કુસ્તીબાજોની આર કે પારની લડાઈ! નોકરી પર પરત ફરેલા કુસ્તીબાજોએ નોકરી છોડવાની આપી ધમકી! જો ન્યાયના રસ્તામાં નોકરી આવશે તો....


  • Published By :
  • Published Date : 2023-06-06 09:16:25

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનો અડીખમ દેખાઈ રહ્યા છે. ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા હતા કે બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ જે આંદોલન ચાલી રહ્યું છે તે પહેલવાનોએ પાછું ખેંચી લીધું છે. સાક્ષી મલિક સહિતના પહેલવાનોએ આંદોલન છોડી દીધું છે તેવા સમાચાર વહેતા થયા હતા. મળતી માહિતી અનુસાર રેલવે નોકરી પર તેઓ સોમવારે પરત ફર્યા પરંતુ આંદોલન યથવાત રાખવાની વાત કરી હતી. ત્યારે બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે રેલવે નોકરી છોડવાની ધમકી આપી છે. જો ન્યાય માટે રેલવે નોકરી બાધક બનશે તો નોકરી છોડવામાં અમને ટાઈમ નહીં લાગે.

       

પોતાના મેડલને ગંગામાં વહાવી દેવાની કરી હતી વાત!

જ્યારથી પહેલવાનો ધરણા કરવા બેઠા ત્યારથી તમામની નજર પહેલવાનો પર હતી. દિલ્હીથી પણ આ મામલે સતત અપડેટ આવતા હતા. અનેક રાજકીય નેતાઓ કુસ્તીબાજો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા, અને તે બાદ કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. અનેક દિવસો સુધી કોઈ કાર્યવાહી ન કરાતા પહેલવાનોએ પોતાના મેડલને ગંગામાં વહાવી દેવાની વાત કરી હતી. પરંતુ છેલ્લી ઘડીએ તેમણે આ નિર્ણયને કેન્સલ કરી દીધો હતો. 


કુસ્તીબાજોએ કરી હતી અમિત શાહ સાથે મુલાકાત!

ત્યારે થોડા દિવસ પહેલા કુસ્તીબાજોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હોય એવા સમાચાર સામે આવ્યા હતા. કાર્યવાહીને લઈ અમિત શાહે ખાતરી કુસ્તીબાજોને આપી હતી. અમિત શાહ સાથે થયેલી મુલાકાત બાદ ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા કે સાક્ષી મલિક સહિતના કુસ્તીબાજોએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું છે. પરંતુ આ વાતોનો કુસ્તીબાજોએ ઈન્કાર કર્યો અને આંદોલન ચાલું રાખવાની વાત કરી. મળતી માહિતી અનુસાર એ વાત સત્ય છે કે પહેલવાનો પોતાની રેલવે નોકરી પર પરત ફર્યા છે પરંતુ આંદોલન ચાલુ રાખ્યું છે તેવું તેમનું કહેવું છે. 

કુસ્તીબાજોએ રેલવે નોકરી છોડવાની આપી ધમકી! 

આ બધા વચ્ચે બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે રેલવેની નોકરી છોડવા અંગેની વાત કહી છે. નોકરી છોડવાની ધમકી આપતા તેમણે કહ્યું કે અગર ન્યાય માટેના રસ્તા પર જો નોકરી બાધક બનશે તો નોકરી છોડતા તેમને થોડો પણ ટાઈમ નહીં લાગે. મહત્વનું છે કે સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે સોમવારે રેલવે નોકરી પર પરત ફર્યા છે. ત્યારે રેલવે નોકરી પર જયા પછી જ કુસ્તીબાજોએ આંદોલન માટે નોકરી છોડવાની ધમકી આપી દીધી હતી. તે સિવાય અફવાઓથી દૂર રહેવા પણ કુસ્તીબાજોએ અપીલ કરી હતી.  હવે જોવું રહ્યું કે આંદોલનમાં શું નવી અપડેટ આવશે?   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.