રેસલર્સને કપિલ દેવની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમનું મળ્યું સમર્થન, ટીમે સંયુક્ત નિવેદન જાહેર કરી કુસ્તીબાજોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-06-02 19:04:17

ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગને લઇને આંદોલન કરી રહેલા રેસલર્સના સમર્થનમાં કપિલ દેવની આગેવાનીવાળી 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ આવી છે. વિરોધ કરી રહેલા રેસલર્સ તેમના મેડલ્સને પવિત્ર ગંગા નદીમાં વિસર્જિત કરવાનું પગલું ભરી શકે છે તે બાબત ચિંતિત કરનારી બાબત છે. 1983ની વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ ટીમના સભ્યોએ શુક્રવારે રેસલર્સને ઉતાવળમાં નિર્ણય ન લેવા વિનંતી કરી હતી. આ સિનિયર ક્રિકેટરોએ આશા વ્યક્ત કરી હતી કે તેમની ફરિયાદો સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવામાં આવશે.


મેડલ્સ ગંગામાં ન વહાવવાની અપીલ કરી


વર્ષ 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવી છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ તમામે સંયુક્ત નિવેદન જારી કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન વહાવવાની અપીલ કરી છે.


નિવેદનમાં આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ કહ્યું છે કે કુસ્તીબાજો સાથે જે થયું તે દુઃખદ છે, પરંતુ તેઓએ પોતાના મહેનતથી કમાયેલા મેડલને ગંગામાં વહાવવા જોઈએ નહીં. 1983ની ચેમ્પિયન ટીમે કહ્યું કે કુસ્તીબાજોએ દેશનું નામ રોશન કર્યું છે. તેમણે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કુસ્તીબાજોની માંગ સાંભળવામાં આવશે.


વર્ષ 1983માં આ ટીમે ઈતિહાસ રચ્યો હતો


કપિલ દેવના નેતૃત્વમાં 1983માં ભારતીય ક્રિકેટ ટીમે મજબૂત ક્લાઈવ લોઈડની આગેવાની હેઠળની વેસ્ટ ઈન્ડીઝની ટીમને સૌપ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટીમમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, મોહિન્દર અમરનાથ, કે શ્રીકાંત, સૈયદ કિરમાણી, યશપાલ શર્મા, મદદ લાલ, બલવિંદર સિંહ સંધૂ, સંદિપ પાટિલ, કિર્તી આઝાદ, રોજર બિન્ની અને રવિ શાસ્ત્રી હતા. આ ટીમના સભ્ય રોજર બિન્નીનો પણ છે, જે હાલમાં BCCIના પ્રમુખ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.