WTC Day 2 : ઓસ્ટ્રેલિયાના 469 રનના સ્કોર સામે ભારત 318 રનથી પાછળ


  • Published By :
  • Published Date : 2023-06-11 12:43:01

હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં બીજા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા છે. સૌ પ્રથમ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કરેલી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યુ હતુ. જેમાં કાંગારુઓની ટીમે ટ્રેવિસ હેડ અને સ્ટિવ સ્મીથની 285 રનની ભાગીદારીની મદદથી  469 રન બનાવી દીધા હતા.જેમાં ટ્રેવિસ હેડે 163 રનની ધમાકેદાર ઈનિંગ અને સ્ટીવ સ્મિથે 121 રનની ઈનિંગ રમી હતી. જેની સામે ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો અને બીજા દિવસના અંત સુધી ભારત 5 વિકેટના નુકસાન પર માત્ર 151 રન બનાવી શક્યુ હતુ. 


ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ


દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમનો ટોપ ઓર્ડર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલની પ્રથમ ઈનિંગમાં નિષ્ફળ સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયાએ આપેલા 469 રનના જવાબમાં ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરવા ઊતરી ત્યારે ટોપ ઓર્ડરમાંથી કેપ્ટન રોહિત શર્મા 26 બોલમાં 15 રન, શુભમન ગિલ 15 બોલમાં માત્ર 13 રન, ચેતેશ્વર પુજારા 25 બોલમાં 14 રન, વિરાટ કોહલી 31 બોલમાં 14 રન અને અજિંક્ય રહાણે 71 બોલમાં 29 રન બનાવીને એક પછી એક પોતાની વિકેટો ઓસ્ટ્રેલિયાના બોલરોને ભેટમાં આપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ, કેમરૂન ગ્રીન અને નાથન લાયને એક-એક વિકેટ લીધી હતી.


રહાણે અને જાડેજાએ બાજી સંભાળી


બીજા દિવસના ત્રીજા સેશનમાં ટીમ ઈન્ડિયાએ પૂજારા અને કોહલીની વિકેટ ગુમાવી હતી. આ પછી રહાણે અને જાડેજાએ ઇનિંગને સંભાળી હતી અને બન્નેએ ટીમના સ્કોરને 100 રનને પાર પહોંચાડ્યો હતો. બન્ને વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યારબાદ જાડેજાને 48 રનના સ્કોર પર આઉટ થયા બાદ બીજા દિવસના અંતે અજિંક્ય  રહાણે 29 રનના અણનમ સ્કોર પર અને કે ઓસ ભરત 5 રનના અણનમ સ્કોર પર ક્રિઝ પર રહ્યા હતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.