WTC Day 2 : ઓસ્ટ્રેલિયાના 469 રનના સ્કોર સામે ભારત 318 રનથી પાછળ


  • Published By :
  • Published Date : 2023-06-11 12:43:01

હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં બીજા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા છે. સૌ પ્રથમ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કરેલી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યુ હતુ. જેમાં કાંગારુઓની ટીમે ટ્રેવિસ હેડ અને સ્ટિવ સ્મીથની 285 રનની ભાગીદારીની મદદથી  469 રન બનાવી દીધા હતા.જેમાં ટ્રેવિસ હેડે 163 રનની ધમાકેદાર ઈનિંગ અને સ્ટીવ સ્મિથે 121 રનની ઈનિંગ રમી હતી. જેની સામે ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો અને બીજા દિવસના અંત સુધી ભારત 5 વિકેટના નુકસાન પર માત્ર 151 રન બનાવી શક્યુ હતુ. 


ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ


દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમનો ટોપ ઓર્ડર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલની પ્રથમ ઈનિંગમાં નિષ્ફળ સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયાએ આપેલા 469 રનના જવાબમાં ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરવા ઊતરી ત્યારે ટોપ ઓર્ડરમાંથી કેપ્ટન રોહિત શર્મા 26 બોલમાં 15 રન, શુભમન ગિલ 15 બોલમાં માત્ર 13 રન, ચેતેશ્વર પુજારા 25 બોલમાં 14 રન, વિરાટ કોહલી 31 બોલમાં 14 રન અને અજિંક્ય રહાણે 71 બોલમાં 29 રન બનાવીને એક પછી એક પોતાની વિકેટો ઓસ્ટ્રેલિયાના બોલરોને ભેટમાં આપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ, કેમરૂન ગ્રીન અને નાથન લાયને એક-એક વિકેટ લીધી હતી.


રહાણે અને જાડેજાએ બાજી સંભાળી


બીજા દિવસના ત્રીજા સેશનમાં ટીમ ઈન્ડિયાએ પૂજારા અને કોહલીની વિકેટ ગુમાવી હતી. આ પછી રહાણે અને જાડેજાએ ઇનિંગને સંભાળી હતી અને બન્નેએ ટીમના સ્કોરને 100 રનને પાર પહોંચાડ્યો હતો. બન્ને વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યારબાદ જાડેજાને 48 રનના સ્કોર પર આઉટ થયા બાદ બીજા દિવસના અંતે અજિંક્ય  રહાણે 29 રનના અણનમ સ્કોર પર અને કે ઓસ ભરત 5 રનના અણનમ સ્કોર પર ક્રિઝ પર રહ્યા હતા.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી