WTC Day 2 : ઓસ્ટ્રેલિયાના 469 રનના સ્કોર સામે ભારત 318 રનથી પાછળ


  • Published By :
  • Published Date : 2023-06-11 12:43:01

હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં બીજા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા છે. સૌ પ્રથમ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કરેલી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યુ હતુ. જેમાં કાંગારુઓની ટીમે ટ્રેવિસ હેડ અને સ્ટિવ સ્મીથની 285 રનની ભાગીદારીની મદદથી  469 રન બનાવી દીધા હતા.જેમાં ટ્રેવિસ હેડે 163 રનની ધમાકેદાર ઈનિંગ અને સ્ટીવ સ્મિથે 121 રનની ઈનિંગ રમી હતી. જેની સામે ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો અને બીજા દિવસના અંત સુધી ભારત 5 વિકેટના નુકસાન પર માત્ર 151 રન બનાવી શક્યુ હતુ. 


ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ


દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમનો ટોપ ઓર્ડર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલની પ્રથમ ઈનિંગમાં નિષ્ફળ સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયાએ આપેલા 469 રનના જવાબમાં ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરવા ઊતરી ત્યારે ટોપ ઓર્ડરમાંથી કેપ્ટન રોહિત શર્મા 26 બોલમાં 15 રન, શુભમન ગિલ 15 બોલમાં માત્ર 13 રન, ચેતેશ્વર પુજારા 25 બોલમાં 14 રન, વિરાટ કોહલી 31 બોલમાં 14 રન અને અજિંક્ય રહાણે 71 બોલમાં 29 રન બનાવીને એક પછી એક પોતાની વિકેટો ઓસ્ટ્રેલિયાના બોલરોને ભેટમાં આપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ, કેમરૂન ગ્રીન અને નાથન લાયને એક-એક વિકેટ લીધી હતી.


રહાણે અને જાડેજાએ બાજી સંભાળી


બીજા દિવસના ત્રીજા સેશનમાં ટીમ ઈન્ડિયાએ પૂજારા અને કોહલીની વિકેટ ગુમાવી હતી. આ પછી રહાણે અને જાડેજાએ ઇનિંગને સંભાળી હતી અને બન્નેએ ટીમના સ્કોરને 100 રનને પાર પહોંચાડ્યો હતો. બન્ને વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યારબાદ જાડેજાને 48 રનના સ્કોર પર આઉટ થયા બાદ બીજા દિવસના અંતે અજિંક્ય  રહાણે 29 રનના અણનમ સ્કોર પર અને કે ઓસ ભરત 5 રનના અણનમ સ્કોર પર ક્રિઝ પર રહ્યા હતા.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.