'તમે તો સની દેઓલ જેવા લાગો છો,' ગદર-2 ફિલ્મના શુટિંગ દરમિયાન કોણે સની દેઓલને કહ્યું આવું? જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-03-06 14:04:45

થોડા સમય બાદ સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર-2 આવી રહી છે. આ ફિલ્મને લઈ સની દેઓલ હાલ ચર્ચામાં છે. સની દેઓલે શૂટિંગ સમયનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક ખેડૂત સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે. બળદગાડામાં ચારો લઈ જઈ રહેલા વ્યક્તિએ સની દેઓલને કહ્યું કે તમે સની દેઓલ જેવા લાગી રહ્યા છો. તો જવાબ આપતા તેમણે કહ્યું કે મેં વો હીં હું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો  

ગદર-2ની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. જે બાદ ફેન્સમાં આ ફિલ્મને લઈ આતુરતા જોવા મળી રહી છે. ગદર ફિલ્મમાં સની દેઓલ દ્વારા કરવામાં આવેલા પાત્ર આજે પણ લોકોના દિલમાં વસે છે. હાલ આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ દરમિયાન સોશિયલ મીડિયા પર એકટરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે. 


વ્યક્તિ ન ઓળખી શક્યો સની દેઓલને !

ગદર-2 ફિલ્મનું શુટિંગ મહારાષ્ટ્રના એક ગામમાં ચાલી રહ્યું હતું. શુટિંગ દરમિયાન સની દેઓલ બળદગાડામાં ચારો લઈ જઈ રહેલા વ્યક્તિની સાથે સની દેઓલની ટીમ વાતચીત કરી રહી હતી તે દરમિયાન સની દેઓલ ત્યાં આવી ગયા.પેલા વ્યક્તિએ કહ્યું કે તમે તો સની દેઓલ જેવા લાગો છો. વ્યક્તિને ખબર જ ન હતી કે તે સની દેઓલની સાથે જ વાત કરી રહ્યો છે. બળદગાડા પર આવેલા વ્યક્તિને કહ્યું કે હું એ જ છું. આ વાત સાંભળી વ્યક્તિ શરમાઈ ગયો.એક્ટરે રવિવારે આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ગદર-2 ફિલ્મ ઓગષ્ટ મહિનામાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈ ફેન્સમાં આતુરતા જોવા મળી રહી છે.       




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.