WTC Final : ચોથા દિવસના અંતે ભારત 164/3, જીતવા માટે 280 રનની જરુર


  • Published By :
  • Published Date : 2023-06-11 12:40:01

હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં ચોથા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા છે અને ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 97 ઓવરમાં 280 રન કરવાની જરુર છે. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ 270/8 ના સ્કોર પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો અને ભારતને 444 રનનો લક્ષ્ય આપ્યો હતો.જેના જવાબમાં ભારતીય ટીમે ચોથા દિવસના ત્રીજા સેશનના અંત સુધીમાં 3 વિકેટના નુકસાને 164 રન બનાવી દીધા હતા. 

 

ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 7 વિકેટની જરુર


ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે બીજા સેશનના અંત સુધીમાં 270 રન પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો, જે બાદ ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા 60 બોલમાં 43 રન, શુભમન ગિલ 19 બોલમાં 18 રન અને ચેતેશ્વર પૂજારા 47 બોલમાં 27 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે હાલ વિરાટ કોહલી 60 બોલમાં 44 રન અણનમ અને અજિંક્ય રહાણે 59 બોલમાં 20 રન અણનમ સાથે હાલ રમતમાં છે. તેથી મેચના છેલ્લા દિવસે ભારતીય ટીમને વિશ્વ વિજેતા બનવું હોય તો 97 ઓવરમાં 280 રન બનાવવા પડશે, જ્યારે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય તો તેણે ભારતને ઓલ આઉટ કરવું પડશે એટલે કે તેને 7 વિકેટની જરુર છે. 


મેચના છેલ્લા દિવસે પડી શકે છે વરસાદ 


ઓવલમાં મેચના છેલ્લા દિવસે વરસાદની પણ સંભાવના છે, જેથી ટીમ ઈન્ડિયાને આજે ભેજવાળા વાતાવરણમાં બેટિંગ કરવી પડી શકે છે, જે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે ભેજવાળા વાતાવરણમાં પીચ ધીમી પડવાની સંભાવના પણ છે. જ્યારે વધુ વરસાદ પડે અને મેચ ડ્રો થાય તો ટ્રોફી બંને ટીમો વચ્ચે શેર કરવામાં આવશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી