દર વર્ષે 2 Januaryએ મનાવાય છે World Introvert Day, જાણો કેવી રીતે થઈ આ દિવસને ઉજવવાની શરૂઆત?


  • Published By :
  • Published Date : 2024-01-02 15:56:39

સમાજ ભિન્ન લોકોથી બનેલો છે. કોઈ એકદમ જલ્દીથી લોકો સાથે  હળીમળી જોય છે તો કોઈ પોતાની દુનિયામાં જ મસ્ત હોય છે. કોઈ એકદમ વાતોડિયા સ્વભાવના હોય તો કોઈ એકદમ શાંત સ્વભાવના. કોઈ એકદમ હસમુખા હોય તો કોઈ એકદમ ધીરગંભીર હોય. આજે આવી વાતો એટલા માટે કરાઈ રહી છે કારણ કે આજની તારીખ અંતર્મુખી સ્વભાવ ધરાવતા લોકોને સમર્પિત છે. દર વર્ષે 2 જાન્યુઆરીના રોજ વિશ્વ અંતર્મુખ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

World Introvert Day 2024: Best Wishes, Images, Facebook & WhatsApp Status  to Share With Introvert Friends - News18


2 જાન્યુઆરીએ ઉજવાય છે વિશ્વ અંતર્મુખી દિવસ 

વિશ્વભરમાં અનેક દિવસો ઉજવાતા હોય છે. અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખી વિવિધ દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે દર વર્ષે 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખ દિવસ મનાવવામાં આવે છે. તે અંતર્મુખી લોકોની અસાધારણ લાક્ષણિકતાઓને સમજવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે સમર્પિત દિવસ છે. 



કેવા હોય છે અંતર્મુખી માણસો? 

અંતર્મુખી વ્યક્તિ એવી વ્યક્તિ હોય છે જે એકદામ શરમાળ, શાંત હોય છે. લોકો સાથે રહેવાને બદલે એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. વર્ષ 2011થી આ દિવસની ઉજવણી થવાની શરૂ થઈ જ્યારે ફેલિસીટાસ હેન્ને અંતર્મુખી એટલે કે Introvert લોકોની વિશેષતા વિશે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય લોકો તેમની કદર કરે તે હેતુથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી.  


શું છે દિવસની ઉજવણી પાછળનો ઈતિહાસ?

વિશ્વ અંતર્મુખ દિવસની શરૂઆત કંઈ આવી રીતે થઈ હતી. 2  જાન્યુઆરીએ "iPersonic" પર "Here's We Need A World Introvert Day" નામની બ્લોગ મનોવૈજ્ઞાનિક અને લેખક ફેલિસીટાસ હેય દ્વારા પોસ્ટ કરવામાં આવી. એ વાતને ધ્યાનમાં રાખી આ દિવસની ઉજવણી 2 જાન્યુઆરીએ કરવામાં આવે છે.  મહત્વનું છે કે અનેક એવા લોકો હશે જે અંતર્મુખી હશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.