આપ ફરી વિવાદમાં આવ્યા નવરાત્રીના પાસમાં આપના જિલ્લા પ્રમુખનો ફોટો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 15:28:20

 

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે એમ એમ રાજકારણ ગરમાતુ જાય છે. લોકો સુધી પોહચવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે લુણાવાડા ઇન્દિરા મેદાનમાં મહીસાગર ગરબા ઉત્સવ સમિતિ અને જિલ્લા વહિવટીતંત્રના આયોજનમાં ગરબામાં આગામી વિધાનસભાને અનુલક્ષી અનોખો ઓળખ છુપાવી પ્રચારમાં રહેવાનો રાજકીય રંગ લાગ્યો છે. ગરબાના સ્પોન્સર બનતા અંગે ભાજપને વખતે પાછળ મૂકી મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની સંસ્થા પાસ સ્પોન્સર બની છે. વહીવટી તંત્ર આયોજિત ગરબા મહોત્સવમાં આપના જિલ્લા પ્રમુખનો એન્ટ્રી પાસ ઉપર ફોટો લગાવતા મોટો વિવાદ સામે આવ્યો છે.

 

આપની તૈયારીયો

એક તરફ ગુજરાતમાં નવરાત્રીનો માહોલ છે ત્યાં બીજી તરફ ચુંટણીને લઈને પણ જોશ છે. એટલે નવરાત્રી તહેવારને ચુંટણી સાથે જોડવામાં આવી રહી છે.  નવરાત્રિના પાસમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ફોટો છાપતાં વિવાદ સામે આવ્યો છે. મહીસાગર વહીવટી તંત્રએ આપ્યો એક મોકો આપ પાર્ટીના જિલ્લા પ્રમુખને અને વિવાદનો મુદ્દો સામે આવ્યો છે. અને જેના કારણે વિપક્ષના કાર્યકરોમાં રોષ ભર્યો છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .