દર વર્ષે 2 Januaryએ મનાવાય છે World Introvert Day, જાણો કેવી રીતે થઈ આ દિવસને ઉજવવાની શરૂઆત?


  • Published By :
  • Published Date : 2024-01-02 15:56:39

સમાજ ભિન્ન લોકોથી બનેલો છે. કોઈ એકદમ જલ્દીથી લોકો સાથે  હળીમળી જોય છે તો કોઈ પોતાની દુનિયામાં જ મસ્ત હોય છે. કોઈ એકદમ વાતોડિયા સ્વભાવના હોય તો કોઈ એકદમ શાંત સ્વભાવના. કોઈ એકદમ હસમુખા હોય તો કોઈ એકદમ ધીરગંભીર હોય. આજે આવી વાતો એટલા માટે કરાઈ રહી છે કારણ કે આજની તારીખ અંતર્મુખી સ્વભાવ ધરાવતા લોકોને સમર્પિત છે. દર વર્ષે 2 જાન્યુઆરીના રોજ વિશ્વ અંતર્મુખ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

World Introvert Day 2024: Best Wishes, Images, Facebook & WhatsApp Status  to Share With Introvert Friends - News18


2 જાન્યુઆરીએ ઉજવાય છે વિશ્વ અંતર્મુખી દિવસ 

વિશ્વભરમાં અનેક દિવસો ઉજવાતા હોય છે. અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખી વિવિધ દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે દર વર્ષે 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખ દિવસ મનાવવામાં આવે છે. તે અંતર્મુખી લોકોની અસાધારણ લાક્ષણિકતાઓને સમજવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે સમર્પિત દિવસ છે. 



કેવા હોય છે અંતર્મુખી માણસો? 

અંતર્મુખી વ્યક્તિ એવી વ્યક્તિ હોય છે જે એકદામ શરમાળ, શાંત હોય છે. લોકો સાથે રહેવાને બદલે એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. વર્ષ 2011થી આ દિવસની ઉજવણી થવાની શરૂ થઈ જ્યારે ફેલિસીટાસ હેન્ને અંતર્મુખી એટલે કે Introvert લોકોની વિશેષતા વિશે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય લોકો તેમની કદર કરે તે હેતુથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી.  


શું છે દિવસની ઉજવણી પાછળનો ઈતિહાસ?

વિશ્વ અંતર્મુખ દિવસની શરૂઆત કંઈ આવી રીતે થઈ હતી. 2  જાન્યુઆરીએ "iPersonic" પર "Here's We Need A World Introvert Day" નામની બ્લોગ મનોવૈજ્ઞાનિક અને લેખક ફેલિસીટાસ હેય દ્વારા પોસ્ટ કરવામાં આવી. એ વાતને ધ્યાનમાં રાખી આ દિવસની ઉજવણી 2 જાન્યુઆરીએ કરવામાં આવે છે.  મહત્વનું છે કે અનેક એવા લોકો હશે જે અંતર્મુખી હશે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.