માણસો? 

અંતર્મુખી વ્યક્તિ એવી વ્યક્તિ હોય છે જે એકદામ શરમાળ, શાંત હોય છે. લોકો સાથે રહેવાને બદલે એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. વર્ષ 2011થી આ દિવસની ઉજવણી થવાની શરૂ થઈ જ્યારે ફેલિસીટાસ હેન્ને અંતર્મુખી એટલે કે Introvert લોકોની વિશેષતા વિશે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય લોકો તેમની કદર કરે તે હેતુથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી.  


શું છે દિવસની ઉજવણી પાછળનો ઈતિહાસ?

વિશ્વ અંતર્મુખ દિવસની શરૂઆત કંઈ આવી રીતે થઈ હતી. 2  જાન્યુઆરીએ "iPersonic" પર "Here's We Need A World Introvert Day" નામની બ્લોગ મનોવૈજ્ઞાનિક અને લેખક ફેલિસીટાસ હેય દ્વારા પોસ્ટ કરવામાં આવી. એ વાતને ધ્યાનમાં રાખી આ દિવસની ઉજવણી 2 જાન્યુઆરીએ કરવામાં આવે છે.  મહત્વનું છે કે અનેક એવા લોકો હશે જે અંતર્મુખી હશે.  



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.