પહેલવાનોએ કરી અમિત શાહ સાથે બેઠક! શું સ્વીકારાશે કુસ્તીબાજોની માગ? અમિત શાહે કુસ્તીબાજોને શેની આપી ખાતરી?


  • Published By :
  • Published Date : 2023-06-05 13:51:27

કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આ મામલે રોજે કોઈને કોઈ અપડેટ આવી રહ્યા છે. ત્યારે કુસ્તીબાજોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી છે તેવા સમાચારો સામે આવી છે. અમિત શાહના નિવાસસ્થાને શનિવાર રાત્રે આ મિટીંગ થઈ હતી અને લગભગ ડોઢ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં બજરંગ પૂનિયા, સાક્ષી મલિક સહિત અનેક કુસ્તીબાજો હાજર રહ્યા હતા. એવી માહિતી પણ સામે આવી રહી છે કે અમિત શાહે ભેદભાવ વગર આ મામલે તપાસ કરાશે તેવી ખાતરી આપી છે.  


અનેક ખેલાડીઓએ આપ્યું છે કુસ્તીબાજોને સમર્થન!

લાંબા સમયથી બીજેપીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજો ધરણાના મેદાનમાં ઉતર્યા છે. યૌન શોષણના આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારે તેમના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં તેવી માગ સાથે ઘણા દિવસો સુધી દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. બ્રિજભૂષણ વિરૂદ્ધ કેસ દાખલ કરાવવા પહેલવાનોએ સુપ્રીમ કોર્ટ જવું પડ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ધરણા દરમિયાન પહેલવાનોને અનેક રાજકીય પાર્ટીના નેતાઓનું સમર્થન મળ્યું ઉપરાંત વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પણ આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. 


અમિત શાહ સાથે કુસ્તીબાજોએ કરી બેઠક! 

આ મામલે કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. પીએમ મોદી, અમિત શાહ સહિત ભાજપના નેતાઓ આ મામલે કેમ મૌન છે તેવા અનેક પ્રશ્નો કોંગ્રેસના નેતાઓ દ્વારા વારંવાર પૂછવામાં આવ્યા હતા. ત્યારે અમિત શાહે કુસ્તીબાજો સાથે બેઠક કરી છે તેવા સમાચાર સામે આવ્યા છે.  અમિત શાહ સમક્ષ બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી માગ કુસ્તીબાજોએ રાખી છે. શનિવારે યોજાયેલી મીટિંગમાં બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત અનેક કોચ હાજર રહ્યા હતા. દોઢ બે કલાક સુધી બેઠક ચાલી હતી. બેઠક દરમિયાન અમિત શાહે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી કુસ્તીબાજોને આપી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? અને જો કાર્યવાહી કરવામાં આવશે તો કેવી કરાશે?  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.