૨૭મી માર્ચે એટલે વિશ્વ રંગમંચ દિવસ.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-27 16:41:14

દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવામાં આવે છે.ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા  દર વર્ષે આજન દિવસે વિશ્વ થિયેટર દિવસ ઉજવવામાં આવે છે એ ફક્ત મનોરંજનનું સાધન નથી પરંતુ એ જે તે દેશના લોકોના જીવન અને એના સંઘર્ષ અને લોકજીવનને દર્શાવે છે જે અનેક લોકોને એક્મકે સાથે જોડે છે.


ITI દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ માટે કોઈ ચોક્કસ થીમ નક્કી કરતું નથી. દર વર્ષે, વિશ્વ રંગભૂમિ દિવસની થીમ "થિયેટર અને શાંતિની સંસ્કૃતિ" હોય છે.પ્રાચીન ગ્રીસથી, થિયેટર કલા અને મનોરંજનનું એક લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે - જે તેના પ્રેક્ષકોને રોમાંચિત કરે છે. તે માત્ર મનોરંજન અને શિક્ષિત નથી કરતું, પરંતુ થિયેટર તેના જીવંત પ્રેક્ષકોને વાસ્તવિક રંગમંચનો અનુભવ આપવા માટે વિવિધ કલા સ્વરૂપોને પણ જોડે છે, જે તમને બીજી કોઈ કળામાં ક્યાંય મળતું નથી.

 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI) દ્વારા  દર વર્ષે  થિયેટરએ ફક્ત મનોરંજન નું સાધન નથી પરંતુ એ જે તે દેશ ના લોકોના જીવનનું પ્રતિબિંબ છે જે લોકોને એક્મકે સાથે જોડે છે.થિયેટર ફક્ત મનોરંજન આપવાનું જ કામ નથી કરતુ પણ એ જીવનના મુલ્યો અને સમાજમાં આર્થિક વિકાસમાં સહભાગીતાનું પણ કામ કરે છે


ગુજરાતી રંગમંચ 

ગુજરાતના આ પ્રદેશમાં લોક-નાટ્ય, ભવાઈની લાંબી પરંપરા છે, જેનો ઉદ્ભવ ૧૪મી સદીમાં થયો હતો.

૧૮૫૦માં લક્ષ્મી નામનું નાટક સૌ પ્રથમ ગુજરાતીમાં દલપતરામે લખ્યું હતું.જેની યાદમાં અમદાવાદ દલપતરામની પ્રતિમા દલપતરામ ચોક ખાતે મુકવામાં આવી છે. ૧૯૫૨માં અમદાવાદમાં નાટ મંડળની રચના કરવામાં આવી, જેનો ઉદ્દેશ્ય ફરી એકવાર ગુજરાતી રંગભૂમિના વિવિધ દૂરના કલાકારોને એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.

પરંપરાગત ભવાઈ સંગીત નાટકોને પણ થિયેટર દિગ્દર્શકો દ્વારા પુનર્જીવિત કરવામાં આવ્યા, જેમ કે શાંતા ગાંધી, જેમણે ગુજરાતી લોકકથા પર આધારિત જસ્મા ઓડન (૧૯૬૮) લખી અને દિગ્દર્શિત કરી હતી, જ્યારે દિના પાઠક (તે સમયે ગાંધી) એ મેના ગુજરમાં મુખ્ય ભૂમિકાનું નિર્માણ અને અભિનય કર્યો હતો.વડોદરામાં નાટ્યગૃહને સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો, અને આ શહેર ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાતું હતું, અને ગંધર્વ નાટક મંડળી માટે જાણીતું હતું.

 ૧૯૫૦માં શહેરમાં નૂતન સંસ્કાર કેન્દ્ર, ત્રિમૂર્તિ, નાટ્ય વિહાર, ભારતીય કલા કેન્દ્ર અને યુનિવર્સલ આર્ટ ફોરમ સહિત અનેક જૂથોની રચના કરવામાં આવી હતી. પછીના દાયકાઓમાં રંગાવલી (૧૯૭૪), કશુંક, વિષ્કંભક, આકાર થિયેટર (૧૯૮૦), ઇન્ટિમેટ, જયશ્રી કલાનિકેતન અને નવચેતન જેવા જૂથોની રચના કરવામાં આવી હતી. ૧૯૯૦ના દાયકામાં શહેરમાં હજુ પણ દસ નાટ્યગૃહો હતા, પરંતુ ૨૦૦૦ના દાયકા સુધીમાં ધીમે ધીમે તેના મોટાભાગના નાટ્યગૃહો અને પ્રેક્ષકો ગુમાવી દીધા, જોકે સુરત અને રાજકોટમાં નાટ્યગૃહો હજુ પણ અસ્તિત્વમાં છે. ૨૦૦૦ના દાયકાના મધ્યભાગ પછી, ગુજરાતી નાટ્યગૃહે પુનરુત્થાનનો અનુભવ કર્યો અને તે સતત વિકાસ પામી રહ્યું છે.

ગુજરાતના રંગમંચના કલાકારોએ રૂસ્તમ, જબુલી અને સોરાબ જેવા લોકપ્રિય ગુજરાતી નાટકો ભજવ્યા હતા, જે શાહનામાની લોકપ્રિય નાટ્યકથા પર આધારિત છે. તેમને ગુજરાતી રંગમંચની શરૂઆત માનવામાં આવે છે.   

ગુજરાતના ઘણા પોતીકા ગુજરાતી થિયેટર કલાકારો ઊંચા ગજાનું કામ કરી ગયા છે. જશવંત ઠાકરે ,ચંદ્રવદન મેહતા,અદિતિ દેસાઈ,અભિનય બેન્કર સાથે કેટલાય કલાકારો દીના પાઠક, કિરણકુમાર ,અરુણા ઈરાની, , સરિતા જોશી,અરવિંદ જોશી,સૌમ્ય જોશી, અર્ચન ત્રિવેદી  અને આજના સમયે પ્રતિક ગાંધી,અભિનય બેન્કર,મયુર ચૌહાણ,દર્શન જરીવાલા,સુપ્રિયા પાઠક જેવા કલાકારો આજે પણ ગુજરાત અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.     







તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.