જંતર-મંતર ખાતે કુસ્તીબાજોના ધરણા યથાવત! બ્રિજભૂષણ વિરૂદ્ધ FIR નોંધવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ!


  • Published By :
  • Published Date : 2023-04-26 12:40:52

દિલ્હીના જંતરમંતર ખાતે ઘણા દિવસથી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલા ધરણા બુધવારે પણ યથાવત જોવા મળ્યા હતા. બ્રિજભૂષણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે તેવી માગ કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી રહી છે. WFIના અધ્યક્ષ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી, અભદ્રતા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ત્યારે બુધવારે ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ રસ્તા પર જ કસરત કરવાની શરૂઆત કરી હતી.

 


ધરણા પ્રદર્શન કરવા મજબૂર બન્યા પહેલવાનો! 

ભારતનું નામ વિદેશમાં રોશન કરનાર કુસ્તીબાજો ધરણાં પર બેઠા છે. વિનેશ ફોગાટ, બબીતા ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક આ બધા ખૂબ જ  પ્રખ્યાત ભારતીય કુશ્તીબાજોના નામ છે.. કોમનવેલ્થ ગેમ્સ સહિત અનેક અનેક રમતો અને આંતર રાષ્ટ્રીય ચેમ્પીયનશીપમાં તેમણે મેડલો જીતી દેશનું નામ રોશન કર્યું છે..  આ ખેલાડીઓ આપણા દેશનું ગૌરવ છે.. પરંતુ છેલ્લા થોડાઘણા સમયથી આ પહેલવાનો ધરણાપ્રદર્શન કરી રહ્યા છે.. 


બ્રિજભૂષણ સિંહ સામે FIR નોંધવામાં આવે તેવી માગ

ધરણા પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોની માગ છે કે કુશ્તી મહાસંઘ એટલે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સતત 11 વર્ષ સુધી અધ્યક્ષ અને ભાજપ સાંસદ રહી ચુકેલા બ્રિજભૂષણ સિંહ સામે FIR નોંધવામાં આવે.. જો ઘટનાઓની વાત કરવામાં આવે તો ઝારખંડના રાંચીમાં અંડર-15 નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં  બ્રિજભૂષણસિંહે એક રેસલરને થપ્પડ મારી દીધો હતો.  તે કુસ્તીબાજ બ્રિજભૂષણની કોલેજના નામ સાથે કુસ્તીની સ્પર્ધામાં જોડાવા માગતો હતો. અને તેના માટે તે સ્ટેજ પર ચડીને બ્રિજભૂષણ જ્યાં બેઠા હતા તે બાજુ આવી રહ્યો હતો પરંતુ બ્રિજભૂષણે સ્ટેજ પર જ તે કુસ્તીબાજ પર હાથ ઉપાડી દીધો...આવા અનેક વિવાદો, બેફામ નિવેદનો અને ખેલાડીઓ સાથેની ગેરવર્તણુંક માટે બ્રિજભૂષણ શરણ સિંહ જાણીતા છે.. 


સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો કેસ!

દિલ્હીના જંતરમંતર પર પહેલવાનો જાન્યુઆરીમાં પહેલીવાર ધરણા પર બેઠા હતા.. અંદાજે 4થી 5દિવસ પ્રદર્શન બાદ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે તેમની સાથે વાતચીત કરી અને તપાસ કમિટિ રચવાની બાંહેધરી આપી.. ખેલાડીઓએ જાહેર કર્યુ કે જ્યાં સુધી આ મામલાનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી કોઇ કેમ્પ જોઇન નહિ કરે..આ સમગ્ર વિવાદને 3 મહિના થયા છે.. હજુસુધી આ મામલે કોઇ FIR નોંધાઇ નથી.. વિવાદની તપાસ  માટે નોંધાયેલી કમિટિ તરફથી ખેલાડીઓને કોઇ પ્રતિભાવ કે સંતોષકારક જવાબ મળ્યો નથી.. ત્યારે ખેલાડીઓએ સુપ્રીમમાં એક અરજી કરી છે..જેના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. મળતી માહિતી અનુસાર એફઆઈઆર ન નોંધવાને કારણે સુપ્રીમ કોર્ટે પોલીસને ફટકાર લગાવી છે.  


ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે કુસ્તીબાજો!

આ મામલે સુપ્રીમ શું ચૂકાદો આપે છે તેની પર તો નજર રહેશે જ પરંતુ અહીં વાત એ છે કે જે ખેલાડીઓએ રાતદિવસ મહેનત કરીને દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપનાવી હોય તે જ ખેલાડીઓને તેમની સાથે થયેલા અન્યાયની વાત પહોંચાડવા ધરણાં કરવા પડી રહ્યા છે.. ચેમ્પીયનશીપમાં મેડલ જીત્યા બાદ છાતી કાઢીને ગર્વથી દેશનો ઝંડો લઇને ફરતા આપણા ખેલાડીઓ આજે રાજધાનીમાં દેશના ઉચ્ચતમ ન્યાયાલય પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.  



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.