કુસ્તીબાજો શું બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શરૂ કરેલી લડાઈ આગળ વધારશે? આજે કુસ્તીબાજો લેશે નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-06-16 13:42:00

ભારતને વિશ્વમાં ગૌરવ અપાવનારા કુસ્તીબાજો છેલ્લા ઘણા સમયથી બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. ભાજપના સાંસદ પર મહિલા કુસ્તીબાજોએ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. ત્યારે બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ છે. ગઈકાલે પોલીસે બ્રિજભૂષણ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. અનુરાગ ઠાકુર સાથેની મુલાકાત બાદ 15 જૂન સુધી પોતાનો વિરોધ કુસ્તીબાજોએ સ્થગિત કરી દીધો હતો. ત્યારે હવે કુસ્તીબાજો કઈ રણનીતિ સાથે આગળ વધશે તે અંગેની માહિતી સાક્ષી મલિકે આપી છે.

   

અનુરાગ ઠાકુર સાથે કરી હતી મુલાકાત! 

કુસ્તીબાજો વિરૂદ્ધ બ્રિજભૂષણ શરણસિંહ કેસમાં દરરોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા પર કુસ્તીબાજો બેઠા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય પાર્ટીના અનેક નેતાઓ તેમની મુલાકાત કરવા આવ્યા હતા જેમાં પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે થયેલા ઘર્ષણને પગલે તેઓ ત્યાંથી હટી ગયા હતા. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ અમિત શાહ તેમજ અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ ધરણાને 15 જૂન સુધી સ્થગિત કર્યું હતું. સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. ગઈકાલે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ યૌન શોષણના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 


સાક્ષી મલિકે આપ્યું નિવેદન!

15 જૂન બાદ કુસ્તીબાજો કઈ રણનીતિથી આગળ વધશે તે અંગે લોકોના મનમાં વિચાર હતો. ત્યારે આ મામલે સાક્ષી મલિકનું નિવેદન સામે આવ્યું છે. સાક્ષી મલિકે કહ્યું કે ચાર્જશીટથી સ્પષ્ટ થાય છે કે બ્રિજભૂષણ દોષિત છે, પરંતુ અમારા વકીલે ચાર્જશીટની નકલ માટે અરજી દાખલ કરી છે જેથી અમે તેમની સામેના આરોપો વહેલી તકે જાણી શકીએ, અમે જોઈશું કે તે આરોપ વ્યાજબી છે કે નહીં. અમે બધું જોયા પછી આગળનાપગલા ભરીશું. એ પણ જોઈશું કે અમને આપેલા વચનો પૂરા થાય છે કે નહીં. સરકાર હવે આની આગળ કેવા પગલે લે છે તે બાદ અમે અમારી આગળની રણનીતિ નક્કી કરીશું. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.