આખરે સરકાર ઝુકી, WFI ચીફ બ્રિજભૂષણ સિંહ સામેના આરોપોની તપાસ 5 સભ્યોની કમિટી કરશે


  • Published By :
  • Published Date : 2023-01-23 17:33:30

દેશની મહિલાઓ પહેલવાનોના યૌન શૌષણના મુદ્દે દેશના પહેલવાનો અને કુસ્તી સંઘના બરખાસ્ત પ્રેસિડન્ટ બ્રિજભૂષણ સિંહ આમને-સામને આવી ગયા છે. જો કે હવે પહેલવાનોના ધરણા અને વિરોધ પ્રદર્શનોની સરકારે નોંધ લીધી છે. કેન્દ્ર સરકારે હવે  બ્રિજભૂષણ સિંહ સામેના આરોપો અંગે તપાસ કરવા માટે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે.


મેરી કોમની આગેવાનીમાં 5 સભ્યોની કમિટી 


બ્રિજભૂષણ સિંહ સામેના આરોપોની તપાસ માટે ખેલ મંત્રાલય દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. ખેલ મંત્રાલયે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે એક મોનિટરિંગ કમિટિની જાહેરાત કરી હતી. પાંચ સભ્યોની આ સમિતીની આગેવાની પૂર્વ બોક્સર મેરી કોમ કરશે. પાંચ સભ્યોની કમિટીમાં ઓલિમ્પિયન કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત તૃપ્તિ મુરુગંદે, કેપ્ટન ગોપાલન, રાધા શ્રીમાનનો સમાવેશ થાય છે. મેરી કોમની આગેવાનીવાળી ઓવરસાઈટ કમિટીને કુશ્તી સંઘનું કામકાજ સંભાળવાની પણ જવબાદરી સોંપવામાં આવી છે. 


દેશના આ અગ્રણી પહેલવાનોએ કર્યો હતો વિરોધ


WFI ચીફ બ્રિજભૂષણ સિંહની સામે દિલ્હીના જંતર-મંતર પર ધરણા શરુ કર્યાં હતા. જેમાં દેશના અગ્રણી મહિલા અને પુરૂષ પહેલવાનો જેવા કે વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, રવિ દહિયા, અંશુ મલિક, સંગીતા ફોગાટ અને સોનમ મલિક સહિતના 30 કુસ્તીબાજો જોડાયા હતા. વિનેશ ફોગાટનો આરોપ હતો કે બ્રિજભૂષણે મહિલાઓ પહેલવાનોનું યૌન શૌષણ કર્યું છે. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ પર જાતીય સતામણી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકીને તેમને બરતરફ કરવાની માગ કરી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.