WTC Final : ચોથા દિવસના અંતે ભારત 164/3, જીતવા માટે 280 રનની જરુર


  • Published By :
  • Published Date : 2023-06-11 12:40:01

હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં ચોથા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા છે અને ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 97 ઓવરમાં 280 રન કરવાની જરુર છે. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ 270/8 ના સ્કોર પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો અને ભારતને 444 રનનો લક્ષ્ય આપ્યો હતો.જેના જવાબમાં ભારતીય ટીમે ચોથા દિવસના ત્રીજા સેશનના અંત સુધીમાં 3 વિકેટના નુકસાને 164 રન બનાવી દીધા હતા. 

 

ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 7 વિકેટની જરુર


ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે બીજા સેશનના અંત સુધીમાં 270 રન પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો, જે બાદ ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા 60 બોલમાં 43 રન, શુભમન ગિલ 19 બોલમાં 18 રન અને ચેતેશ્વર પૂજારા 47 બોલમાં 27 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે હાલ વિરાટ કોહલી 60 બોલમાં 44 રન અણનમ અને અજિંક્ય રહાણે 59 બોલમાં 20 રન અણનમ સાથે હાલ રમતમાં છે. તેથી મેચના છેલ્લા દિવસે ભારતીય ટીમને વિશ્વ વિજેતા બનવું હોય તો 97 ઓવરમાં 280 રન બનાવવા પડશે, જ્યારે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય તો તેણે ભારતને ઓલ આઉટ કરવું પડશે એટલે કે તેને 7 વિકેટની જરુર છે. 


મેચના છેલ્લા દિવસે પડી શકે છે વરસાદ 


ઓવલમાં મેચના છેલ્લા દિવસે વરસાદની પણ સંભાવના છે, જેથી ટીમ ઈન્ડિયાને આજે ભેજવાળા વાતાવરણમાં બેટિંગ કરવી પડી શકે છે, જે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે ભેજવાળા વાતાવરણમાં પીચ ધીમી પડવાની સંભાવના પણ છે. જ્યારે વધુ વરસાદ પડે અને મેચ ડ્રો થાય તો ટ્રોફી બંને ટીમો વચ્ચે શેર કરવામાં આવશે.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.