પશ્ચિમ બંગાળમાં વણસી પરિસ્થિતિ! અશાંત વાતાવરણ દરમિયાન હાવડા રેલવે સ્ટેશન બહાર થયો પથ્થરમારો, રેલવે સ્ટેશનને બંધ કરાયું


  • Published By :
  • Published Date : 2023-04-04 09:45:34

રામનવમીના દિવસથી શરૂ થયેલી હિંસા શાંત થવાનું નામ જ નથી લઈ રહી. પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે હિંસા ભડકી રહી છે. સતત ત્રીજા દિવસે હિંસા ભડકી રહી છે. હુગલીના રિશરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન પર સોમવાર રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને પગલે રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ પથ્થરમારો રેલવે સ્ટેશનના ગેટ નંબર 4 પાસે થયો હતો.

 

પશ્ચિમ બંગાળમાં હિંસાના માહોલે વધારી ચિંતા  

દેશમાં એક તરફ જ્યારે રામનવમી પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ રહી તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. બિહાર, પશ્ચિમ બંગાળ, મહારષ્ટ્ર સહિતના રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. રામનવમીને પૂર્ણ થયે અનેક દિવસો વીતી ગયા છે પરંતુ રાજ્યોમાં ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. પશ્ચિમ બંગાળમાં રવિવાર રાત્રે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના ધારાસભ્યને પણ ઈજા પહોંચી હતી. હિંસા એટલી બધી ભડકી ઉઠી હતી કે વાહનોને આગ લગાવી દેવામાં આવી હતી. ઉપરાંત પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલાને લઈ કોર્ટે સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે. 


સોમવારે રાત્રે રિશરા રેલવે સ્ટેશન બહાર હિંસા ફાટી નીકળી! 

આ હિંસા જ્યાં હજી શાંત થઈ ન હતી ત્યારે તો પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી. ત્રીજા દિવસે પણ હિંસા ભડકી ઉઠી હતી. મોડી રાત્રે હુગલીના રિશરા વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશન નજીક પથ્થરમારો કરવામાં આવતા રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. ભડેલી હિંસાને જોતા હાવડા-બર્જમાન રૂટ પર આવતી ટ્રેનોને રોકવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

दोनों गुटों के उपद्रवियों ने इलाके में आगजनी की, इसमें कई वाहन जलकर खाक हो गए।

રવિવારે ભડકેલી હિંસાની તસવીરો 


આ મામલે પોલીસ આવી એક્શન મોડમાં! 

સતત વધતી હિંસાને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. પોલીસને તૈનાત કરવામાં આવી છે. મહત્વનું છે રામનવમીના દિવસે હિંસા ભડકી ઉઠી હતી. તે બાદ રવિવારે શોભાયાત્રા દરમિયાન અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બે જૂથ વચ્ચે શરૂ થયેલા ઝઘડાએ ઉગ્ર હિંસાનું રૂપ ધારણ કરી લીધું હતું. બગડતા માહોલને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આ મામલે 12 જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં  આવી છે. કલકતા હાઈકોર્ટે હાવડામાં સર્જાયેલી હિંસા અંગે રિપોર્ટ માગ્યો છે. જે મુજબ 5 એપ્રિલ સુધી સરકારે જવાબ કોર્ટને આપવો પડશે.            




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.