કુસ્તીબાજોની આર કે પારની લડાઈ! નોકરી પર પરત ફરેલા કુસ્તીબાજોએ નોકરી છોડવાની આપી ધમકી! જો ન્યાયના રસ્તામાં નોકરી આવશે તો....


  • Published By :
  • Published Date : 2023-06-06 09:16:25

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનો અડીખમ દેખાઈ રહ્યા છે. ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા હતા કે બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ જે આંદોલન ચાલી રહ્યું છે તે પહેલવાનોએ પાછું ખેંચી લીધું છે. સાક્ષી મલિક સહિતના પહેલવાનોએ આંદોલન છોડી દીધું છે તેવા સમાચાર વહેતા થયા હતા. મળતી માહિતી અનુસાર રેલવે નોકરી પર તેઓ સોમવારે પરત ફર્યા પરંતુ આંદોલન યથવાત રાખવાની વાત કરી હતી. ત્યારે બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે રેલવે નોકરી છોડવાની ધમકી આપી છે. જો ન્યાય માટે રેલવે નોકરી બાધક બનશે તો નોકરી છોડવામાં અમને ટાઈમ નહીં લાગે.

       

પોતાના મેડલને ગંગામાં વહાવી દેવાની કરી હતી વાત!

જ્યારથી પહેલવાનો ધરણા કરવા બેઠા ત્યારથી તમામની નજર પહેલવાનો પર હતી. દિલ્હીથી પણ આ મામલે સતત અપડેટ આવતા હતા. અનેક રાજકીય નેતાઓ કુસ્તીબાજો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા, અને તે બાદ કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. અનેક દિવસો સુધી કોઈ કાર્યવાહી ન કરાતા પહેલવાનોએ પોતાના મેડલને ગંગામાં વહાવી દેવાની વાત કરી હતી. પરંતુ છેલ્લી ઘડીએ તેમણે આ નિર્ણયને કેન્સલ કરી દીધો હતો. 


કુસ્તીબાજોએ કરી હતી અમિત શાહ સાથે મુલાકાત!

ત્યારે થોડા દિવસ પહેલા કુસ્તીબાજોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હોય એવા સમાચાર સામે આવ્યા હતા. કાર્યવાહીને લઈ અમિત શાહે ખાતરી કુસ્તીબાજોને આપી હતી. અમિત શાહ સાથે થયેલી મુલાકાત બાદ ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા કે સાક્ષી મલિક સહિતના કુસ્તીબાજોએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું છે. પરંતુ આ વાતોનો કુસ્તીબાજોએ ઈન્કાર કર્યો અને આંદોલન ચાલું રાખવાની વાત કરી. મળતી માહિતી અનુસાર એ વાત સત્ય છે કે પહેલવાનો પોતાની રેલવે નોકરી પર પરત ફર્યા છે પરંતુ આંદોલન ચાલુ રાખ્યું છે તેવું તેમનું કહેવું છે. 

કુસ્તીબાજોએ રેલવે નોકરી છોડવાની આપી ધમકી! 

આ બધા વચ્ચે બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે રેલવેની નોકરી છોડવા અંગેની વાત કહી છે. નોકરી છોડવાની ધમકી આપતા તેમણે કહ્યું કે અગર ન્યાય માટેના રસ્તા પર જો નોકરી બાધક બનશે તો નોકરી છોડતા તેમને થોડો પણ ટાઈમ નહીં લાગે. મહત્વનું છે કે સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે સોમવારે રેલવે નોકરી પર પરત ફર્યા છે. ત્યારે રેલવે નોકરી પર જયા પછી જ કુસ્તીબાજોએ આંદોલન માટે નોકરી છોડવાની ધમકી આપી દીધી હતી. તે સિવાય અફવાઓથી દૂર રહેવા પણ કુસ્તીબાજોએ અપીલ કરી હતી.  હવે જોવું રહ્યું કે આંદોલનમાં શું નવી અપડેટ આવશે?   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.