આદિપુરૂષ ફિલ્મના ડાયલોગને લઈ લેખક મનોજ શુક્લાએ ભૂલ સ્વીકારી! હાથ જોડી રામ ભક્તોની માફી માગતા લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-07-08 12:53:21

બોલિવુડની અનેક ફિલ્મો એવી છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે. તેવી જ એક ફિલ્મ હતી પ્રભાસ અને ક્રિતી સેનનની આદિપૂરુષ. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. પહેલા ફિલ્મમાં વપરાયેલા વીએફએક્સને લઈ, તો પછી ફિલ્મના ડાયલોગને લઈ વિવાદ જોવા મળ્યો હતો. ફિલ્મમાં એવા અનેક ડાયલોગો હતા જેને સાંભળીને નાસ્તિકમાં રહેલી હિંદુત્વની ભાવના પણ કહેવા લાગે કે સાવ આવું તો ના હોય યાર. પ્રમોશન વખતે કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ રામાયણ પર આધારિત છે, પરંતુ જ્યારે વિવાદ વધ્યો ત્યારે બચાવમાં કહેવાયું કે આ રામાયણ નથી પરંતુ આદિપુરૂષ ફિલ્મ છે.

મનોજ શુક્લાએ સોશિયલ મીડિયા પર માગી માફી

ફિલ્મ રિલીઝ થયાના થોડા દિવસોમાં ફિલ્મે સારી કમાણી. શરૂઆતના દિવસોમાં જ ફિલ્મે 300 કરોડ જેટલી કમાણી કરી લીધી હતી. પરંતુ જેમ જેમ વિવાદ વધતો ગયો તેમ તેમ ફિલ્મની કમાણી પણ ઘટતી ગઈ. અનેક શોને કેન્સલ કરવાનો વારો આવ્યો હતો. ટિકિટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. લોકોએ ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તશીરને પણ ઘણા ટ્રોલ કર્યા હતા. ફિલ્મના ડાયલોગ્સ માટે ઘણી વખત તે બચાવ કરતા દેખાયા હતા. ડાયલોગને બદલવામાં પણ આવ્યા હતા. પરંતુ આ મામલે મનોજ મુન્તશીરએ સામે ચાલીને લોકોની માફી માગી છે. ભૂલનો સ્વીકાર કર્યો છે.  

Prabhas starrer film `Adipurush` again gets in controversy after releasing  new poster | 'આદિપુરુષ' ફસાઈ વિવાદના વમળમાં

આદિપુરૂષ ફિલ્મને લઈ લેખકે માગી માફી 

માફી માગતી પોસ્ટ કરતા તેમણે લખ્યું કે 'હું સ્વીકારું છું કે આદિપુરુષ દ્વારા જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હાથ જોડીને, હું તમારા બધા ભાઈઓ-બહેનો, વડીલો, આદરણીય ઋષિ-સંતો અને શ્રીરામના ભક્તોની નિષ્ઠાપૂર્વક માફી માગું છું. ભગવાન બજરંગ બલી આપણને બધાને આશીર્વાદ આપો. આપણે એક અને અખંડ બનીને પવિત્ર સનાતન ધર્મ અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે.' આ પોસ્ટ મૂકતાની સાથે જ ટ્વિટર પર મનોજ શુક્લા ટ્રેન્ડ થવા લાગ્યા હતા. હવે લેખકે માગી માગી છે પરંતુ લોકો હજી પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.