WTC Final : ચોથા દિવસના અંતે ભારત 164/3, જીતવા માટે 280 રનની જરુર


  • Published By :
  • Published Date : 2023-06-11 12:40:01

હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં ચોથા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા છે અને ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 97 ઓવરમાં 280 રન કરવાની જરુર છે. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ 270/8 ના સ્કોર પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો અને ભારતને 444 રનનો લક્ષ્ય આપ્યો હતો.જેના જવાબમાં ભારતીય ટીમે ચોથા દિવસના ત્રીજા સેશનના અંત સુધીમાં 3 વિકેટના નુકસાને 164 રન બનાવી દીધા હતા. 

 

ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 7 વિકેટની જરુર


ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે બીજા સેશનના અંત સુધીમાં 270 રન પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો, જે બાદ ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા 60 બોલમાં 43 રન, શુભમન ગિલ 19 બોલમાં 18 રન અને ચેતેશ્વર પૂજારા 47 બોલમાં 27 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે હાલ વિરાટ કોહલી 60 બોલમાં 44 રન અણનમ અને અજિંક્ય રહાણે 59 બોલમાં 20 રન અણનમ સાથે હાલ રમતમાં છે. તેથી મેચના છેલ્લા દિવસે ભારતીય ટીમને વિશ્વ વિજેતા બનવું હોય તો 97 ઓવરમાં 280 રન બનાવવા પડશે, જ્યારે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય તો તેણે ભારતને ઓલ આઉટ કરવું પડશે એટલે કે તેને 7 વિકેટની જરુર છે. 


મેચના છેલ્લા દિવસે પડી શકે છે વરસાદ 


ઓવલમાં મેચના છેલ્લા દિવસે વરસાદની પણ સંભાવના છે, જેથી ટીમ ઈન્ડિયાને આજે ભેજવાળા વાતાવરણમાં બેટિંગ કરવી પડી શકે છે, જે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે ભેજવાળા વાતાવરણમાં પીચ ધીમી પડવાની સંભાવના પણ છે. જ્યારે વધુ વરસાદ પડે અને મેચ ડ્રો થાય તો ટ્રોફી બંને ટીમો વચ્ચે શેર કરવામાં આવશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.