ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે લોકોને આપી મોટી ભેટ, 5 વર્ષના તમામ ટ્રાફિક ચલણ કેન્સલ, તમામ વાહનો પર નિયમ લાગુ


  • Published By :
  • Published Date : 2023-06-09 22:38:58

યોગી સરકારે રાજ્યના પેસેન્જર અને કોમર્શિયલ વાહન માલિકોને મોટી ભેટ આપી છે. યોગી સરકારે UPમાં વાહન માલિકોના ચલણ રદ કરી દીધા છે અને લાંબા સમયથી ચલણ ન ભરનારા માલિકોને રાહત આપી છે. સીએમ યોગીના આ નિર્ણયથી રાજ્યના લાખો વાહન માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ટ્રાફિકના અલગ-અલગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણ વસૂલવામાં આવેલા ડ્રાઇવરો માટે આ સારા સમાચાર છે. આવી સ્થિતિમાં, ઉત્તર પ્રદેશમાં 1 જાન્યુઆરી, 2017 થી 31 ડિસેમ્બર, 2021 વચ્ચેના સમયગાળામાં જેટલા પણ ચલણ કાપવામાં આવ્યા છે તે તમામ ચલણ રદ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત રાજ્યની વિવિધ કોર્ટમાં જે કેસ પેન્ડીંગ છે તે તમામ વાહનો પર આ નિયમ લાગુ પડે છે. 


ટ્રાન્સપોર્ટ કમિશનરે આપ્યો આદેશ


ટ્રાન્સપોર્ટ કમિશનર ચંદ્ર ભૂષણ સિંહે તમામ વિભાગીય પરિવહન અધિકારીઓને કોર્ટમાં સબકમિટીના કેસોની યાદી મળ્યા બાદ પોર્ટલ પરથી આ ચલણો કાઢી નાખવા સૂચના આપી છે. યુપી સરકારના આ પગલાથી બાકીના લોકોને મોટી રાહત મળશે. આ અંગેની સૂચનાઓ સરકાર દ્વારા તમામ વિભાગીય પરિવહન કચેરીઓને મોકલી દેવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટમાં પેન્ડિંગ ચલાનની યાદી મળ્યા બાદ તેને ઈ-ચલાન પોર્ટલ પરથી હટાવી દેવામાં આવે. આદેશ અનુસાર, 1 જાન્યુઆરી, 2017 થી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા દરમિયાન કાપવામાં આવેલા ચલણને રદ કરવામાં આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ કમિશનરે કહ્યું કે ઉત્તર પ્રદેશ ઓર્ડિનન્સ નંબર 2 જૂન 2023 દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે કે જૂના પેન્ડિંગ ચલણો રદ કરવામાં આવે. અત્રે ઉલ્લેખનિય છે કે નોઈડામાં ખેડૂતો આ રીતે ચલણ રદ કરવાની માંગ સાથે ધરણા કરી રહ્યા હતા. આ રીતે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કરોડો લોકોના ચલણ માફ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.