ઉંઘ અને સપના વિશે આવી વાતો તો તમે ક્યારેય નહીં સાંભળી હોય!


  • Published By :
  • Published Date : 2023-03-23 20:35:43

પહેલા તો ઉંઘના અમુક એવા ફેક્ટ પર સાંભળીએ. માણસ પોતાના જીવનના એક તૃત્યાંશ સમય સૂવામાં વીતાવે છે. જો ઉંઘ પૂરીના કરો તો માનસિક કે શારીરિક રીતે સુસ્તી લાગવા લાગતી હોય છે. માણસ એક સમયે ખાધા વગર 2 મહિના સુધી જીવી શકે છે પણ જો 11 દિવસ તે ઉંઘે નહીં તો તેનું મોત થઈ જાય છે. તો ટૂંકમાં સમજીએ તો નિંદર બહુ જરૂરી છે. 


ઉંઘ શા માટે આવે છે?

ઉંઘ શા માટે આવે છે તેની વાત કરીએ તો જવાબ મળે છે કે અત્યાર સુધીમાં કોઈ ન્યૂરો સાઈન્ટિસ્ટ નથી સમજી શક્યો કે શા માટે ઉંઘ આવે છે. બસ આપણને એટલી ખબર હોય છે કે શરીરને કામ કરવા માટે ઉંઘ બહુ જરૂરી છે. મગજની જાગરુકતા માટે ઉંઘ ખૂબ જરૂરી છે. મગજમાંથી નીકળતી આલ્ફા વેવ્સ નિકળે છે અને નિંદર આવવા લાગે છે. ધીમે ધીમે આપણે ગાઢ નિંદ્રામાં પહોંચી જઈએ છીએ.

How to stop drooling: The 7 best ways and why it happens

શરીર માટે કેટલી ઉંઘ જરૂરી છે?

હવે આપણે નાના હોઈએ અને ઘરડા થઈએ એના વચ્ચે ઘણી અવસ્થા આવે છે... જન્મ થાય, બાળક બનીએ, કિશોર બનીએ, વયસ્ક બનીએ, આધેડ થઈએ અને ઘરડા થઈએ.. બસ તેમજ ઉંઘના પણ લેવલ હોય... દસ મિનિટના પહેલા ફેઝને હલકી ઉંઘ કહેવાય. પછી બીજો સ્ટેજ આવે જે ગાઢ હોય છે... ગાઢ નિંદરનો સમય 20 મિનિટનો હોય છે... તમને જાણીને નવાઈ લાગશે કે આપણે ઉંઘ્યા હોય ત્યારની 20 મિનિટથી 90 મિનિટ સુધી કોઈ સપના નથી આવતા... તમને ખબર હોય તો અમુક લોકોની આંખો ઉંઘમાં પણ હલતી હોય છે... જ્યારે કોી વ્યક્તિ 90 મિનિટની ઉંઘ પૂરી કરી લે ત્યારથી તેની રેપીડ આઈ મુમેન્ટ શરૂ થઈ જાય ચે... પછી તેની આંખો હલન ચલન કરવા લાગતી હોય છે... 

Sleep | Dream Interpretation Sleep | Meaning of Sleep in Dream

ઉંઘના પણ તબક્કાઓ હોય છે

ઉંઘની અવસ્થાઓની વાત કરીએ તો પૂર્વ નિંદ્રામાં શરીરની માંસપેશીઓ ઢીલી થઈ જાય છે... હ્રદયના ધબકારા ધીમા પડી જાય અને શરીરનું તાપમાન ઘટી જાય છે... હલ્કી ઉંઘ ેટલે એવી અવસ્થા જેમાં તમને કોઈ પણ ઉઠાડી શકે છે... તમને કોઈ અડે  અને તમે ઉઠી જાવ... આને હલકી ઉંઘ કહેવાય... પછી મંદ તરંગ ઉંઘ પણ હોય જેમાં શરીરમાં લોહી વહેવાનું ધીમુ થઈ જાય છે... આ એ જ અવસ્થા છે જેમાં લોકો ઉંઘમાં બોલતા હોય છે... તો હવે તમારી બાજુમાં સૂતું કોઈ વ્યક્તિ ઉંઘમાં બોલે તો સમજજો કે તે મંદ તરંગ નિંદ્રામાં છે... તમને ખબર હોય તો તમને કોઈ ઉઠાડે અને તમે એકદમ ભયાનક ગુસ્સામાં આવી જાવ... આ પરિસ્થિતિ જ્યારે ઉઠીને એકદમ અજીબ ફીલ થાય ત્યારે તે અવસ્થાને અતિ મંદ તરંગ ઉંઘ કહેવાય ... છેલ્લી બે અવસ્થા અટલે કે મન્દ તરંગ નિંદ્રા અને અતિ મંદ તરંગ નિદ્રા આ એવી અવસ્થા છે જેમાં વ્યક્તિ મસ્ત રીતે ઉંઘનો અનુભવ કરતા હોય છે... દુનિયાના 90 ટકા લોકો આ ઉંઘ કરે છે... 

13 Medical Conditions That Cause Insomnia

હવે એવો પણ સવાલ થાય કે કેટલું સૂવું જરૂરી છે... 

તો બાળકોને 17 કલાકની ઉંઘ અતિ જરૂરી છે... કિશોરાઅવસ્થામાં 9થી 10 કલાક સૂવું ખૂબ જરૂરી છે... વયસ્કો માટે 8 કલાકની અને ઘરડા લોકો માટે પણ આઠ કલાકની ઉંઘ જરૂરી છે... પણ ઘરડા લોકોને શરૂઆતના ત્રણ ચાર કલાક જ ઉંઘ આવે છે પછી તે પથારીમાં પડખા જ ફરતા હોય છે... પછી તેમને ઉંઘ નથી આવતી... સારા સ્વાસ્થ્ય માટે ઉંઘવું ખૂબ જરૂરી છે.. મહાન કવિ સેક્સપીયરે ઉંઘને જીવવનો સૌથી ઉત્તમ પોષાક કહ્યો છે... આ સિવાય જીવન માટે આહાર ઉંઘ અને મૈથુન પ્રાકૃતિક કર્મ મનાયા છે... 

Best and worst foods for a good night sleep ~ World of Fashion Beauty ...

સારી ઉંઘ માટે શું કરવું?

અમૂક લોકોને ઉંઘ નથી આવતી તો તે ઉંઘવા માટે દવા લેતા હોય ચે... જે શરીર માટે અતિ ગંભીર છે... સારી ઉંઘ લેવા માટે ભોજન ખૂબ જરૂરી છે... રાત્રે સૂતા પહેલા નહાવાથી સારી ઉંઘ આવે છે... સંતોષી મન બનાવીને ઉંઘીએ તો સારી ઉંઘ આવે... જો મનમાં કોઈ ખોટ રાખીને સૂઈએ તો રાત્રે નિંદર ઉડી જ જતી હોય છે... રાત્રે સૂતા પહેલા એક વાતનું ધ્યાન એ પણ રાખવું જોઈએ કે લાઈટ બંધ હોવી જોઈએ... 


ઉંઘના હવે અમુક ફેક્ટ્સ પણ જાણી લો 

Become a Top Student While Sleeping 8 Hours a Night - Florida Prepaid ...

માણસ પોતાના જીવનમાં 25 વર્ષ તો સૂવામાં વિતાવે છે

બિલાળી પોતાના જીવનનો સીતેર ટકા સમય સૂવામાં વિતાવે છે

જો કોઈ વ્યક્તિ સતત 16 કલાક જેટલું જાગી જાય તો તે દારુના નશામાં હોય તેવું તેને લાગવા લાગતું હોય છે

પૂરી દુનિયામાં 15 ટકા લોકોને ઉંઘમાં ચાલવાની બીમારી છે. 5 ટકા લોકોને ઉંઘમાં બોલવાની ટેવ હોય છે. 

સસલું આંખો ખુલી રાખીને સૂવે છે અને ઘોડો ઉભા ઉભા જ સૂઈ શકે છે,,, 

માણસને હાર્ટ એટેક 3થી 4 વાગ્યા વચ્ચે જ આવે છે કારણ કે આ સમયમાં શરીર એકદમ ઢીલુ પડી ગયું હોય છે... 

અમેરિકામાં 8 ટકા લોકો રાત્રે સંપૂર્ણ નગ્ન થઈને સૂવે છે... 

જ્યારે તમે સૂતા હોવ છો ત્યારે તમને ક્યારેય છીંક નથી આવતી 

જ્યારે દુનિયામાં કલર ટીવી ના હતા ત્યારે લોકોને બ્લેક એન્ડ વાઈટ સપના આવતા હતા












 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.