કુસ્તીબાજો શું બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શરૂ કરેલી લડાઈ આગળ વધારશે? આજે કુસ્તીબાજો લેશે નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-06-16 13:42:00

ભારતને વિશ્વમાં ગૌરવ અપાવનારા કુસ્તીબાજો છેલ્લા ઘણા સમયથી બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. ભાજપના સાંસદ પર મહિલા કુસ્તીબાજોએ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. ત્યારે બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ છે. ગઈકાલે પોલીસે બ્રિજભૂષણ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. અનુરાગ ઠાકુર સાથેની મુલાકાત બાદ 15 જૂન સુધી પોતાનો વિરોધ કુસ્તીબાજોએ સ્થગિત કરી દીધો હતો. ત્યારે હવે કુસ્તીબાજો કઈ રણનીતિ સાથે આગળ વધશે તે અંગેની માહિતી સાક્ષી મલિકે આપી છે.

   

અનુરાગ ઠાકુર સાથે કરી હતી મુલાકાત! 

કુસ્તીબાજો વિરૂદ્ધ બ્રિજભૂષણ શરણસિંહ કેસમાં દરરોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા પર કુસ્તીબાજો બેઠા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય પાર્ટીના અનેક નેતાઓ તેમની મુલાકાત કરવા આવ્યા હતા જેમાં પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે થયેલા ઘર્ષણને પગલે તેઓ ત્યાંથી હટી ગયા હતા. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ અમિત શાહ તેમજ અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ ધરણાને 15 જૂન સુધી સ્થગિત કર્યું હતું. સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. ગઈકાલે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ યૌન શોષણના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 


સાક્ષી મલિકે આપ્યું નિવેદન!

15 જૂન બાદ કુસ્તીબાજો કઈ રણનીતિથી આગળ વધશે તે અંગે લોકોના મનમાં વિચાર હતો. ત્યારે આ મામલે સાક્ષી મલિકનું નિવેદન સામે આવ્યું છે. સાક્ષી મલિકે કહ્યું કે ચાર્જશીટથી સ્પષ્ટ થાય છે કે બ્રિજભૂષણ દોષિત છે, પરંતુ અમારા વકીલે ચાર્જશીટની નકલ માટે અરજી દાખલ કરી છે જેથી અમે તેમની સામેના આરોપો વહેલી તકે જાણી શકીએ, અમે જોઈશું કે તે આરોપ વ્યાજબી છે કે નહીં. અમે બધું જોયા પછી આગળનાપગલા ભરીશું. એ પણ જોઈશું કે અમને આપેલા વચનો પૂરા થાય છે કે નહીં. સરકાર હવે આની આગળ કેવા પગલે લે છે તે બાદ અમે અમારી આગળની રણનીતિ નક્કી કરીશું. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.