કુસ્તી સંઘના અધ્યક્ષ સામે પહેલવાનોએ ફરી મોરચો ખોલ્યો, બ્રિજ ભૂષણ સિંહ સામે કાર્યવાહીની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-04-23 20:02:54

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે સામે ફરી એકવાર  પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથેના વિવાદને લઈને આજે જંતર-મંતર ખાતે રેસલર્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સાથે ધરણ પર બેઠેલા પહેલાવાનોએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.


WFI અધ્યક્ષ સામેનો તપાસ રિપોર્ટ જાહેર કરો


મીડિયા સાથે વાત કરતા સાક્ષી મલિકે કહ્યું કે  WFI અધ્યક્ષ સામેના તપાસ રિપોર્ટની રાહ જોતા અઢી મહિના વીતી ગયા, અમને એ પણ ખબર નથી કે રિપોર્ટ રજુ થયો છે કે નહીં. અમને હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી. હવે રિપોર્ટ બધાની સામે આવવો જોઈએ. સિસ્ટમમાં બેઠેલા લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે, લોકો અમને જુઠ્ઠા કહી રહ્યા છે, લોકો અમારી કામગીરી વિશે જુઠ્ઠું બોલી રહ્યા છે, અમે આ સહન નહીં કરીએ. આ કેસમાં બે દિવસ પણ ન લાગવા જોઈએ, છોકરી સગીર છે. આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. અમારી ફરિયાદ નાની નથી, અમે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે અને આ સત્યની લડાઈ છે અને અમે જીતીશું.


WFI અધ્યક્ષ પર આરોપ શું છે?


પહેલવાનોનો આરોપ છે કે રેસલર ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બૃજભૂષણ સિંહે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને ખેલાડીઓને ગાળો પણ આપી હતી. પહેલવાનોએ કહ્યું હતું કે અમે અહીં રમવા આવ્યા છીએ, તેઓ ખાસ કરીને ખેલાડીઓ અને રાજ્યને ટાર્ગેટ કરે છે. વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ પર મહિલા પહેલવાન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેમણે કોચને લઈને પણ કહ્યું હતું કે તેઓ યૌન ઉત્પીડન કરે છે. મેં અવાજ ઉઠાવ્યો હતો. WFI અધ્યક્ષ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કરે છે. પહેલવાનોનું કહેવું છે કે તેઓ આ લડાઈ છેલ્લે સુધી લડશે.


WFI અધ્યક્ષની થઈ હતી હંગામી હકાલપટ્ટી


મહિલા પહેલવાન પર યૌન ઉત્પીડનન આરોપ સાથે કુસ્તીબાજોનું પ્રદર્શન જાન્યુઆરીમાં ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથેની વાતચીત બાદ કુસ્તીબાજોએ હડતાળ પાછી ખેંચી હતી. તે સમયે બ્રિજ ભૂષણ શરણ સિંહને રેસલિંગ એસોસિએશનના અધ્યક્ષ પદ પરથી હંગામી ધોરણે હટાવી દેવામાં આવ્યા હતા અને તેમની સામેના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.