જંતર-મંતર ખાતે કુસ્તીબાજોના ધરણા યથાવત! બ્રિજભૂષણ વિરૂદ્ધ FIR નોંધવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ!


  • Published By :
  • Published Date : 2023-04-26 12:40:52

દિલ્હીના જંતરમંતર ખાતે ઘણા દિવસથી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલા ધરણા બુધવારે પણ યથાવત જોવા મળ્યા હતા. બ્રિજભૂષણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે તેવી માગ કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી રહી છે. WFIના અધ્યક્ષ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી, અભદ્રતા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ત્યારે બુધવારે ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ રસ્તા પર જ કસરત કરવાની શરૂઆત કરી હતી.

 


ધરણા પ્રદર્શન કરવા મજબૂર બન્યા પહેલવાનો! 

ભારતનું નામ વિદેશમાં રોશન કરનાર કુસ્તીબાજો ધરણાં પર બેઠા છે. વિનેશ ફોગાટ, બબીતા ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક આ બધા ખૂબ જ  પ્રખ્યાત ભારતીય કુશ્તીબાજોના નામ છે.. કોમનવેલ્થ ગેમ્સ સહિત અનેક અનેક રમતો અને આંતર રાષ્ટ્રીય ચેમ્પીયનશીપમાં તેમણે મેડલો જીતી દેશનું નામ રોશન કર્યું છે..  આ ખેલાડીઓ આપણા દેશનું ગૌરવ છે.. પરંતુ છેલ્લા થોડાઘણા સમયથી આ પહેલવાનો ધરણાપ્રદર્શન કરી રહ્યા છે.. 


બ્રિજભૂષણ સિંહ સામે FIR નોંધવામાં આવે તેવી માગ

ધરણા પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોની માગ છે કે કુશ્તી મહાસંઘ એટલે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સતત 11 વર્ષ સુધી અધ્યક્ષ અને ભાજપ સાંસદ રહી ચુકેલા બ્રિજભૂષણ સિંહ સામે FIR નોંધવામાં આવે.. જો ઘટનાઓની વાત કરવામાં આવે તો ઝારખંડના રાંચીમાં અંડર-15 નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં  બ્રિજભૂષણસિંહે એક રેસલરને થપ્પડ મારી દીધો હતો.  તે કુસ્તીબાજ બ્રિજભૂષણની કોલેજના નામ સાથે કુસ્તીની સ્પર્ધામાં જોડાવા માગતો હતો. અને તેના માટે તે સ્ટેજ પર ચડીને બ્રિજભૂષણ જ્યાં બેઠા હતા તે બાજુ આવી રહ્યો હતો પરંતુ બ્રિજભૂષણે સ્ટેજ પર જ તે કુસ્તીબાજ પર હાથ ઉપાડી દીધો...આવા અનેક વિવાદો, બેફામ નિવેદનો અને ખેલાડીઓ સાથેની ગેરવર્તણુંક માટે બ્રિજભૂષણ શરણ સિંહ જાણીતા છે.. 


સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો કેસ!

દિલ્હીના જંતરમંતર પર પહેલવાનો જાન્યુઆરીમાં પહેલીવાર ધરણા પર બેઠા હતા.. અંદાજે 4થી 5દિવસ પ્રદર્શન બાદ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે તેમની સાથે વાતચીત કરી અને તપાસ કમિટિ રચવાની બાંહેધરી આપી.. ખેલાડીઓએ જાહેર કર્યુ કે જ્યાં સુધી આ મામલાનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી કોઇ કેમ્પ જોઇન નહિ કરે..આ સમગ્ર વિવાદને 3 મહિના થયા છે.. હજુસુધી આ મામલે કોઇ FIR નોંધાઇ નથી.. વિવાદની તપાસ  માટે નોંધાયેલી કમિટિ તરફથી ખેલાડીઓને કોઇ પ્રતિભાવ કે સંતોષકારક જવાબ મળ્યો નથી.. ત્યારે ખેલાડીઓએ સુપ્રીમમાં એક અરજી કરી છે..જેના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. મળતી માહિતી અનુસાર એફઆઈઆર ન નોંધવાને કારણે સુપ્રીમ કોર્ટે પોલીસને ફટકાર લગાવી છે.  


ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે કુસ્તીબાજો!

આ મામલે સુપ્રીમ શું ચૂકાદો આપે છે તેની પર તો નજર રહેશે જ પરંતુ અહીં વાત એ છે કે જે ખેલાડીઓએ રાતદિવસ મહેનત કરીને દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપનાવી હોય તે જ ખેલાડીઓને તેમની સાથે થયેલા અન્યાયની વાત પહોંચાડવા ધરણાં કરવા પડી રહ્યા છે.. ચેમ્પીયનશીપમાં મેડલ જીત્યા બાદ છાતી કાઢીને ગર્વથી દેશનો ઝંડો લઇને ફરતા આપણા ખેલાડીઓ આજે રાજધાનીમાં દેશના ઉચ્ચતમ ન્યાયાલય પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.