કુસ્તીબાજો શું બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શરૂ કરેલી લડાઈ આગળ વધારશે? આજે કુસ્તીબાજો લેશે નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-06-16 13:42:00

ભારતને વિશ્વમાં ગૌરવ અપાવનારા કુસ્તીબાજો છેલ્લા ઘણા સમયથી બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. ભાજપના સાંસદ પર મહિલા કુસ્તીબાજોએ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. ત્યારે બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ છે. ગઈકાલે પોલીસે બ્રિજભૂષણ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. અનુરાગ ઠાકુર સાથેની મુલાકાત બાદ 15 જૂન સુધી પોતાનો વિરોધ કુસ્તીબાજોએ સ્થગિત કરી દીધો હતો. ત્યારે હવે કુસ્તીબાજો કઈ રણનીતિ સાથે આગળ વધશે તે અંગેની માહિતી સાક્ષી મલિકે આપી છે.

   

અનુરાગ ઠાકુર સાથે કરી હતી મુલાકાત! 

કુસ્તીબાજો વિરૂદ્ધ બ્રિજભૂષણ શરણસિંહ કેસમાં દરરોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા પર કુસ્તીબાજો બેઠા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય પાર્ટીના અનેક નેતાઓ તેમની મુલાકાત કરવા આવ્યા હતા જેમાં પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે થયેલા ઘર્ષણને પગલે તેઓ ત્યાંથી હટી ગયા હતા. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ અમિત શાહ તેમજ અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ ધરણાને 15 જૂન સુધી સ્થગિત કર્યું હતું. સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. ગઈકાલે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ યૌન શોષણના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 


સાક્ષી મલિકે આપ્યું નિવેદન!

15 જૂન બાદ કુસ્તીબાજો કઈ રણનીતિથી આગળ વધશે તે અંગે લોકોના મનમાં વિચાર હતો. ત્યારે આ મામલે સાક્ષી મલિકનું નિવેદન સામે આવ્યું છે. સાક્ષી મલિકે કહ્યું કે ચાર્જશીટથી સ્પષ્ટ થાય છે કે બ્રિજભૂષણ દોષિત છે, પરંતુ અમારા વકીલે ચાર્જશીટની નકલ માટે અરજી દાખલ કરી છે જેથી અમે તેમની સામેના આરોપો વહેલી તકે જાણી શકીએ, અમે જોઈશું કે તે આરોપ વ્યાજબી છે કે નહીં. અમે બધું જોયા પછી આગળનાપગલા ભરીશું. એ પણ જોઈશું કે અમને આપેલા વચનો પૂરા થાય છે કે નહીં. સરકાર હવે આની આગળ કેવા પગલે લે છે તે બાદ અમે અમારી આગળની રણનીતિ નક્કી કરીશું. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.