આંદોલન ખતમ કરવાની કુસ્તીબાજોએ કરી જાહેરાત, પહેલવાનોએ ટ્વિટ કરી આપી જાણકારી, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-26 15:08:38

દેશની રાજધાની દિલ્હીમાં ઘણા મહિનાઓથી પહેલવાનો WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. જંતર મંતર ખાતે ધરણા પર બેસી પૂર્વ અધ્યક્ષ વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા સમયથી તેઓ ધરણા પ્રદર્શન ન કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે કુસ્તીબાજો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે રોડ પર લડાઈ ન લડી કોર્ટમાં લડાઈ લડશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.


અમિત શાહ તેમજ અનુરાગ ઠાકુર સાથે કરી હતી મુલાકાત  

બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કુસ્તીબાજો ઘણા મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. ઘણા મહિનાઓ માટે કુસ્તીબાજોએ જંતર મંતરને પોતાનું ઘર બનાવી લીધું હતું. ત્યારે થોડા સમયથી તેઓ ધરણા સ્થળ પર ધરણા નથી કરી રહેલા. જ્યારે કુસ્તીબાજો આંદોલન કરી રહ્યા હતા તે દરમિયાન અનેક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. ત્યારે થોડા સમય પહેલા કુસ્તીબાજોએ અમિત શાહ સાથે અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી. જે બાદ પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 

ત્રણેય કુસ્તીબાજોએ ટ્વિટ કરી આપી જાણકારી   

નેતાઓ સાથે બેઠક કર્યા બાદ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે આજે કઈ દિશામાં આંદોલન જશે તે અંગે કુસ્તીબાજોએ એલાન કર્યું છે. મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક, બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટે ટ્વિટ આપી માહિતી આપી હતી. ત્રણેય કુસ્તીબાજોએ લખ્યું કે 7 જૂને સરકાર સાથે વાતચીત થઈ હતી. કુસ્તીબાજો સાથે આપેલા વચન બાદ, સરકારે મહિલા કુસ્તી ખેલાડીઓ દ્વારા રેસલર્સની જાતીય શોષણ અંગેની ફરિયાદ કરતા FIR નોંધી હતી. દિલ્હી પોલીસે તપાસ પૂર્ણ કરી છે અને 15મી જૂને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કિસ્સામાં, કુસ્તીબાજોની કાનૂની લડાઈ કોર્ટમાં ચાલુ રહેશે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.