ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાના સરકારના નિર્ણયને પહેલવાનોએ આવકાર્યો, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-24 18:53:16

ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહની જીત થતા પહેલવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંજય સિંહ ચૂંટણી જીત્યા બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ પછી બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કર્યું હતું. અન્ય કેટલાક કુસ્તીબાજોએ પણ આનો વિરોધ કર્યો હતો. હવે આ પછી રવિવારે ખેલ મંત્રાલયે આ મામલાની નોંધ લીધી લેતા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે. હવે આ મામલે રેસલર સાક્ષી મલિક તથા વિનેશ ફોગાટ સહિતે પ્રતિક્રિયા આપી છે.


સાક્ષી મલિકે શું કહ્યું?

 

સાક્ષી મલિકે રવિવારે આ મામલે મીડિયા સાથે વાત કરતાં સાક્ષી મલિકે કહ્યું, "મેં હજુ સુધી લેખિતમાં કંઈ જોયું નથી. મને ખબર નથી કે માત્ર સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે પછી સમગ્ર ફેડરેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે." હા. અમારી લડાઈ સરકાર સામે ન હતી. અમારી લડાઈ મહિલા કુસ્તીબાજો માટે છે. મને બાળકોની ચિંતા છે. મેં મારી નિવૃત્તિ જાહેર કરી દીધી છે પણ હું ઈચ્છું છું કે આવનારા કુસ્તીબાજોને ન્યાય મળે.


અમારી લડાઈ મહિલાઓના શોષણ સામે છેઃ વિનેશ ફોગાટ


વિનેશે સરકારના આ નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે તે ખેલાડીઓ માટે સારું છે. યોગ્ય વ્યક્તિ ફેડરેશનનો પ્રમુખ બનવો જોઈએ. રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પદ પર એક મહિલા આવવી જોઈએ, જેથી અમે પણ રાહત અનુભવીએ કે અમારી લડાઈ, અમારા સંઘર્ષની જીતી થી. કુસ્તીબાજોનું આંદોલન રાજકીય રીતે પ્રેરિત હોવાના આરોપ પર વિનેશે કહ્યું, 'મહિલાઓનું શોષણ થયું છે. અમે તેની સામે આંદોલન કરી રહ્યા છીએ. આમાં કેવું રાજકારણ છે? વિનેશે કહ્યું, 'તમે એક સારા માણસને મહાસંઘના પ્રમુખ બનાવો, એ પછી પણ અમે કંઈક કરીશું તો તમે કહેશો કે અમે રાજનીતિ કરીએ છીએ. અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે અમારી લડાઈ બ્રિજભૂષણ શરણ સિંહના શોષણ સામે છે. અમે તેની સામે કોર્ટમાં લડી રહ્યા છીએ. જે દિવસે અમને ન્યાય મળશે, અમે આંદોલન પણ ખતમ કરીશું.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .