રેસલર્સને કપિલ દેવની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમનું મળ્યું સમર્થન, ટીમે સંયુક્ત નિવેદન જાહેર કરી કુસ્તીબાજોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-06-02 19:04:17

ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગને લઇને આંદોલન કરી રહેલા રેસલર્સના સમર્થનમાં કપિલ દેવની આગેવાનીવાળી 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ આવી છે. વિરોધ કરી રહેલા રેસલર્સ તેમના મેડલ્સને પવિત્ર ગંગા નદીમાં વિસર્જિત કરવાનું પગલું ભરી શકે છે તે બાબત ચિંતિત કરનારી બાબત છે. 1983ની વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ ટીમના સભ્યોએ શુક્રવારે રેસલર્સને ઉતાવળમાં નિર્ણય ન લેવા વિનંતી કરી હતી. આ સિનિયર ક્રિકેટરોએ આશા વ્યક્ત કરી હતી કે તેમની ફરિયાદો સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવામાં આવશે.


મેડલ્સ ગંગામાં ન વહાવવાની અપીલ કરી


વર્ષ 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવી છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ તમામે સંયુક્ત નિવેદન જારી કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન વહાવવાની અપીલ કરી છે.


નિવેદનમાં આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ કહ્યું છે કે કુસ્તીબાજો સાથે જે થયું તે દુઃખદ છે, પરંતુ તેઓએ પોતાના મહેનતથી કમાયેલા મેડલને ગંગામાં વહાવવા જોઈએ નહીં. 1983ની ચેમ્પિયન ટીમે કહ્યું કે કુસ્તીબાજોએ દેશનું નામ રોશન કર્યું છે. તેમણે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કુસ્તીબાજોની માંગ સાંભળવામાં આવશે.


વર્ષ 1983માં આ ટીમે ઈતિહાસ રચ્યો હતો


કપિલ દેવના નેતૃત્વમાં 1983માં ભારતીય ક્રિકેટ ટીમે મજબૂત ક્લાઈવ લોઈડની આગેવાની હેઠળની વેસ્ટ ઈન્ડીઝની ટીમને સૌપ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટીમમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, મોહિન્દર અમરનાથ, કે શ્રીકાંત, સૈયદ કિરમાણી, યશપાલ શર્મા, મદદ લાલ, બલવિંદર સિંહ સંધૂ, સંદિપ પાટિલ, કિર્તી આઝાદ, રોજર બિન્ની અને રવિ શાસ્ત્રી હતા. આ ટીમના સભ્ય રોજર બિન્નીનો પણ છે, જે હાલમાં BCCIના પ્રમુખ છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી