G20 સંમેલનમાં શી જિનપિંગ અને જસ્ટિન ટ્રુડો વચ્ચે આ બાબતે થઈ તકરાર, Video


  • Published By :
  • Published Date : 2022-11-16 21:54:58

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે ઇન્ડોનેશિયાના શહેર બાલીમાં જી-20 સમિટથી ઇતર પણ વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને વચ્ચેની આ વાતચીત ' તીખી તકરાર' જેવી જણાઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, જિનપિંગ અને ટ્રુડો વચ્ચે બંને નેતાઓ વચ્ચે પહેલા થયેલી અનૌપચારિક વાતચીતની માહિતી 'લીક' થવા પર વાતચીત ચાલી રહી હતી.


ટ્રુડોએ જિનપિંગને આપ્યો જોરદાર જવાબ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર નારાજ જિનપિંગે ટ્રુડોને કહ્યું, "આપણે જે પણ ચર્ચા કરી તે લીક થઈ ગઈ, તે યોગ્ય નથી." સ્થળ પર હાજર ચીની ભાષાના અનુવાદકે જિનપિંગને આ કહેતા સાંભળ્યા. જવાબ આપતા, ટ્રુડોએ કહ્યું કે તેઓ "મુક્ત, ખુલ્લા અને નિષ્પક્ષ સંવાદ"માં વિશ્વાસ રાખે છે. તેમણે તેમ પણ કહ્યું કે આપણે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું,  તેમણે તેમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં એવી ઘટનાઓ બનતી રહેશે જેના પર આપણે અસંમત હોઈશું.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.