ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે લોકોને આપી મોટી ભેટ, 5 વર્ષના તમામ ટ્રાફિક ચલણ કેન્સલ, તમામ વાહનો પર નિયમ લાગુ


  • Published By :
  • Published Date : 2023-06-09 22:38:58

યોગી સરકારે રાજ્યના પેસેન્જર અને કોમર્શિયલ વાહન માલિકોને મોટી ભેટ આપી છે. યોગી સરકારે UPમાં વાહન માલિકોના ચલણ રદ કરી દીધા છે અને લાંબા સમયથી ચલણ ન ભરનારા માલિકોને રાહત આપી છે. સીએમ યોગીના આ નિર્ણયથી રાજ્યના લાખો વાહન માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ટ્રાફિકના અલગ-અલગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણ વસૂલવામાં આવેલા ડ્રાઇવરો માટે આ સારા સમાચાર છે. આવી સ્થિતિમાં, ઉત્તર પ્રદેશમાં 1 જાન્યુઆરી, 2017 થી 31 ડિસેમ્બર, 2021 વચ્ચેના સમયગાળામાં જેટલા પણ ચલણ કાપવામાં આવ્યા છે તે તમામ ચલણ રદ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત રાજ્યની વિવિધ કોર્ટમાં જે કેસ પેન્ડીંગ છે તે તમામ વાહનો પર આ નિયમ લાગુ પડે છે. 


ટ્રાન્સપોર્ટ કમિશનરે આપ્યો આદેશ


ટ્રાન્સપોર્ટ કમિશનર ચંદ્ર ભૂષણ સિંહે તમામ વિભાગીય પરિવહન અધિકારીઓને કોર્ટમાં સબકમિટીના કેસોની યાદી મળ્યા બાદ પોર્ટલ પરથી આ ચલણો કાઢી નાખવા સૂચના આપી છે. યુપી સરકારના આ પગલાથી બાકીના લોકોને મોટી રાહત મળશે. આ અંગેની સૂચનાઓ સરકાર દ્વારા તમામ વિભાગીય પરિવહન કચેરીઓને મોકલી દેવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટમાં પેન્ડિંગ ચલાનની યાદી મળ્યા બાદ તેને ઈ-ચલાન પોર્ટલ પરથી હટાવી દેવામાં આવે. આદેશ અનુસાર, 1 જાન્યુઆરી, 2017 થી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા દરમિયાન કાપવામાં આવેલા ચલણને રદ કરવામાં આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ કમિશનરે કહ્યું કે ઉત્તર પ્રદેશ ઓર્ડિનન્સ નંબર 2 જૂન 2023 દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે કે જૂના પેન્ડિંગ ચલણો રદ કરવામાં આવે. અત્રે ઉલ્લેખનિય છે કે નોઈડામાં ખેડૂતો આ રીતે ચલણ રદ કરવાની માંગ સાથે ધરણા કરી રહ્યા હતા. આ રીતે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કરોડો લોકોના ચલણ માફ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.