દિલ્હીના જંતર-મંતર પર હોબાળો, સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોની પોલીસે કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-05-28 16:48:25

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયેલા વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, અને બજરંગ પૂનિયા સહિતના કુસ્તીબાજોની પોલીસે અટકાયત કરી છે. આ પહેલવાનો પોલીસને ઘેરો તોડીને સંસદ ભવનની સામે મહાપંચાયત કરવા માટે જઈ રહ્યા હતા. જો કે આવું કરે તે પહેલા જ પોલીસે તેમને રોકી લીધા હતા. પહેલવાનોનું કહેવું છે કે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ સરઘસ કાઢવાના હતા અને આ અમારો અધિકાર પણ છે.

 

કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ


વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે અને પહેલવાનોએ એકબીજાને ધક્કા પણ માર્યા હતા. વિનેશ ફોગાટ અને તેની બહેન સંગીતા ફોગાટે બેરિકેડ તોડવાના પ્ર યાસો કર્યા હતા. પોલીસે તમામ પહેલવાનોની બળપૂર્વક અટકાયત કરી હતી અને તેમને જબરદસ્તી બસોમાં બેસાડ્યા હતા. 


મહાપંચાયત ચોક્ક્સ થશે- બજરંગ પુનિયા


કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે આજે મહાપંચાયત જરૂર થશે. અમે તેની મંજુરી માટે અરજી કરી હતી. પોલીસ અમરા લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. પૂનિયાએ આરોપ લગાવ્યો કે પોલીસે અમારી સાથે ખરાબ વર્તન કર્યું છે. અમે સ્વાભિમાન માટે લડી રહ્યા છિએ, પરંતુ દેશમાં લોકશાહીની હત્યા કરી રહ્યા છે. અમે વહીવટી તંત્રને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા લોકોને મુક્ત કરવાની માગ કરીએ છિએ.  


હજારો પોલીસકર્મીઓ તૈનાત કરાયા


પહેલવાનો દ્વારા મહિલા સન્માન મહાપંચાયતનું આહવાન કરાયા બાદ દિલ્હી સ્થિત જંતર-મંતર પર કડક સુરક્ષા બંદોબસ્ત કર્યો હતો. હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, અનેક સ્થળોએ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. સંસદ ભવનથી લગભગ બે કિમી દુર બેસીને પ્રદર્શન કરી રહેલા પહેલવાનોનું  કહેવું હતું કે અમે કોઈ પણ કિંમત પર નવા સંસદ ભવન નજીક મહાપંચાયત કરીશું જ 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.