આંદોલન ખતમ કરવાની કુસ્તીબાજોએ કરી જાહેરાત, પહેલવાનોએ ટ્વિટ કરી આપી જાણકારી, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-26 15:08:38

દેશની રાજધાની દિલ્હીમાં ઘણા મહિનાઓથી પહેલવાનો WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. જંતર મંતર ખાતે ધરણા પર બેસી પૂર્વ અધ્યક્ષ વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા સમયથી તેઓ ધરણા પ્રદર્શન ન કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે કુસ્તીબાજો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે રોડ પર લડાઈ ન લડી કોર્ટમાં લડાઈ લડશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.


અમિત શાહ તેમજ અનુરાગ ઠાકુર સાથે કરી હતી મુલાકાત  

બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કુસ્તીબાજો ઘણા મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. ઘણા મહિનાઓ માટે કુસ્તીબાજોએ જંતર મંતરને પોતાનું ઘર બનાવી લીધું હતું. ત્યારે થોડા સમયથી તેઓ ધરણા સ્થળ પર ધરણા નથી કરી રહેલા. જ્યારે કુસ્તીબાજો આંદોલન કરી રહ્યા હતા તે દરમિયાન અનેક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. ત્યારે થોડા સમય પહેલા કુસ્તીબાજોએ અમિત શાહ સાથે અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી. જે બાદ પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 

ત્રણેય કુસ્તીબાજોએ ટ્વિટ કરી આપી જાણકારી   

નેતાઓ સાથે બેઠક કર્યા બાદ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે આજે કઈ દિશામાં આંદોલન જશે તે અંગે કુસ્તીબાજોએ એલાન કર્યું છે. મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક, બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટે ટ્વિટ આપી માહિતી આપી હતી. ત્રણેય કુસ્તીબાજોએ લખ્યું કે 7 જૂને સરકાર સાથે વાતચીત થઈ હતી. કુસ્તીબાજો સાથે આપેલા વચન બાદ, સરકારે મહિલા કુસ્તી ખેલાડીઓ દ્વારા રેસલર્સની જાતીય શોષણ અંગેની ફરિયાદ કરતા FIR નોંધી હતી. દિલ્હી પોલીસે તપાસ પૂર્ણ કરી છે અને 15મી જૂને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કિસ્સામાં, કુસ્તીબાજોની કાનૂની લડાઈ કોર્ટમાં ચાલુ રહેશે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.