ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાના સરકારના નિર્ણયને પહેલવાનોએ આવકાર્યો, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-24 18:53:16

ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહની જીત થતા પહેલવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંજય સિંહ ચૂંટણી જીત્યા બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ પછી બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કર્યું હતું. અન્ય કેટલાક કુસ્તીબાજોએ પણ આનો વિરોધ કર્યો હતો. હવે આ પછી રવિવારે ખેલ મંત્રાલયે આ મામલાની નોંધ લીધી લેતા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે. હવે આ મામલે રેસલર સાક્ષી મલિક તથા વિનેશ ફોગાટ સહિતે પ્રતિક્રિયા આપી છે.


સાક્ષી મલિકે શું કહ્યું?

 

સાક્ષી મલિકે રવિવારે આ મામલે મીડિયા સાથે વાત કરતાં સાક્ષી મલિકે કહ્યું, "મેં હજુ સુધી લેખિતમાં કંઈ જોયું નથી. મને ખબર નથી કે માત્ર સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે પછી સમગ્ર ફેડરેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે." હા. અમારી લડાઈ સરકાર સામે ન હતી. અમારી લડાઈ મહિલા કુસ્તીબાજો માટે છે. મને બાળકોની ચિંતા છે. મેં મારી નિવૃત્તિ જાહેર કરી દીધી છે પણ હું ઈચ્છું છું કે આવનારા કુસ્તીબાજોને ન્યાય મળે.


અમારી લડાઈ મહિલાઓના શોષણ સામે છેઃ વિનેશ ફોગાટ


વિનેશે સરકારના આ નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે તે ખેલાડીઓ માટે સારું છે. યોગ્ય વ્યક્તિ ફેડરેશનનો પ્રમુખ બનવો જોઈએ. રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પદ પર એક મહિલા આવવી જોઈએ, જેથી અમે પણ રાહત અનુભવીએ કે અમારી લડાઈ, અમારા સંઘર્ષની જીતી થી. કુસ્તીબાજોનું આંદોલન રાજકીય રીતે પ્રેરિત હોવાના આરોપ પર વિનેશે કહ્યું, 'મહિલાઓનું શોષણ થયું છે. અમે તેની સામે આંદોલન કરી રહ્યા છીએ. આમાં કેવું રાજકારણ છે? વિનેશે કહ્યું, 'તમે એક સારા માણસને મહાસંઘના પ્રમુખ બનાવો, એ પછી પણ અમે કંઈક કરીશું તો તમે કહેશો કે અમે રાજનીતિ કરીએ છીએ. અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે અમારી લડાઈ બ્રિજભૂષણ શરણ સિંહના શોષણ સામે છે. અમે તેની સામે કોર્ટમાં લડી રહ્યા છીએ. જે દિવસે અમને ન્યાય મળશે, અમે આંદોલન પણ ખતમ કરીશું.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.