જંતર મંતર ખાતે કુસ્તીબાજોના ધરણા યથાવત! WFI અધ્યક્ષ વિરૂદ્ધ ખેલાડીઓએ ખોલ્યો છે મોરચો! જાણો શું છે લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-03 16:27:26

છેલ્લા ઘણા દિવસથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે પરંતુ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કુસ્તીબાજોને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. પરંતુ કુસ્તીબાજોએ પોલીસ સુરક્ષા લેવાની ના પાડી દીધી છે. ખેલાડીઓએ કહ્યું કે જો તે જંતર મંતર પર સુરક્ષિત નથી તો તે ક્યાંય પણ સુરક્ષિત નથી. તો ધરણા પ્રદર્શનને સમર્થન આપવા વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું. જેને લઈ વિદ્યાર્થીઓ સમર્થન આપવા પહોંચ્યા હતા. બજરંગ પૂનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી  જેમાં વિદ્યાર્થીઓનો સાથ માગ્યો છે. પહેલવાનોના સમર્થનમાં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવવાના હતા. પરંતુ મળતી માહિતી અનુસાર પોલીસે તેમને રોકી દીધા , અભદ્ર વ્યવહાર કર્યો  અને મારપીટ પણ કરી હતી.    


પોલીસ સુરક્ષા લેવાનો કુસ્તીબાજોએ કર્યો ઈન્કાર! 

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી અંતરાષ્ટ્રીય સ્તરે દેશને ગોરવ અપાવનારા ખેલાડીઓ ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ સિંહ સામે કડક પગલા લેવામાં આવે તેવી તેમની માગ છે. WFIના અધ્યક્ષ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી, અભદ્રતા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કુસ્તીબાજો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ પણ પગલા લેવામાં ન આવતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કેસ દાખલ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ પહેલવાનોએ ધરણા યથાવત રાખ્યા છે. ખેલાડીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મળેલી પોલીસ સુરક્ષા લેવાની પણ ના પાડી દીધી છે. 

પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલે કરી કુસ્તીબાજો સાથે મુલાકાત!

કુસ્તીબાજોએ ધરણા સ્થળને અખાડો બનાવી દીધો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યાં જ કસરત શરૂ કરી દીધી હતી. ત્યારે કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવ્યા. અનેક ક્રિકેટરો તેમજ ફિલ્મ જગતના કલાકારોએ પહેલવાનોને સમર્થન આપ્યું તો બીજી બાજુ અનેક ખેલાડીઓએ આ ધરણાને સમર્થન આપ્યું ન હતું. આ બધા વચ્ચે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલ ધરણા કરી રહેલા પહેલવાનોને મળવા પહોચ્યા હતા અને તેમના સમર્થન હોય તેવા નિવેદન આપી સરકાર પર પ્રહાર કર્યા હતા.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.