પહેલવાનો Vs બ્રિજભૂષણ સિંહ કેસમાં આવ્યો નવો વળાંક! બ્રિજભૂષણ સિંહને મળી શકે છે મોટી રાહત, જાણો કેસની અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-31 14:01:09

ઘણા સમયથી પહેલવાનો બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જંતર મંતર ખાતે ધરણા કુસ્તીબાજો કરી રહ્યા હતા. પરંતુ રવિવારે થયેલી ઝપાઝપી બાદ દિલ્હીથી પહેલવાનો રવાના થઈ ગયા હતા. ઈન્ડિયા ગેટ ખાતે ધરણા કરવાના છે. આ મામલે અપડેટ આવી છે. બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવામાં આવ્યો હતો. પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો કારણ કે આરોપ લગાવાવાળી નાબાલિક હતી. પરંતુ જે માહિતી સામે આવી છે તેમાં આરોપ લગાવવાળી નાબાકિલ નથી. ત્યારે બ્રિજભૂષણ સામે લાગેલો પોસ્કો એક્ટ હટી શકે છે. 


બ્રિજભૂષણ સિંહ પરથી હટી શકે પોસ્કો એક્ટ!

આ મામલે નવી અપડેટ સામે આવી છે. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પોસ્કોનો એક્ટ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ જેણે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તે નાબાલિક નથી પરંતુ પુખ્ત વયની છે. મહત્વનું છે કે આરોપ લગાવ્યા બાદ કુસ્તીબાજો ધરણા પર બેઠા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર જે ખુલાસો થયો છે કે છોકરીએ પોતાની ઉંમર ઓછી બતાવી હતી. ત્યારે આ મામલે એવું લાગી રહ્યું છે કે નવેસરથી તપાસની શરૂઆત થાય. એક એવી પણ સંભાવના છે કે પોસ્કો એક્ટને હટાવાઈ શકે છે.           


સરકારને પહેલવાનોએ આપ્યું છે પાંચ દિવસનું અલ્ટીમેટમ!

WFI પ્રમુખ બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે ઘણા દિવસોથી કુસ્તીબાજો દિલ્હી ખાતે ધરણા કરી રહ્યા છે. રવિવારે મહિલાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચ નિકાળવાના હતા પરંતુ કુસ્તીબાજોની અટકાયત કરી લેવામાં આવી હતી. અનેક પહેલવાનો વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે પહેલવાનો પહેલા જાહેરાત કરવામાં આવી કે પોતાના મેડલ ગંગામાં પધરાવી દેશે પરંતુ અંતિમ ક્ષણે આ નિર્ણય કેન્સલ કરવામાં આવ્યો હતો. સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે અનેક નેતાઓનું સમર્થન કુસ્તીબાજોને મળ્યું છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.