28 મેના રોજ સંસદ ભવનના નવા બિલ્ડીંગનું PM મોદી કરશે ઉદ્ઘાટન, કુસ્તીબાજો યોજશે મહિલા મહાપંચાયત


  • Published By :
  • Published Date : 2023-05-23 21:42:52

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનો વિરોધ એક મહિનાથી ચાલુ છે. કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે કહ્યું કે 28 મેના રોજ નવી સંસદ ભવન સામે મહિલા મહાપંચાયત બોલાવવામાં આવી છે. બ્રિજ ભૂષણની ધરપકડ માટે આ શાંતિપૂર્ણ પંચાયત હશે.


કુસ્તીબાજોનું કર્તવ્ય પથ પર પ્રદર્શન  


બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ માટે કુસ્તીબાજો આજે એટલે કે 23મી મેની સાંજે ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહ્યું હતું. તેઓ મીણબત્તી (કેન્ડલ માર્ચ) પ્રગટાવીને બ્રિજ ભૂષણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન, કુસ્તીબાજોના સમર્થનમાં કર્તવ્ય પથ પર કેન્ડલ માર્ચ દરમિયાન ભીડ પણ ઉમટી હતી.


PM મોદી 28 મેના રોજ નવી સંસદનું ઉદ્ઘાટન કરશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે વડા પ્રધાન મોદીને મળ્યા હતા અને તેમને નવનિર્મિત સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ તેનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી હતી. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, લોકસભા અને રાજ્યસભાએ સરકારને સંસદ માટે નવી ઇમારત બાંધવા વિનંતી કરી હતી. આ પછી, 10 ડિસેમ્બર 2020 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.