જંતર-મંતર ખાતે કુસ્તીબાજોના ધરણા યથાવત! બ્રિજભૂષણ વિરૂદ્ધ FIR નોંધવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ!


  • Published By :
  • Published Date : 2023-04-26 12:40:52

દિલ્હીના જંતરમંતર ખાતે ઘણા દિવસથી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલા ધરણા બુધવારે પણ યથાવત જોવા મળ્યા હતા. બ્રિજભૂષણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે તેવી માગ કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી રહી છે. WFIના અધ્યક્ષ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી, અભદ્રતા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ત્યારે બુધવારે ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ રસ્તા પર જ કસરત કરવાની શરૂઆત કરી હતી.

 


ધરણા પ્રદર્શન કરવા મજબૂર બન્યા પહેલવાનો! 

ભારતનું નામ વિદેશમાં રોશન કરનાર કુસ્તીબાજો ધરણાં પર બેઠા છે. વિનેશ ફોગાટ, બબીતા ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક આ બધા ખૂબ જ  પ્રખ્યાત ભારતીય કુશ્તીબાજોના નામ છે.. કોમનવેલ્થ ગેમ્સ સહિત અનેક અનેક રમતો અને આંતર રાષ્ટ્રીય ચેમ્પીયનશીપમાં તેમણે મેડલો જીતી દેશનું નામ રોશન કર્યું છે..  આ ખેલાડીઓ આપણા દેશનું ગૌરવ છે.. પરંતુ છેલ્લા થોડાઘણા સમયથી આ પહેલવાનો ધરણાપ્રદર્શન કરી રહ્યા છે.. 


બ્રિજભૂષણ સિંહ સામે FIR નોંધવામાં આવે તેવી માગ

ધરણા પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોની માગ છે કે કુશ્તી મહાસંઘ એટલે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સતત 11 વર્ષ સુધી અધ્યક્ષ અને ભાજપ સાંસદ રહી ચુકેલા બ્રિજભૂષણ સિંહ સામે FIR નોંધવામાં આવે.. જો ઘટનાઓની વાત કરવામાં આવે તો ઝારખંડના રાંચીમાં અંડર-15 નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં  બ્રિજભૂષણસિંહે એક રેસલરને થપ્પડ મારી દીધો હતો.  તે કુસ્તીબાજ બ્રિજભૂષણની કોલેજના નામ સાથે કુસ્તીની સ્પર્ધામાં જોડાવા માગતો હતો. અને તેના માટે તે સ્ટેજ પર ચડીને બ્રિજભૂષણ જ્યાં બેઠા હતા તે બાજુ આવી રહ્યો હતો પરંતુ બ્રિજભૂષણે સ્ટેજ પર જ તે કુસ્તીબાજ પર હાથ ઉપાડી દીધો...આવા અનેક વિવાદો, બેફામ નિવેદનો અને ખેલાડીઓ સાથેની ગેરવર્તણુંક માટે બ્રિજભૂષણ શરણ સિંહ જાણીતા છે.. 


સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો કેસ!

દિલ્હીના જંતરમંતર પર પહેલવાનો જાન્યુઆરીમાં પહેલીવાર ધરણા પર બેઠા હતા.. અંદાજે 4થી 5દિવસ પ્રદર્શન બાદ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે તેમની સાથે વાતચીત કરી અને તપાસ કમિટિ રચવાની બાંહેધરી આપી.. ખેલાડીઓએ જાહેર કર્યુ કે જ્યાં સુધી આ મામલાનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી કોઇ કેમ્પ જોઇન નહિ કરે..આ સમગ્ર વિવાદને 3 મહિના થયા છે.. હજુસુધી આ મામલે કોઇ FIR નોંધાઇ નથી.. વિવાદની તપાસ  માટે નોંધાયેલી કમિટિ તરફથી ખેલાડીઓને કોઇ પ્રતિભાવ કે સંતોષકારક જવાબ મળ્યો નથી.. ત્યારે ખેલાડીઓએ સુપ્રીમમાં એક અરજી કરી છે..જેના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. મળતી માહિતી અનુસાર એફઆઈઆર ન નોંધવાને કારણે સુપ્રીમ કોર્ટે પોલીસને ફટકાર લગાવી છે.  


ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે કુસ્તીબાજો!

આ મામલે સુપ્રીમ શું ચૂકાદો આપે છે તેની પર તો નજર રહેશે જ પરંતુ અહીં વાત એ છે કે જે ખેલાડીઓએ રાતદિવસ મહેનત કરીને દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપનાવી હોય તે જ ખેલાડીઓને તેમની સાથે થયેલા અન્યાયની વાત પહોંચાડવા ધરણાં કરવા પડી રહ્યા છે.. ચેમ્પીયનશીપમાં મેડલ જીત્યા બાદ છાતી કાઢીને ગર્વથી દેશનો ઝંડો લઇને ફરતા આપણા ખેલાડીઓ આજે રાજધાનીમાં દેશના ઉચ્ચતમ ન્યાયાલય પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.