G20 સંમેલનમાં શી જિનપિંગ અને જસ્ટિન ટ્રુડો વચ્ચે આ બાબતે થઈ તકરાર, Video


  • Published By :
  • Published Date : 2022-11-16 21:54:58

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે ઇન્ડોનેશિયાના શહેર બાલીમાં જી-20 સમિટથી ઇતર પણ વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને વચ્ચેની આ વાતચીત ' તીખી તકરાર' જેવી જણાઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, જિનપિંગ અને ટ્રુડો વચ્ચે બંને નેતાઓ વચ્ચે પહેલા થયેલી અનૌપચારિક વાતચીતની માહિતી 'લીક' થવા પર વાતચીત ચાલી રહી હતી.


ટ્રુડોએ જિનપિંગને આપ્યો જોરદાર જવાબ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર નારાજ જિનપિંગે ટ્રુડોને કહ્યું, "આપણે જે પણ ચર્ચા કરી તે લીક થઈ ગઈ, તે યોગ્ય નથી." સ્થળ પર હાજર ચીની ભાષાના અનુવાદકે જિનપિંગને આ કહેતા સાંભળ્યા. જવાબ આપતા, ટ્રુડોએ કહ્યું કે તેઓ "મુક્ત, ખુલ્લા અને નિષ્પક્ષ સંવાદ"માં વિશ્વાસ રાખે છે. તેમણે તેમ પણ કહ્યું કે આપણે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું,  તેમણે તેમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં એવી ઘટનાઓ બનતી રહેશે જેના પર આપણે અસંમત હોઈશું.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .