WTC Day 1 : પહેલા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 327/3, ટ્રેવિસ હેડની અણનમ 146 રનની ઈનિંગ, સ્ટીવ સ્મિથ 95 રને અણનમ


  • Published By :
  • Published Date : 2023-06-08 12:54:33

હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં પહેલા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના નુકસાન પર 327 રન બનાવી દીધા છે. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 146 રનની અને સ્ટીવ સ્મિથે 95 રનની અણનમ ઈનિંગ્સ રમી છે. જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમીએ 2 અને શાર્દુલ ઠાકુરે 1 વિકેટ ઝડપી છે. 


ચોથી વિકેટ માટે 251 રનની ભાગીદારી

ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની ભાગીદારી ભારતીય બોલર્સ માટે માથાના દુખાવા સમાન બની હતી. ટ્રેવિસ હેડે અણનમ 146 રન બનાવી અને સ્ટીવ સ્મિથે અણનમ 95 રન બનાવી ચોથી વિકેટ માટે કુલ 251 રનની ભાગીદારી બનાવી હતી, અને આ બંને ખેલાડી હજી પણ અણનમ છે, જે બાદ ભારતીય બોલર્સે માટે આ પાર્ટનરશીપ તોડવી જરુરી બની છે, હવે બીજા દિવસે જોવાનું છે કે ટીમ ઈન્ડિયા આ મજબૂત પાર્ટનરશીપને તોડવા માટે કેવા પ્રકારનો ગેમ પ્લાન બનાવે છે. 


ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર્સની પરીક્ષા!


ઓસ્ટ્રેલિયાની ધમાકેદાર બેટિંગ બાદ હવે ભારતીય બોલર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની પાર્ટનરશીપ તોડવી ટીમ ઈન્ડિયાના બોલર્સ માટે જરુરી બની છે. જો કે ટીમ ઈન્ડિયા આ મેચમાં એક માત્ર સ્પિનરની સાથે ઉતરી છે, જેમાં સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે,જ્યારે ટેસ્ટમાં નંબર વન સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમની બહાર બેસવાનો વારો આવ્યો છે. હવે આખી મેચનો આધાર ભારતના ઝડપી બોલર્સ પર છે, હવે જોવાનું એ રહેશે કે બીજા દિવસે ભારતીય બોલર્સ કેવા પ્રકારનો દેખાવ કરે છે અને ટીમ ઈન્ડિયાને કેવી રીતે ગેમમાં કમબેક અપાવે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.