ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, ન્યૂઝીલેન્ડ સામે હારીને શ્રીલંકા બહાર


  • Published By :
  • Published Date : 2023-03-13 13:17:36

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્રાઈસ્ટ ચર્ચમાં ન્યુઝીલેન્ડએ શ્રીલંકા સામે રમાયેલી પહેલી ટેસ્ટ જીતીને ભારતને ફાઈનલમાં પહોંચાડી દીધુ છે. ભારતને ફાઈનલમાં પહોંચવા માટે બે ટેસ્ટમાં કોઈ એકમાં શ્રીલંકાની હાર કે ડ્રોની જરૂર હતી. ન્યૂઝીલેન્ડએ લંકાની ટીમને હરાવીને ભારતને ખુશી આપી છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચની કોઈ અસર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના સમીકરણો પર પડશે નહીં.


ભારત સતત બીજી વખત WTCની ફાઈનલમાં


ભારત સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે. છેલ્લી વખત 2021માં તેને ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી. આ વખતે ન્યૂઝીલેન્ડે તેને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી છે. આ વખતે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. જેમાં ભારત 2-1થી આગળ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમમાં 7 થી 11 જૂન દરમિયાન રમાશે.


શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ મેચમાં શું થયું?


મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ પ્રથમ દાવમાં 355 રન બનાવ્યા હતા. આ સાથે જ ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 373 રન બનાવ્યા હતા. આ રીતે તેને પ્રથમ દાવમાં 18 રનની લીડ મળી હતી. શ્રીલંકાએ બીજા દાવમાં 302 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે 285 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કેન વિલિયમ્સનની સદીની મદદથી શ્રીલંકાનો મેચના પાંચમા અને અંતિમ દિવસે છેલ્લા બોલે પરાજય થયો હતો.



ગુજરાતમાં બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપી છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોને જવાબદારી સોંપી છે પ્રચાર માટેની..

સાબરકાંંઠા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા છે. શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. શોભનાબેનને ટિકીટ અપાતા ભાજપના કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉમેદવારના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.

વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે તો કોંગ્રેસે અનંત પટેલને ટિકીટ આપી છે. બંને ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. અનંત પટેલ આક્રામક દેખાય છે ત્યારે ફરી એક વખત અનંત પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

UPSCનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આદિત્ય શ્રીવાસ્તવે પરીક્ષાને ટોપ કરી છે... લાખો ઉમેદવારોનું સપનું હોય છે યુપીએસસી એક્ઝામ ક્લીયર કરવા માટે.