દિલ્હીના જંતર-મંતર પર હોબાળો, સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોની પોલીસે કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-05-28 16:48:25

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયેલા વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, અને બજરંગ પૂનિયા સહિતના કુસ્તીબાજોની પોલીસે અટકાયત કરી છે. આ પહેલવાનો પોલીસને ઘેરો તોડીને સંસદ ભવનની સામે મહાપંચાયત કરવા માટે જઈ રહ્યા હતા. જો કે આવું કરે તે પહેલા જ પોલીસે તેમને રોકી લીધા હતા. પહેલવાનોનું કહેવું છે કે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ સરઘસ કાઢવાના હતા અને આ અમારો અધિકાર પણ છે.

 

કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ


વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે અને પહેલવાનોએ એકબીજાને ધક્કા પણ માર્યા હતા. વિનેશ ફોગાટ અને તેની બહેન સંગીતા ફોગાટે બેરિકેડ તોડવાના પ્ર યાસો કર્યા હતા. પોલીસે તમામ પહેલવાનોની બળપૂર્વક અટકાયત કરી હતી અને તેમને જબરદસ્તી બસોમાં બેસાડ્યા હતા. 


મહાપંચાયત ચોક્ક્સ થશે- બજરંગ પુનિયા


કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે આજે મહાપંચાયત જરૂર થશે. અમે તેની મંજુરી માટે અરજી કરી હતી. પોલીસ અમરા લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. પૂનિયાએ આરોપ લગાવ્યો કે પોલીસે અમારી સાથે ખરાબ વર્તન કર્યું છે. અમે સ્વાભિમાન માટે લડી રહ્યા છિએ, પરંતુ દેશમાં લોકશાહીની હત્યા કરી રહ્યા છે. અમે વહીવટી તંત્રને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા લોકોને મુક્ત કરવાની માગ કરીએ છિએ.  


હજારો પોલીસકર્મીઓ તૈનાત કરાયા


પહેલવાનો દ્વારા મહિલા સન્માન મહાપંચાયતનું આહવાન કરાયા બાદ દિલ્હી સ્થિત જંતર-મંતર પર કડક સુરક્ષા બંદોબસ્ત કર્યો હતો. હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, અનેક સ્થળોએ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. સંસદ ભવનથી લગભગ બે કિમી દુર બેસીને પ્રદર્શન કરી રહેલા પહેલવાનોનું  કહેવું હતું કે અમે કોઈ પણ કિંમત પર નવા સંસદ ભવન નજીક મહાપંચાયત કરીશું જ 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.