પશ્ચિમ બંગાળમાં વણસી પરિસ્થિતિ! અશાંત વાતાવરણ દરમિયાન હાવડા રેલવે સ્ટેશન બહાર થયો પથ્થરમારો, રેલવે સ્ટેશનને બંધ કરાયું


  • Published By :
  • Published Date : 2023-04-04 09:45:34

રામનવમીના દિવસથી શરૂ થયેલી હિંસા શાંત થવાનું નામ જ નથી લઈ રહી. પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે હિંસા ભડકી રહી છે. સતત ત્રીજા દિવસે હિંસા ભડકી રહી છે. હુગલીના રિશરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન પર સોમવાર રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને પગલે રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ પથ્થરમારો રેલવે સ્ટેશનના ગેટ નંબર 4 પાસે થયો હતો.

 

પશ્ચિમ બંગાળમાં હિંસાના માહોલે વધારી ચિંતા  

દેશમાં એક તરફ જ્યારે રામનવમી પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ રહી તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. બિહાર, પશ્ચિમ બંગાળ, મહારષ્ટ્ર સહિતના રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. રામનવમીને પૂર્ણ થયે અનેક દિવસો વીતી ગયા છે પરંતુ રાજ્યોમાં ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. પશ્ચિમ બંગાળમાં રવિવાર રાત્રે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના ધારાસભ્યને પણ ઈજા પહોંચી હતી. હિંસા એટલી બધી ભડકી ઉઠી હતી કે વાહનોને આગ લગાવી દેવામાં આવી હતી. ઉપરાંત પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલાને લઈ કોર્ટે સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે. 


સોમવારે રાત્રે રિશરા રેલવે સ્ટેશન બહાર હિંસા ફાટી નીકળી! 

આ હિંસા જ્યાં હજી શાંત થઈ ન હતી ત્યારે તો પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી. ત્રીજા દિવસે પણ હિંસા ભડકી ઉઠી હતી. મોડી રાત્રે હુગલીના રિશરા વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશન નજીક પથ્થરમારો કરવામાં આવતા રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. ભડેલી હિંસાને જોતા હાવડા-બર્જમાન રૂટ પર આવતી ટ્રેનોને રોકવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

दोनों गुटों के उपद्रवियों ने इलाके में आगजनी की, इसमें कई वाहन जलकर खाक हो गए।

રવિવારે ભડકેલી હિંસાની તસવીરો 


આ મામલે પોલીસ આવી એક્શન મોડમાં! 

સતત વધતી હિંસાને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. પોલીસને તૈનાત કરવામાં આવી છે. મહત્વનું છે રામનવમીના દિવસે હિંસા ભડકી ઉઠી હતી. તે બાદ રવિવારે શોભાયાત્રા દરમિયાન અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બે જૂથ વચ્ચે શરૂ થયેલા ઝઘડાએ ઉગ્ર હિંસાનું રૂપ ધારણ કરી લીધું હતું. બગડતા માહોલને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આ મામલે 12 જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં  આવી છે. કલકતા હાઈકોર્ટે હાવડામાં સર્જાયેલી હિંસા અંગે રિપોર્ટ માગ્યો છે. જે મુજબ 5 એપ્રિલ સુધી સરકારે જવાબ કોર્ટને આપવો પડશે.            




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.