કુસ્તી સંઘના અધ્યક્ષ સામે પહેલવાનોએ ફરી મોરચો ખોલ્યો, બ્રિજ ભૂષણ સિંહ સામે કાર્યવાહીની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-04-23 20:02:54

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે સામે ફરી એકવાર  પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથેના વિવાદને લઈને આજે જંતર-મંતર ખાતે રેસલર્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સાથે ધરણ પર બેઠેલા પહેલાવાનોએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.


WFI અધ્યક્ષ સામેનો તપાસ રિપોર્ટ જાહેર કરો


મીડિયા સાથે વાત કરતા સાક્ષી મલિકે કહ્યું કે  WFI અધ્યક્ષ સામેના તપાસ રિપોર્ટની રાહ જોતા અઢી મહિના વીતી ગયા, અમને એ પણ ખબર નથી કે રિપોર્ટ રજુ થયો છે કે નહીં. અમને હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી. હવે રિપોર્ટ બધાની સામે આવવો જોઈએ. સિસ્ટમમાં બેઠેલા લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે, લોકો અમને જુઠ્ઠા કહી રહ્યા છે, લોકો અમારી કામગીરી વિશે જુઠ્ઠું બોલી રહ્યા છે, અમે આ સહન નહીં કરીએ. આ કેસમાં બે દિવસ પણ ન લાગવા જોઈએ, છોકરી સગીર છે. આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. અમારી ફરિયાદ નાની નથી, અમે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે અને આ સત્યની લડાઈ છે અને અમે જીતીશું.


WFI અધ્યક્ષ પર આરોપ શું છે?


પહેલવાનોનો આરોપ છે કે રેસલર ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બૃજભૂષણ સિંહે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને ખેલાડીઓને ગાળો પણ આપી હતી. પહેલવાનોએ કહ્યું હતું કે અમે અહીં રમવા આવ્યા છીએ, તેઓ ખાસ કરીને ખેલાડીઓ અને રાજ્યને ટાર્ગેટ કરે છે. વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ પર મહિલા પહેલવાન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેમણે કોચને લઈને પણ કહ્યું હતું કે તેઓ યૌન ઉત્પીડન કરે છે. મેં અવાજ ઉઠાવ્યો હતો. WFI અધ્યક્ષ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કરે છે. પહેલવાનોનું કહેવું છે કે તેઓ આ લડાઈ છેલ્લે સુધી લડશે.


WFI અધ્યક્ષની થઈ હતી હંગામી હકાલપટ્ટી


મહિલા પહેલવાન પર યૌન ઉત્પીડનન આરોપ સાથે કુસ્તીબાજોનું પ્રદર્શન જાન્યુઆરીમાં ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથેની વાતચીત બાદ કુસ્તીબાજોએ હડતાળ પાછી ખેંચી હતી. તે સમયે બ્રિજ ભૂષણ શરણ સિંહને રેસલિંગ એસોસિએશનના અધ્યક્ષ પદ પરથી હંગામી ધોરણે હટાવી દેવામાં આવ્યા હતા અને તેમની સામેના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .