આદિપુરૂષ ફિલ્મના ડાયલોગને લઈ લેખક મનોજ શુક્લાએ ભૂલ સ્વીકારી! હાથ જોડી રામ ભક્તોની માફી માગતા લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-07-08 12:53:21

બોલિવુડની અનેક ફિલ્મો એવી છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે. તેવી જ એક ફિલ્મ હતી પ્રભાસ અને ક્રિતી સેનનની આદિપૂરુષ. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. પહેલા ફિલ્મમાં વપરાયેલા વીએફએક્સને લઈ, તો પછી ફિલ્મના ડાયલોગને લઈ વિવાદ જોવા મળ્યો હતો. ફિલ્મમાં એવા અનેક ડાયલોગો હતા જેને સાંભળીને નાસ્તિકમાં રહેલી હિંદુત્વની ભાવના પણ કહેવા લાગે કે સાવ આવું તો ના હોય યાર. પ્રમોશન વખતે કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ રામાયણ પર આધારિત છે, પરંતુ જ્યારે વિવાદ વધ્યો ત્યારે બચાવમાં કહેવાયું કે આ રામાયણ નથી પરંતુ આદિપુરૂષ ફિલ્મ છે.

મનોજ શુક્લાએ સોશિયલ મીડિયા પર માગી માફી

ફિલ્મ રિલીઝ થયાના થોડા દિવસોમાં ફિલ્મે સારી કમાણી. શરૂઆતના દિવસોમાં જ ફિલ્મે 300 કરોડ જેટલી કમાણી કરી લીધી હતી. પરંતુ જેમ જેમ વિવાદ વધતો ગયો તેમ તેમ ફિલ્મની કમાણી પણ ઘટતી ગઈ. અનેક શોને કેન્સલ કરવાનો વારો આવ્યો હતો. ટિકિટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. લોકોએ ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તશીરને પણ ઘણા ટ્રોલ કર્યા હતા. ફિલ્મના ડાયલોગ્સ માટે ઘણી વખત તે બચાવ કરતા દેખાયા હતા. ડાયલોગને બદલવામાં પણ આવ્યા હતા. પરંતુ આ મામલે મનોજ મુન્તશીરએ સામે ચાલીને લોકોની માફી માગી છે. ભૂલનો સ્વીકાર કર્યો છે.  

Prabhas starrer film `Adipurush` again gets in controversy after releasing  new poster | 'આદિપુરુષ' ફસાઈ વિવાદના વમળમાં

આદિપુરૂષ ફિલ્મને લઈ લેખકે માગી માફી 

માફી માગતી પોસ્ટ કરતા તેમણે લખ્યું કે 'હું સ્વીકારું છું કે આદિપુરુષ દ્વારા જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હાથ જોડીને, હું તમારા બધા ભાઈઓ-બહેનો, વડીલો, આદરણીય ઋષિ-સંતો અને શ્રીરામના ભક્તોની નિષ્ઠાપૂર્વક માફી માગું છું. ભગવાન બજરંગ બલી આપણને બધાને આશીર્વાદ આપો. આપણે એક અને અખંડ બનીને પવિત્ર સનાતન ધર્મ અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે.' આ પોસ્ટ મૂકતાની સાથે જ ટ્વિટર પર મનોજ શુક્લા ટ્રેન્ડ થવા લાગ્યા હતા. હવે લેખકે માગી માગી છે પરંતુ લોકો હજી પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .