રાહુલ ગાંધીની હાજરીમાં રાષ્ટ્રગીતને બદલે ખોટું ગીત વગાડવામાં આવ્યું, ભાજપે કોંગ્રેસના નેતા પર ઉઠાવ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2022-11-17 09:57:43

બુધવારે મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીતને બદલે બીજું ગીત વગાડવામાં આવી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો.

Wrong National Anthem? 'What is this, Rahul Gandhi?' BJP leaders slam.  Watch | Latest News India - Hindustan Times

બુધવારે મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીતને બદલે ખોટું ગીત વગાડવામાં આવી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ભાજપના નેતાઓએ આ ભૂલ માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા હતા.

મહારાષ્ટ્ર બીજેપી નેતા નિતેશ રાણેએ પણ આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો અને ટ્વિટ કર્યું કે રાહુલનું કોમેડી સર્કસ. તમિલનાડુના બીજેપી નેતા અમર પ્રસાદ રેડ્ડીએ પણ આ જ વીડિયો શેર કર્યો અને લખ્યું કે રાહુલ ગાંધી, આ શું છે?




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.