૨૭મી માર્ચે એટલે વિશ્વ રંગમંચ દિવસ.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-27 16:41:14

દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવામાં આવે છે.ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા  દર વર્ષે આજન દિવસે વિશ્વ થિયેટર દિવસ ઉજવવામાં આવે છે એ ફક્ત મનોરંજનનું સાધન નથી પરંતુ એ જે તે દેશના લોકોના જીવન અને એના સંઘર્ષ અને લોકજીવનને દર્શાવે છે જે અનેક લોકોને એક્મકે સાથે જોડે છે.


ITI દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ માટે કોઈ ચોક્કસ થીમ નક્કી કરતું નથી. દર વર્ષે, વિશ્વ રંગભૂમિ દિવસની થીમ "થિયેટર અને શાંતિની સંસ્કૃતિ" હોય છે.પ્રાચીન ગ્રીસથી, થિયેટર કલા અને મનોરંજનનું એક લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે - જે તેના પ્રેક્ષકોને રોમાંચિત કરે છે. તે માત્ર મનોરંજન અને શિક્ષિત નથી કરતું, પરંતુ થિયેટર તેના જીવંત પ્રેક્ષકોને વાસ્તવિક રંગમંચનો અનુભવ આપવા માટે વિવિધ કલા સ્વરૂપોને પણ જોડે છે, જે તમને બીજી કોઈ કળામાં ક્યાંય મળતું નથી.

 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI) દ્વારા  દર વર્ષે  થિયેટરએ ફક્ત મનોરંજન નું સાધન નથી પરંતુ એ જે તે દેશ ના લોકોના જીવનનું પ્રતિબિંબ છે જે લોકોને એક્મકે સાથે જોડે છે.થિયેટર ફક્ત મનોરંજન આપવાનું જ કામ નથી કરતુ પણ એ જીવનના મુલ્યો અને સમાજમાં આર્થિક વિકાસમાં સહભાગીતાનું પણ કામ કરે છે


ગુજરાતી રંગમંચ 

ગુજરાતના આ પ્રદેશમાં લોક-નાટ્ય, ભવાઈની લાંબી પરંપરા છે, જેનો ઉદ્ભવ ૧૪મી સદીમાં થયો હતો.

૧૮૫૦માં લક્ષ્મી નામનું નાટક સૌ પ્રથમ ગુજરાતીમાં દલપતરામે લખ્યું હતું.જેની યાદમાં અમદાવાદ દલપતરામની પ્રતિમા દલપતરામ ચોક ખાતે મુકવામાં આવી છે. ૧૯૫૨માં અમદાવાદમાં નાટ મંડળની રચના કરવામાં આવી, જેનો ઉદ્દેશ્ય ફરી એકવાર ગુજરાતી રંગભૂમિના વિવિધ દૂરના કલાકારોને એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.

પરંપરાગત ભવાઈ સંગીત નાટકોને પણ થિયેટર દિગ્દર્શકો દ્વારા પુનર્જીવિત કરવામાં આવ્યા, જેમ કે શાંતા ગાંધી, જેમણે ગુજરાતી લોકકથા પર આધારિત જસ્મા ઓડન (૧૯૬૮) લખી અને દિગ્દર્શિત કરી હતી, જ્યારે દિના પાઠક (તે સમયે ગાંધી) એ મેના ગુજરમાં મુખ્ય ભૂમિકાનું નિર્માણ અને અભિનય કર્યો હતો.વડોદરામાં નાટ્યગૃહને સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો, અને આ શહેર ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાતું હતું, અને ગંધર્વ નાટક મંડળી માટે જાણીતું હતું.

 ૧૯૫૦માં શહેરમાં નૂતન સંસ્કાર કેન્દ્ર, ત્રિમૂર્તિ, નાટ્ય વિહાર, ભારતીય કલા કેન્દ્ર અને યુનિવર્સલ આર્ટ ફોરમ સહિત અનેક જૂથોની રચના કરવામાં આવી હતી. પછીના દાયકાઓમાં રંગાવલી (૧૯૭૪), કશુંક, વિષ્કંભક, આકાર થિયેટર (૧૯૮૦), ઇન્ટિમેટ, જયશ્રી કલાનિકેતન અને નવચેતન જેવા જૂથોની રચના કરવામાં આવી હતી. ૧૯૯૦ના દાયકામાં શહેરમાં હજુ પણ દસ નાટ્યગૃહો હતા, પરંતુ ૨૦૦૦ના દાયકા સુધીમાં ધીમે ધીમે તેના મોટાભાગના નાટ્યગૃહો અને પ્રેક્ષકો ગુમાવી દીધા, જોકે સુરત અને રાજકોટમાં નાટ્યગૃહો હજુ પણ અસ્તિત્વમાં છે. ૨૦૦૦ના દાયકાના મધ્યભાગ પછી, ગુજરાતી નાટ્યગૃહે પુનરુત્થાનનો અનુભવ કર્યો અને તે સતત વિકાસ પામી રહ્યું છે.

ગુજરાતના રંગમંચના કલાકારોએ રૂસ્તમ, જબુલી અને સોરાબ જેવા લોકપ્રિય ગુજરાતી નાટકો ભજવ્યા હતા, જે શાહનામાની લોકપ્રિય નાટ્યકથા પર આધારિત છે. તેમને ગુજરાતી રંગમંચની શરૂઆત માનવામાં આવે છે.   

ગુજરાતના ઘણા પોતીકા ગુજરાતી થિયેટર કલાકારો ઊંચા ગજાનું કામ કરી ગયા છે. જશવંત ઠાકરે ,ચંદ્રવદન મેહતા,અદિતિ દેસાઈ,અભિનય બેન્કર સાથે કેટલાય કલાકારો દીના પાઠક, કિરણકુમાર ,અરુણા ઈરાની, , સરિતા જોશી,અરવિંદ જોશી,સૌમ્ય જોશી, અર્ચન ત્રિવેદી  અને આજના સમયે પ્રતિક ગાંધી,અભિનય બેન્કર,મયુર ચૌહાણ,દર્શન જરીવાલા,સુપ્રિયા પાઠક જેવા કલાકારો આજે પણ ગુજરાત અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.     







ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.