ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાના સરકારના નિર્ણયને પહેલવાનોએ આવકાર્યો, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-24 18:53:16

ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહની જીત થતા પહેલવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંજય સિંહ ચૂંટણી જીત્યા બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ પછી બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કર્યું હતું. અન્ય કેટલાક કુસ્તીબાજોએ પણ આનો વિરોધ કર્યો હતો. હવે આ પછી રવિવારે ખેલ મંત્રાલયે આ મામલાની નોંધ લીધી લેતા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે. હવે આ મામલે રેસલર સાક્ષી મલિક તથા વિનેશ ફોગાટ સહિતે પ્રતિક્રિયા આપી છે.


સાક્ષી મલિકે શું કહ્યું?

 

સાક્ષી મલિકે રવિવારે આ મામલે મીડિયા સાથે વાત કરતાં સાક્ષી મલિકે કહ્યું, "મેં હજુ સુધી લેખિતમાં કંઈ જોયું નથી. મને ખબર નથી કે માત્ર સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે પછી સમગ્ર ફેડરેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે." હા. અમારી લડાઈ સરકાર સામે ન હતી. અમારી લડાઈ મહિલા કુસ્તીબાજો માટે છે. મને બાળકોની ચિંતા છે. મેં મારી નિવૃત્તિ જાહેર કરી દીધી છે પણ હું ઈચ્છું છું કે આવનારા કુસ્તીબાજોને ન્યાય મળે.


અમારી લડાઈ મહિલાઓના શોષણ સામે છેઃ વિનેશ ફોગાટ


વિનેશે સરકારના આ નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે તે ખેલાડીઓ માટે સારું છે. યોગ્ય વ્યક્તિ ફેડરેશનનો પ્રમુખ બનવો જોઈએ. રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પદ પર એક મહિલા આવવી જોઈએ, જેથી અમે પણ રાહત અનુભવીએ કે અમારી લડાઈ, અમારા સંઘર્ષની જીતી થી. કુસ્તીબાજોનું આંદોલન રાજકીય રીતે પ્રેરિત હોવાના આરોપ પર વિનેશે કહ્યું, 'મહિલાઓનું શોષણ થયું છે. અમે તેની સામે આંદોલન કરી રહ્યા છીએ. આમાં કેવું રાજકારણ છે? વિનેશે કહ્યું, 'તમે એક સારા માણસને મહાસંઘના પ્રમુખ બનાવો, એ પછી પણ અમે કંઈક કરીશું તો તમે કહેશો કે અમે રાજનીતિ કરીએ છીએ. અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે અમારી લડાઈ બ્રિજભૂષણ શરણ સિંહના શોષણ સામે છે. અમે તેની સામે કોર્ટમાં લડી રહ્યા છીએ. જે દિવસે અમને ન્યાય મળશે, અમે આંદોલન પણ ખતમ કરીશું.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.