જંતર મંતર ખાતે કુસ્તીબાજોના ધરણા યથાવત! WFI અધ્યક્ષ વિરૂદ્ધ ખેલાડીઓએ ખોલ્યો છે મોરચો! જાણો શું છે લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-03 16:27:26

છેલ્લા ઘણા દિવસથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે પરંતુ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કુસ્તીબાજોને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. પરંતુ કુસ્તીબાજોએ પોલીસ સુરક્ષા લેવાની ના પાડી દીધી છે. ખેલાડીઓએ કહ્યું કે જો તે જંતર મંતર પર સુરક્ષિત નથી તો તે ક્યાંય પણ સુરક્ષિત નથી. તો ધરણા પ્રદર્શનને સમર્થન આપવા વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું. જેને લઈ વિદ્યાર્થીઓ સમર્થન આપવા પહોંચ્યા હતા. બજરંગ પૂનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી  જેમાં વિદ્યાર્થીઓનો સાથ માગ્યો છે. પહેલવાનોના સમર્થનમાં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવવાના હતા. પરંતુ મળતી માહિતી અનુસાર પોલીસે તેમને રોકી દીધા , અભદ્ર વ્યવહાર કર્યો  અને મારપીટ પણ કરી હતી.    


પોલીસ સુરક્ષા લેવાનો કુસ્તીબાજોએ કર્યો ઈન્કાર! 

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી અંતરાષ્ટ્રીય સ્તરે દેશને ગોરવ અપાવનારા ખેલાડીઓ ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ સિંહ સામે કડક પગલા લેવામાં આવે તેવી તેમની માગ છે. WFIના અધ્યક્ષ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી, અભદ્રતા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કુસ્તીબાજો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ પણ પગલા લેવામાં ન આવતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કેસ દાખલ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ પહેલવાનોએ ધરણા યથાવત રાખ્યા છે. ખેલાડીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મળેલી પોલીસ સુરક્ષા લેવાની પણ ના પાડી દીધી છે. 

પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલે કરી કુસ્તીબાજો સાથે મુલાકાત!

કુસ્તીબાજોએ ધરણા સ્થળને અખાડો બનાવી દીધો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યાં જ કસરત શરૂ કરી દીધી હતી. ત્યારે કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવ્યા. અનેક ક્રિકેટરો તેમજ ફિલ્મ જગતના કલાકારોએ પહેલવાનોને સમર્થન આપ્યું તો બીજી બાજુ અનેક ખેલાડીઓએ આ ધરણાને સમર્થન આપ્યું ન હતું. આ બધા વચ્ચે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલ ધરણા કરી રહેલા પહેલવાનોને મળવા પહોચ્યા હતા અને તેમના સમર્થન હોય તેવા નિવેદન આપી સરકાર પર પ્રહાર કર્યા હતા.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.