પહેલવાનોએ કરી અમિત શાહ સાથે બેઠક! શું સ્વીકારાશે કુસ્તીબાજોની માગ? અમિત શાહે કુસ્તીબાજોને શેની આપી ખાતરી?


  • Published By :
  • Published Date : 2023-06-05 13:51:27

કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આ મામલે રોજે કોઈને કોઈ અપડેટ આવી રહ્યા છે. ત્યારે કુસ્તીબાજોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી છે તેવા સમાચારો સામે આવી છે. અમિત શાહના નિવાસસ્થાને શનિવાર રાત્રે આ મિટીંગ થઈ હતી અને લગભગ ડોઢ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં બજરંગ પૂનિયા, સાક્ષી મલિક સહિત અનેક કુસ્તીબાજો હાજર રહ્યા હતા. એવી માહિતી પણ સામે આવી રહી છે કે અમિત શાહે ભેદભાવ વગર આ મામલે તપાસ કરાશે તેવી ખાતરી આપી છે.  


અનેક ખેલાડીઓએ આપ્યું છે કુસ્તીબાજોને સમર્થન!

લાંબા સમયથી બીજેપીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજો ધરણાના મેદાનમાં ઉતર્યા છે. યૌન શોષણના આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારે તેમના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં તેવી માગ સાથે ઘણા દિવસો સુધી દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. બ્રિજભૂષણ વિરૂદ્ધ કેસ દાખલ કરાવવા પહેલવાનોએ સુપ્રીમ કોર્ટ જવું પડ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ધરણા દરમિયાન પહેલવાનોને અનેક રાજકીય પાર્ટીના નેતાઓનું સમર્થન મળ્યું ઉપરાંત વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પણ આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. 


અમિત શાહ સાથે કુસ્તીબાજોએ કરી બેઠક! 

આ મામલે કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. પીએમ મોદી, અમિત શાહ સહિત ભાજપના નેતાઓ આ મામલે કેમ મૌન છે તેવા અનેક પ્રશ્નો કોંગ્રેસના નેતાઓ દ્વારા વારંવાર પૂછવામાં આવ્યા હતા. ત્યારે અમિત શાહે કુસ્તીબાજો સાથે બેઠક કરી છે તેવા સમાચાર સામે આવ્યા છે.  અમિત શાહ સમક્ષ બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી માગ કુસ્તીબાજોએ રાખી છે. શનિવારે યોજાયેલી મીટિંગમાં બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત અનેક કોચ હાજર રહ્યા હતા. દોઢ બે કલાક સુધી બેઠક ચાલી હતી. બેઠક દરમિયાન અમિત શાહે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી કુસ્તીબાજોને આપી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? અને જો કાર્યવાહી કરવામાં આવશે તો કેવી કરાશે?  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.