પહેલવાનો Vs બ્રિજભૂષણ સિંહ કેસમાં આવ્યો નવો વળાંક! બ્રિજભૂષણ સિંહને મળી શકે છે મોટી રાહત, જાણો કેસની અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-31 14:01:09

ઘણા સમયથી પહેલવાનો બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જંતર મંતર ખાતે ધરણા કુસ્તીબાજો કરી રહ્યા હતા. પરંતુ રવિવારે થયેલી ઝપાઝપી બાદ દિલ્હીથી પહેલવાનો રવાના થઈ ગયા હતા. ઈન્ડિયા ગેટ ખાતે ધરણા કરવાના છે. આ મામલે અપડેટ આવી છે. બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવામાં આવ્યો હતો. પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો કારણ કે આરોપ લગાવાવાળી નાબાલિક હતી. પરંતુ જે માહિતી સામે આવી છે તેમાં આરોપ લગાવવાળી નાબાકિલ નથી. ત્યારે બ્રિજભૂષણ સામે લાગેલો પોસ્કો એક્ટ હટી શકે છે. 


બ્રિજભૂષણ સિંહ પરથી હટી શકે પોસ્કો એક્ટ!

આ મામલે નવી અપડેટ સામે આવી છે. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પોસ્કોનો એક્ટ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ જેણે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તે નાબાલિક નથી પરંતુ પુખ્ત વયની છે. મહત્વનું છે કે આરોપ લગાવ્યા બાદ કુસ્તીબાજો ધરણા પર બેઠા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર જે ખુલાસો થયો છે કે છોકરીએ પોતાની ઉંમર ઓછી બતાવી હતી. ત્યારે આ મામલે એવું લાગી રહ્યું છે કે નવેસરથી તપાસની શરૂઆત થાય. એક એવી પણ સંભાવના છે કે પોસ્કો એક્ટને હટાવાઈ શકે છે.           


સરકારને પહેલવાનોએ આપ્યું છે પાંચ દિવસનું અલ્ટીમેટમ!

WFI પ્રમુખ બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે ઘણા દિવસોથી કુસ્તીબાજો દિલ્હી ખાતે ધરણા કરી રહ્યા છે. રવિવારે મહિલાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચ નિકાળવાના હતા પરંતુ કુસ્તીબાજોની અટકાયત કરી લેવામાં આવી હતી. અનેક પહેલવાનો વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે પહેલવાનો પહેલા જાહેરાત કરવામાં આવી કે પોતાના મેડલ ગંગામાં પધરાવી દેશે પરંતુ અંતિમ ક્ષણે આ નિર્ણય કેન્સલ કરવામાં આવ્યો હતો. સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે અનેક નેતાઓનું સમર્થન કુસ્તીબાજોને મળ્યું છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.