આંદોલન ખતમ કરવાની કુસ્તીબાજોએ કરી જાહેરાત, પહેલવાનોએ ટ્વિટ કરી આપી જાણકારી, જાણો વિગતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-26 15:08:38

દેશની રાજધાની દિલ્હીમાં ઘણા મહિનાઓથી પહેલવાનો WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. જંતર મંતર ખાતે ધરણા પર બેસી પૂર્વ અધ્યક્ષ વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા સમયથી તેઓ ધરણા પ્રદર્શન ન કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે કુસ્તીબાજો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે રોડ પર લડાઈ ન લડી કોર્ટમાં લડાઈ લડશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.


અમિત શાહ તેમજ અનુરાગ ઠાકુર સાથે કરી હતી મુલાકાત  

બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કુસ્તીબાજો ઘણા મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. ઘણા મહિનાઓ માટે કુસ્તીબાજોએ જંતર મંતરને પોતાનું ઘર બનાવી લીધું હતું. ત્યારે થોડા સમયથી તેઓ ધરણા સ્થળ પર ધરણા નથી કરી રહેલા. જ્યારે કુસ્તીબાજો આંદોલન કરી રહ્યા હતા તે દરમિયાન અનેક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. ત્યારે થોડા સમય પહેલા કુસ્તીબાજોએ અમિત શાહ સાથે અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી. જે બાદ પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 

ત્રણેય કુસ્તીબાજોએ ટ્વિટ કરી આપી જાણકારી   

નેતાઓ સાથે બેઠક કર્યા બાદ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે આજે કઈ દિશામાં આંદોલન જશે તે અંગે કુસ્તીબાજોએ એલાન કર્યું છે. મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક, બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટે ટ્વિટ આપી માહિતી આપી હતી. ત્રણેય કુસ્તીબાજોએ લખ્યું કે 7 જૂને સરકાર સાથે વાતચીત થઈ હતી. કુસ્તીબાજો સાથે આપેલા વચન બાદ, સરકારે મહિલા કુસ્તી ખેલાડીઓ દ્વારા રેસલર્સની જાતીય શોષણ અંગેની ફરિયાદ કરતા FIR નોંધી હતી. દિલ્હી પોલીસે તપાસ પૂર્ણ કરી છે અને 15મી જૂને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કિસ્સામાં, કુસ્તીબાજોની કાનૂની લડાઈ કોર્ટમાં ચાલુ રહેશે.   



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.