કુસ્તીબાજોની આર કે પારની લડાઈ! નોકરી પર પરત ફરેલા કુસ્તીબાજોએ નોકરી છોડવાની આપી ધમકી! જો ન્યાયના રસ્તામાં નોકરી આવશે તો....


  • Published By :
  • Published Date : 2023-06-06 09:16:25

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનો અડીખમ દેખાઈ રહ્યા છે. ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા હતા કે બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ જે આંદોલન ચાલી રહ્યું છે તે પહેલવાનોએ પાછું ખેંચી લીધું છે. સાક્ષી મલિક સહિતના પહેલવાનોએ આંદોલન છોડી દીધું છે તેવા સમાચાર વહેતા થયા હતા. મળતી માહિતી અનુસાર રેલવે નોકરી પર તેઓ સોમવારે પરત ફર્યા પરંતુ આંદોલન યથવાત રાખવાની વાત કરી હતી. ત્યારે બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે રેલવે નોકરી છોડવાની ધમકી આપી છે. જો ન્યાય માટે રેલવે નોકરી બાધક બનશે તો નોકરી છોડવામાં અમને ટાઈમ નહીં લાગે.

       

પોતાના મેડલને ગંગામાં વહાવી દેવાની કરી હતી વાત!

જ્યારથી પહેલવાનો ધરણા કરવા બેઠા ત્યારથી તમામની નજર પહેલવાનો પર હતી. દિલ્હીથી પણ આ મામલે સતત અપડેટ આવતા હતા. અનેક રાજકીય નેતાઓ કુસ્તીબાજો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા, અને તે બાદ કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. અનેક દિવસો સુધી કોઈ કાર્યવાહી ન કરાતા પહેલવાનોએ પોતાના મેડલને ગંગામાં વહાવી દેવાની વાત કરી હતી. પરંતુ છેલ્લી ઘડીએ તેમણે આ નિર્ણયને કેન્સલ કરી દીધો હતો. 


કુસ્તીબાજોએ કરી હતી અમિત શાહ સાથે મુલાકાત!

ત્યારે થોડા દિવસ પહેલા કુસ્તીબાજોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હોય એવા સમાચાર સામે આવ્યા હતા. કાર્યવાહીને લઈ અમિત શાહે ખાતરી કુસ્તીબાજોને આપી હતી. અમિત શાહ સાથે થયેલી મુલાકાત બાદ ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા કે સાક્ષી મલિક સહિતના કુસ્તીબાજોએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું છે. પરંતુ આ વાતોનો કુસ્તીબાજોએ ઈન્કાર કર્યો અને આંદોલન ચાલું રાખવાની વાત કરી. મળતી માહિતી અનુસાર એ વાત સત્ય છે કે પહેલવાનો પોતાની રેલવે નોકરી પર પરત ફર્યા છે પરંતુ આંદોલન ચાલુ રાખ્યું છે તેવું તેમનું કહેવું છે. 

કુસ્તીબાજોએ રેલવે નોકરી છોડવાની આપી ધમકી! 

આ બધા વચ્ચે બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે રેલવેની નોકરી છોડવા અંગેની વાત કહી છે. નોકરી છોડવાની ધમકી આપતા તેમણે કહ્યું કે અગર ન્યાય માટેના રસ્તા પર જો નોકરી બાધક બનશે તો નોકરી છોડતા તેમને થોડો પણ ટાઈમ નહીં લાગે. મહત્વનું છે કે સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે સોમવારે રેલવે નોકરી પર પરત ફર્યા છે. ત્યારે રેલવે નોકરી પર જયા પછી જ કુસ્તીબાજોએ આંદોલન માટે નોકરી છોડવાની ધમકી આપી દીધી હતી. તે સિવાય અફવાઓથી દૂર રહેવા પણ કુસ્તીબાજોએ અપીલ કરી હતી.  હવે જોવું રહ્યું કે આંદોલનમાં શું નવી અપડેટ આવશે?   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.