આખરે સરકાર ઝુકી, WFI ચીફ બ્રિજભૂષણ સિંહ સામેના આરોપોની તપાસ 5 સભ્યોની કમિટી કરશે


  • Published By :
  • Published Date : 2023-01-23 17:33:30

દેશની મહિલાઓ પહેલવાનોના યૌન શૌષણના મુદ્દે દેશના પહેલવાનો અને કુસ્તી સંઘના બરખાસ્ત પ્રેસિડન્ટ બ્રિજભૂષણ સિંહ આમને-સામને આવી ગયા છે. જો કે હવે પહેલવાનોના ધરણા અને વિરોધ પ્રદર્શનોની સરકારે નોંધ લીધી છે. કેન્દ્ર સરકારે હવે  બ્રિજભૂષણ સિંહ સામેના આરોપો અંગે તપાસ કરવા માટે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે.


મેરી કોમની આગેવાનીમાં 5 સભ્યોની કમિટી 


બ્રિજભૂષણ સિંહ સામેના આરોપોની તપાસ માટે ખેલ મંત્રાલય દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. ખેલ મંત્રાલયે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે એક મોનિટરિંગ કમિટિની જાહેરાત કરી હતી. પાંચ સભ્યોની આ સમિતીની આગેવાની પૂર્વ બોક્સર મેરી કોમ કરશે. પાંચ સભ્યોની કમિટીમાં ઓલિમ્પિયન કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત તૃપ્તિ મુરુગંદે, કેપ્ટન ગોપાલન, રાધા શ્રીમાનનો સમાવેશ થાય છે. મેરી કોમની આગેવાનીવાળી ઓવરસાઈટ કમિટીને કુશ્તી સંઘનું કામકાજ સંભાળવાની પણ જવબાદરી સોંપવામાં આવી છે. 


દેશના આ અગ્રણી પહેલવાનોએ કર્યો હતો વિરોધ


WFI ચીફ બ્રિજભૂષણ સિંહની સામે દિલ્હીના જંતર-મંતર પર ધરણા શરુ કર્યાં હતા. જેમાં દેશના અગ્રણી મહિલા અને પુરૂષ પહેલવાનો જેવા કે વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, રવિ દહિયા, અંશુ મલિક, સંગીતા ફોગાટ અને સોનમ મલિક સહિતના 30 કુસ્તીબાજો જોડાયા હતા. વિનેશ ફોગાટનો આરોપ હતો કે બ્રિજભૂષણે મહિલાઓ પહેલવાનોનું યૌન શૌષણ કર્યું છે. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ પર જાતીય સતામણી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકીને તેમને બરતરફ કરવાની માગ કરી હતી.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.