કુસ્તીબાજો શું બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શરૂ કરેલી લડાઈ આગળ વધારશે? આજે કુસ્તીબાજો લેશે નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-06-16 13:42:00

ભારતને વિશ્વમાં ગૌરવ અપાવનારા કુસ્તીબાજો છેલ્લા ઘણા સમયથી બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. ભાજપના સાંસદ પર મહિલા કુસ્તીબાજોએ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. ત્યારે બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ છે. ગઈકાલે પોલીસે બ્રિજભૂષણ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. અનુરાગ ઠાકુર સાથેની મુલાકાત બાદ 15 જૂન સુધી પોતાનો વિરોધ કુસ્તીબાજોએ સ્થગિત કરી દીધો હતો. ત્યારે હવે કુસ્તીબાજો કઈ રણનીતિ સાથે આગળ વધશે તે અંગેની માહિતી સાક્ષી મલિકે આપી છે.

   

અનુરાગ ઠાકુર સાથે કરી હતી મુલાકાત! 

કુસ્તીબાજો વિરૂદ્ધ બ્રિજભૂષણ શરણસિંહ કેસમાં દરરોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા પર કુસ્તીબાજો બેઠા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય પાર્ટીના અનેક નેતાઓ તેમની મુલાકાત કરવા આવ્યા હતા જેમાં પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે થયેલા ઘર્ષણને પગલે તેઓ ત્યાંથી હટી ગયા હતા. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ અમિત શાહ તેમજ અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ ધરણાને 15 જૂન સુધી સ્થગિત કર્યું હતું. સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. ગઈકાલે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ યૌન શોષણના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 


સાક્ષી મલિકે આપ્યું નિવેદન!

15 જૂન બાદ કુસ્તીબાજો કઈ રણનીતિથી આગળ વધશે તે અંગે લોકોના મનમાં વિચાર હતો. ત્યારે આ મામલે સાક્ષી મલિકનું નિવેદન સામે આવ્યું છે. સાક્ષી મલિકે કહ્યું કે ચાર્જશીટથી સ્પષ્ટ થાય છે કે બ્રિજભૂષણ દોષિત છે, પરંતુ અમારા વકીલે ચાર્જશીટની નકલ માટે અરજી દાખલ કરી છે જેથી અમે તેમની સામેના આરોપો વહેલી તકે જાણી શકીએ, અમે જોઈશું કે તે આરોપ વ્યાજબી છે કે નહીં. અમે બધું જોયા પછી આગળનાપગલા ભરીશું. એ પણ જોઈશું કે અમને આપેલા વચનો પૂરા થાય છે કે નહીં. સરકાર હવે આની આગળ કેવા પગલે લે છે તે બાદ અમે અમારી આગળની રણનીતિ નક્કી કરીશું. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .