આપ ફરી વિવાદમાં આવ્યા નવરાત્રીના પાસમાં આપના જિલ્લા પ્રમુખનો ફોટો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 15:28:20

 

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે એમ એમ રાજકારણ ગરમાતુ જાય છે. લોકો સુધી પોહચવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે લુણાવાડા ઇન્દિરા મેદાનમાં મહીસાગર ગરબા ઉત્સવ સમિતિ અને જિલ્લા વહિવટીતંત્રના આયોજનમાં ગરબામાં આગામી વિધાનસભાને અનુલક્ષી અનોખો ઓળખ છુપાવી પ્રચારમાં રહેવાનો રાજકીય રંગ લાગ્યો છે. ગરબાના સ્પોન્સર બનતા અંગે ભાજપને વખતે પાછળ મૂકી મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની સંસ્થા પાસ સ્પોન્સર બની છે. વહીવટી તંત્ર આયોજિત ગરબા મહોત્સવમાં આપના જિલ્લા પ્રમુખનો એન્ટ્રી પાસ ઉપર ફોટો લગાવતા મોટો વિવાદ સામે આવ્યો છે.

 

આપની તૈયારીયો

એક તરફ ગુજરાતમાં નવરાત્રીનો માહોલ છે ત્યાં બીજી તરફ ચુંટણીને લઈને પણ જોશ છે. એટલે નવરાત્રી તહેવારને ચુંટણી સાથે જોડવામાં આવી રહી છે.  નવરાત્રિના પાસમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ફોટો છાપતાં વિવાદ સામે આવ્યો છે. મહીસાગર વહીવટી તંત્રએ આપ્યો એક મોકો આપ પાર્ટીના જિલ્લા પ્રમુખને અને વિવાદનો મુદ્દો સામે આવ્યો છે. અને જેના કારણે વિપક્ષના કાર્યકરોમાં રોષ ભર્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.