પહેલવાનો Vs બ્રિજભૂષણ સિંહ કેસમાં આવ્યો નવો વળાંક! બ્રિજભૂષણ સિંહને મળી શકે છે મોટી રાહત, જાણો કેસની અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-31 14:01:09

ઘણા સમયથી પહેલવાનો બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જંતર મંતર ખાતે ધરણા કુસ્તીબાજો કરી રહ્યા હતા. પરંતુ રવિવારે થયેલી ઝપાઝપી બાદ દિલ્હીથી પહેલવાનો રવાના થઈ ગયા હતા. ઈન્ડિયા ગેટ ખાતે ધરણા કરવાના છે. આ મામલે અપડેટ આવી છે. બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવામાં આવ્યો હતો. પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો કારણ કે આરોપ લગાવાવાળી નાબાલિક હતી. પરંતુ જે માહિતી સામે આવી છે તેમાં આરોપ લગાવવાળી નાબાકિલ નથી. ત્યારે બ્રિજભૂષણ સામે લાગેલો પોસ્કો એક્ટ હટી શકે છે. 


બ્રિજભૂષણ સિંહ પરથી હટી શકે પોસ્કો એક્ટ!

આ મામલે નવી અપડેટ સામે આવી છે. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પોસ્કોનો એક્ટ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ જેણે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તે નાબાલિક નથી પરંતુ પુખ્ત વયની છે. મહત્વનું છે કે આરોપ લગાવ્યા બાદ કુસ્તીબાજો ધરણા પર બેઠા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર જે ખુલાસો થયો છે કે છોકરીએ પોતાની ઉંમર ઓછી બતાવી હતી. ત્યારે આ મામલે એવું લાગી રહ્યું છે કે નવેસરથી તપાસની શરૂઆત થાય. એક એવી પણ સંભાવના છે કે પોસ્કો એક્ટને હટાવાઈ શકે છે.           


સરકારને પહેલવાનોએ આપ્યું છે પાંચ દિવસનું અલ્ટીમેટમ!

WFI પ્રમુખ બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે ઘણા દિવસોથી કુસ્તીબાજો દિલ્હી ખાતે ધરણા કરી રહ્યા છે. રવિવારે મહિલાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચ નિકાળવાના હતા પરંતુ કુસ્તીબાજોની અટકાયત કરી લેવામાં આવી હતી. અનેક પહેલવાનો વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે પહેલવાનો પહેલા જાહેરાત કરવામાં આવી કે પોતાના મેડલ ગંગામાં પધરાવી દેશે પરંતુ અંતિમ ક્ષણે આ નિર્ણય કેન્સલ કરવામાં આવ્યો હતો. સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે અનેક નેતાઓનું સમર્થન કુસ્તીબાજોને મળ્યું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.