કુસ્તીબાજોએ મેડલ ગંગામાં વહાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો, સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2023-05-30 20:55:46

બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજોએ હરિદ્વારમાં તેમના મેડલ ગંગામાં વહાવ્યા નથી. તેમણે ખેડૂત નેતા નરેશ ટિકૈતને મેડલ સોંપી દીધા છે. તમામ કુસ્તીબાજો હાલ દિલ્હી પરત ફરી રહ્યા છે. કુસ્તીબાજોએ જાહેરાત કરી હતી કે તેઓ આજે સાંજે 6 વાગ્યે તેમના મેડલ ગંગામાં વહાવી દેશે. કુસ્તીબાજો સાંજ થતાં સુધીમાં તો હરદ્વાર પહોંચી ગયા હતા. કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડા અને આપના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓએ કુસ્તીબાજોને તેમના મેડલ ન વહાવવાની અપીલ કરી હતી. કુસ્તીબાજોને સમજાવવા માટે ખેડૂત આગેવાનો પણ હરિદ્વાર પહોંચ્યા હતા.


નરેશ ટિકૈતના સમજાવવાથી રેસલર પાછા ફર્યા


ભારતીય કિસાન યુનિયન ટિકૈતના રાષ્ટ્રીય પ્રવક્તા નરેશ ટિકૈત કુસ્તીબાજોને મળવા હરદ્વાર પહોંચ્યા હતા, તેમણે કુસ્તીબાજોને લાંબા સમય સુધી સમજાવ્યા હતા. તેમણે કુસ્તીબાજોને આશ્વાસન આપ્યું હતું કે તે કુસ્તીબાજોને ન્યાય અપાવવા માટે વાતચીત કરશે. નરેશ ટિકૈતે કુસ્તીબાજો પાસે 5 દિવસનો સમય માગ્યો છે. નરેશ ટિકૈતે ભરોસો આપ્યો તેના લગભગ અઢી કલાક બાદ કુસ્તીબાજો પરત ફર્યા હતા.


મેડલને વિસર્જીત ન કરવાની રાકેશ ટિકૈતની અપીલ  


ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં વિસર્જીત ન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, આ મેડલ દેશ અને ત્રિરંગાનું ગૌરવ છે.અમે તમામ કુસ્તીબાજોને વિનંતી કરીએ છીએ કે આવું પગલું ન ભરે. તમે તમારી રમતથી દેશને ગૌરવ અપાવ્યું છે અમે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને વિનંતી કરીએ છીએ કે તેઓ આ બાબતને ધ્યાને લે અને જલદી કુસ્તીબાજો સાથે વાતચીત કરે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.