WTC Final : ચોથા દિવસના અંતે ભારત 164/3, જીતવા માટે 280 રનની જરુર


  • Published By :
  • Published Date : 2023-06-11 12:40:01

હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં ચોથા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા છે અને ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 97 ઓવરમાં 280 રન કરવાની જરુર છે. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ 270/8 ના સ્કોર પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો અને ભારતને 444 રનનો લક્ષ્ય આપ્યો હતો.જેના જવાબમાં ભારતીય ટીમે ચોથા દિવસના ત્રીજા સેશનના અંત સુધીમાં 3 વિકેટના નુકસાને 164 રન બનાવી દીધા હતા. 

 

ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 7 વિકેટની જરુર


ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે બીજા સેશનના અંત સુધીમાં 270 રન પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો, જે બાદ ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા 60 બોલમાં 43 રન, શુભમન ગિલ 19 બોલમાં 18 રન અને ચેતેશ્વર પૂજારા 47 બોલમાં 27 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે હાલ વિરાટ કોહલી 60 બોલમાં 44 રન અણનમ અને અજિંક્ય રહાણે 59 બોલમાં 20 રન અણનમ સાથે હાલ રમતમાં છે. તેથી મેચના છેલ્લા દિવસે ભારતીય ટીમને વિશ્વ વિજેતા બનવું હોય તો 97 ઓવરમાં 280 રન બનાવવા પડશે, જ્યારે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય તો તેણે ભારતને ઓલ આઉટ કરવું પડશે એટલે કે તેને 7 વિકેટની જરુર છે. 


મેચના છેલ્લા દિવસે પડી શકે છે વરસાદ 


ઓવલમાં મેચના છેલ્લા દિવસે વરસાદની પણ સંભાવના છે, જેથી ટીમ ઈન્ડિયાને આજે ભેજવાળા વાતાવરણમાં બેટિંગ કરવી પડી શકે છે, જે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે ભેજવાળા વાતાવરણમાં પીચ ધીમી પડવાની સંભાવના પણ છે. જ્યારે વધુ વરસાદ પડે અને મેચ ડ્રો થાય તો ટ્રોફી બંને ટીમો વચ્ચે શેર કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે