આજથી IND vs AUS વચ્ચે WTC Finalનો પ્રારંભ,જાણો બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન


  • Published By :
  • Published Date : 2023-06-07 13:00:29

આજથી લંડનના ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરુઆત થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર આ ફાઈનલ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગે શરુ થશે. ઓવલ ખાતે હાલ આ મેચને લઈને તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને બંને ટીમો આ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતીને વિશ્વ વિજેતા બનવા માટે તૈયાર છે. 


ઓવલમાં બંને ટીમનો દેખાવ

જો ઈંગ્લેન્ડમાં બંને ટીમના દેખાવની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી 176 ટેસ્ટ મેચ રમી છે અને 69 ટકા મેચ જીતી છે, જ્યારે ટીમ ઈન્ડિયા કુલ 68 મેચ રમી છે અને તેમાંથી માત્ર 9 મેચ જીતી છે, જ્યારે હાલ જ્યાં WTC ફાઈનલ રમાવાની છે, તે ઓવલ ગ્રાઉન્ડમાં બંને ટીમના દેખાવની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા આ મેદાન પર 38 ટેસ્ટમાંથી માત્ર 7 ટેસ્ટ મેચ જ જીતી શકી છે, જ્યારે ટીમ ઈન્ડિયા આ મેદાન પર 14 ટેસ્ટમાંથી માત્ર 2 મેચ જ જીતી શકી છે, એટલે બંને ટીમો માટે આ ગ્રાઉન્ડ પરનો મુકાબલો ઘણો રસપ્રદ રહેશે. 


બંને ટીમના સંભવિત પ્લેઈંગ ઈલેવન 

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, 


સ્ટેન્ડબાય ખેલાડીઓ: અક્ષર પટેલ,ઉમેશ યાદવ, જયદેવ ઉનકડ, ઉમેશ યાદવ. ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ.


ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ ઈલેવન : પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, ડેવિડ વોર્નર, એલેક્સ કેરી (વિકેટકીપર),સ્ટીવ સ્મિથ, કેમરોન ગ્રીન, માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ,ઉસ્માન ખ્વાજા,મિશેલ માર્શ, નાથન લિયોન, 


સ્ટેન્ડબાય ખેલાડીઓ: ટોડ મર્ફી, માઇકલ નેસર, જોશ ઇંગ્લિસ (wk), મિશેલ સ્ટાર્ક, મેથ્યુ રેનશો,માર્નસ લાબુશેન.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.