૨૭મી માર્ચે એટલે વિશ્વ રંગમંચ દિવસ.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-27 16:41:14

દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવામાં આવે છે.ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા  દર વર્ષે આજન દિવસે વિશ્વ થિયેટર દિવસ ઉજવવામાં આવે છે એ ફક્ત મનોરંજનનું સાધન નથી પરંતુ એ જે તે દેશના લોકોના જીવન અને એના સંઘર્ષ અને લોકજીવનને દર્શાવે છે જે અનેક લોકોને એક્મકે સાથે જોડે છે.


ITI દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ માટે કોઈ ચોક્કસ થીમ નક્કી કરતું નથી. દર વર્ષે, વિશ્વ રંગભૂમિ દિવસની થીમ "થિયેટર અને શાંતિની સંસ્કૃતિ" હોય છે.પ્રાચીન ગ્રીસથી, થિયેટર કલા અને મનોરંજનનું એક લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે - જે તેના પ્રેક્ષકોને રોમાંચિત કરે છે. તે માત્ર મનોરંજન અને શિક્ષિત નથી કરતું, પરંતુ થિયેટર તેના જીવંત પ્રેક્ષકોને વાસ્તવિક રંગમંચનો અનુભવ આપવા માટે વિવિધ કલા સ્વરૂપોને પણ જોડે છે, જે તમને બીજી કોઈ કળામાં ક્યાંય મળતું નથી.

 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI) દ્વારા  દર વર્ષે  થિયેટરએ ફક્ત મનોરંજન નું સાધન નથી પરંતુ એ જે તે દેશ ના લોકોના જીવનનું પ્રતિબિંબ છે જે લોકોને એક્મકે સાથે જોડે છે.થિયેટર ફક્ત મનોરંજન આપવાનું જ કામ નથી કરતુ પણ એ જીવનના મુલ્યો અને સમાજમાં આર્થિક વિકાસમાં સહભાગીતાનું પણ કામ કરે છે


ગુજરાતી રંગમંચ 

ગુજરાતના આ પ્રદેશમાં લોક-નાટ્ય, ભવાઈની લાંબી પરંપરા છે, જેનો ઉદ્ભવ ૧૪મી સદીમાં થયો હતો.

૧૮૫૦માં લક્ષ્મી નામનું નાટક સૌ પ્રથમ ગુજરાતીમાં દલપતરામે લખ્યું હતું.જેની યાદમાં અમદાવાદ દલપતરામની પ્રતિમા દલપતરામ ચોક ખાતે મુકવામાં આવી છે. ૧૯૫૨માં અમદાવાદમાં નાટ મંડળની રચના કરવામાં આવી, જેનો ઉદ્દેશ્ય ફરી એકવાર ગુજરાતી રંગભૂમિના વિવિધ દૂરના કલાકારોને એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.

પરંપરાગત ભવાઈ સંગીત નાટકોને પણ થિયેટર દિગ્દર્શકો દ્વારા પુનર્જીવિત કરવામાં આવ્યા, જેમ કે શાંતા ગાંધી, જેમણે ગુજરાતી લોકકથા પર આધારિત જસ્મા ઓડન (૧૯૬૮) લખી અને દિગ્દર્શિત કરી હતી, જ્યારે દિના પાઠક (તે સમયે ગાંધી) એ મેના ગુજરમાં મુખ્ય ભૂમિકાનું નિર્માણ અને અભિનય કર્યો હતો.વડોદરામાં નાટ્યગૃહને સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો, અને આ શહેર ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાતું હતું, અને ગંધર્વ નાટક મંડળી માટે જાણીતું હતું.

 ૧૯૫૦માં શહેરમાં નૂતન સંસ્કાર કેન્દ્ર, ત્રિમૂર્તિ, નાટ્ય વિહાર, ભારતીય કલા કેન્દ્ર અને યુનિવર્સલ આર્ટ ફોરમ સહિત અનેક જૂથોની રચના કરવામાં આવી હતી. પછીના દાયકાઓમાં રંગાવલી (૧૯૭૪), કશુંક, વિષ્કંભક, આકાર થિયેટર (૧૯૮૦), ઇન્ટિમેટ, જયશ્રી કલાનિકેતન અને નવચેતન જેવા જૂથોની રચના કરવામાં આવી હતી. ૧૯૯૦ના દાયકામાં શહેરમાં હજુ પણ દસ નાટ્યગૃહો હતા, પરંતુ ૨૦૦૦ના દાયકા સુધીમાં ધીમે ધીમે તેના મોટાભાગના નાટ્યગૃહો અને પ્રેક્ષકો ગુમાવી દીધા, જોકે સુરત અને રાજકોટમાં નાટ્યગૃહો હજુ પણ અસ્તિત્વમાં છે. ૨૦૦૦ના દાયકાના મધ્યભાગ પછી, ગુજરાતી નાટ્યગૃહે પુનરુત્થાનનો અનુભવ કર્યો અને તે સતત વિકાસ પામી રહ્યું છે.

ગુજરાતના રંગમંચના કલાકારોએ રૂસ્તમ, જબુલી અને સોરાબ જેવા લોકપ્રિય ગુજરાતી નાટકો ભજવ્યા હતા, જે શાહનામાની લોકપ્રિય નાટ્યકથા પર આધારિત છે. તેમને ગુજરાતી રંગમંચની શરૂઆત માનવામાં આવે છે.   

ગુજરાતના ઘણા પોતીકા ગુજરાતી થિયેટર કલાકારો ઊંચા ગજાનું કામ કરી ગયા છે. જશવંત ઠાકરે ,ચંદ્રવદન મેહતા,અદિતિ દેસાઈ,અભિનય બેન્કર સાથે કેટલાય કલાકારો દીના પાઠક, કિરણકુમાર ,અરુણા ઈરાની, , સરિતા જોશી,અરવિંદ જોશી,સૌમ્ય જોશી, અર્ચન ત્રિવેદી  અને આજના સમયે પ્રતિક ગાંધી,અભિનય બેન્કર,મયુર ચૌહાણ,દર્શન જરીવાલા,સુપ્રિયા પાઠક જેવા કલાકારો આજે પણ ગુજરાત અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.     







મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.