G20 સંમેલનમાં શી જિનપિંગ અને જસ્ટિન ટ્રુડો વચ્ચે આ બાબતે થઈ તકરાર, Video


  • Published By :
  • Published Date : 2022-11-16 21:54:58

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે ઇન્ડોનેશિયાના શહેર બાલીમાં જી-20 સમિટથી ઇતર પણ વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને વચ્ચેની આ વાતચીત ' તીખી તકરાર' જેવી જણાઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, જિનપિંગ અને ટ્રુડો વચ્ચે બંને નેતાઓ વચ્ચે પહેલા થયેલી અનૌપચારિક વાતચીતની માહિતી 'લીક' થવા પર વાતચીત ચાલી રહી હતી.


ટ્રુડોએ જિનપિંગને આપ્યો જોરદાર જવાબ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર નારાજ જિનપિંગે ટ્રુડોને કહ્યું, "આપણે જે પણ ચર્ચા કરી તે લીક થઈ ગઈ, તે યોગ્ય નથી." સ્થળ પર હાજર ચીની ભાષાના અનુવાદકે જિનપિંગને આ કહેતા સાંભળ્યા. જવાબ આપતા, ટ્રુડોએ કહ્યું કે તેઓ "મુક્ત, ખુલ્લા અને નિષ્પક્ષ સંવાદ"માં વિશ્વાસ રાખે છે. તેમણે તેમ પણ કહ્યું કે આપણે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું,  તેમણે તેમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં એવી ઘટનાઓ બનતી રહેશે જેના પર આપણે અસંમત હોઈશું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.