પશ્ચિમ બંગાળમાં વણસી પરિસ્થિતિ! અશાંત વાતાવરણ દરમિયાન હાવડા રેલવે સ્ટેશન બહાર થયો પથ્થરમારો, રેલવે સ્ટેશનને બંધ કરાયું


  • Published By :
  • Published Date : 2023-04-04 09:45:34

રામનવમીના દિવસથી શરૂ થયેલી હિંસા શાંત થવાનું નામ જ નથી લઈ રહી. પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે હિંસા ભડકી રહી છે. સતત ત્રીજા દિવસે હિંસા ભડકી રહી છે. હુગલીના રિશરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન પર સોમવાર રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને પગલે રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ પથ્થરમારો રેલવે સ્ટેશનના ગેટ નંબર 4 પાસે થયો હતો.

 

પશ્ચિમ બંગાળમાં હિંસાના માહોલે વધારી ચિંતા  

દેશમાં એક તરફ જ્યારે રામનવમી પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ રહી તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. બિહાર, પશ્ચિમ બંગાળ, મહારષ્ટ્ર સહિતના રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. રામનવમીને પૂર્ણ થયે અનેક દિવસો વીતી ગયા છે પરંતુ રાજ્યોમાં ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. પશ્ચિમ બંગાળમાં રવિવાર રાત્રે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના ધારાસભ્યને પણ ઈજા પહોંચી હતી. હિંસા એટલી બધી ભડકી ઉઠી હતી કે વાહનોને આગ લગાવી દેવામાં આવી હતી. ઉપરાંત પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલાને લઈ કોર્ટે સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે. 


સોમવારે રાત્રે રિશરા રેલવે સ્ટેશન બહાર હિંસા ફાટી નીકળી! 

આ હિંસા જ્યાં હજી શાંત થઈ ન હતી ત્યારે તો પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી. ત્રીજા દિવસે પણ હિંસા ભડકી ઉઠી હતી. મોડી રાત્રે હુગલીના રિશરા વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશન નજીક પથ્થરમારો કરવામાં આવતા રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. ભડેલી હિંસાને જોતા હાવડા-બર્જમાન રૂટ પર આવતી ટ્રેનોને રોકવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

दोनों गुटों के उपद्रवियों ने इलाके में आगजनी की, इसमें कई वाहन जलकर खाक हो गए।

રવિવારે ભડકેલી હિંસાની તસવીરો 


આ મામલે પોલીસ આવી એક્શન મોડમાં! 

સતત વધતી હિંસાને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. પોલીસને તૈનાત કરવામાં આવી છે. મહત્વનું છે રામનવમીના દિવસે હિંસા ભડકી ઉઠી હતી. તે બાદ રવિવારે શોભાયાત્રા દરમિયાન અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બે જૂથ વચ્ચે શરૂ થયેલા ઝઘડાએ ઉગ્ર હિંસાનું રૂપ ધારણ કરી લીધું હતું. બગડતા માહોલને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આ મામલે 12 જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં  આવી છે. કલકતા હાઈકોર્ટે હાવડામાં સર્જાયેલી હિંસા અંગે રિપોર્ટ માગ્યો છે. જે મુજબ 5 એપ્રિલ સુધી સરકારે જવાબ કોર્ટને આપવો પડશે.            




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.