WTC Day 1 : પહેલા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 327/3, ટ્રેવિસ હેડની અણનમ 146 રનની ઈનિંગ, સ્ટીવ સ્મિથ 95 રને અણનમ


  • Published By :
  • Published Date : 2023-06-08 12:54:33

હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં પહેલા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના નુકસાન પર 327 રન બનાવી દીધા છે. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 146 રનની અને સ્ટીવ સ્મિથે 95 રનની અણનમ ઈનિંગ્સ રમી છે. જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમીએ 2 અને શાર્દુલ ઠાકુરે 1 વિકેટ ઝડપી છે. 


ચોથી વિકેટ માટે 251 રનની ભાગીદારી

ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની ભાગીદારી ભારતીય બોલર્સ માટે માથાના દુખાવા સમાન બની હતી. ટ્રેવિસ હેડે અણનમ 146 રન બનાવી અને સ્ટીવ સ્મિથે અણનમ 95 રન બનાવી ચોથી વિકેટ માટે કુલ 251 રનની ભાગીદારી બનાવી હતી, અને આ બંને ખેલાડી હજી પણ અણનમ છે, જે બાદ ભારતીય બોલર્સે માટે આ પાર્ટનરશીપ તોડવી જરુરી બની છે, હવે બીજા દિવસે જોવાનું છે કે ટીમ ઈન્ડિયા આ મજબૂત પાર્ટનરશીપને તોડવા માટે કેવા પ્રકારનો ગેમ પ્લાન બનાવે છે. 


ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર્સની પરીક્ષા!


ઓસ્ટ્રેલિયાની ધમાકેદાર બેટિંગ બાદ હવે ભારતીય બોલર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની પાર્ટનરશીપ તોડવી ટીમ ઈન્ડિયાના બોલર્સ માટે જરુરી બની છે. જો કે ટીમ ઈન્ડિયા આ મેચમાં એક માત્ર સ્પિનરની સાથે ઉતરી છે, જેમાં સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે,જ્યારે ટેસ્ટમાં નંબર વન સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમની બહાર બેસવાનો વારો આવ્યો છે. હવે આખી મેચનો આધાર ભારતના ઝડપી બોલર્સ પર છે, હવે જોવાનું એ રહેશે કે બીજા દિવસે ભારતીય બોલર્સ કેવા પ્રકારનો દેખાવ કરે છે અને ટીમ ઈન્ડિયાને કેવી રીતે ગેમમાં કમબેક અપાવે છે.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.