'તમે તો સની દેઓલ જેવા લાગો છો,' ગદર-2 ફિલ્મના શુટિંગ દરમિયાન કોણે સની દેઓલને કહ્યું આવું? જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-03-06 14:04:45

થોડા સમય બાદ સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર-2 આવી રહી છે. આ ફિલ્મને લઈ સની દેઓલ હાલ ચર્ચામાં છે. સની દેઓલે શૂટિંગ સમયનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક ખેડૂત સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે. બળદગાડામાં ચારો લઈ જઈ રહેલા વ્યક્તિએ સની દેઓલને કહ્યું કે તમે સની દેઓલ જેવા લાગી રહ્યા છો. તો જવાબ આપતા તેમણે કહ્યું કે મેં વો હીં હું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો  

ગદર-2ની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. જે બાદ ફેન્સમાં આ ફિલ્મને લઈ આતુરતા જોવા મળી રહી છે. ગદર ફિલ્મમાં સની દેઓલ દ્વારા કરવામાં આવેલા પાત્ર આજે પણ લોકોના દિલમાં વસે છે. હાલ આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ દરમિયાન સોશિયલ મીડિયા પર એકટરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે. 


વ્યક્તિ ન ઓળખી શક્યો સની દેઓલને !

ગદર-2 ફિલ્મનું શુટિંગ મહારાષ્ટ્રના એક ગામમાં ચાલી રહ્યું હતું. શુટિંગ દરમિયાન સની દેઓલ બળદગાડામાં ચારો લઈ જઈ રહેલા વ્યક્તિની સાથે સની દેઓલની ટીમ વાતચીત કરી રહી હતી તે દરમિયાન સની દેઓલ ત્યાં આવી ગયા.પેલા વ્યક્તિએ કહ્યું કે તમે તો સની દેઓલ જેવા લાગો છો. વ્યક્તિને ખબર જ ન હતી કે તે સની દેઓલની સાથે જ વાત કરી રહ્યો છે. બળદગાડા પર આવેલા વ્યક્તિને કહ્યું કે હું એ જ છું. આ વાત સાંભળી વ્યક્તિ શરમાઈ ગયો.એક્ટરે રવિવારે આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ગદર-2 ફિલ્મ ઓગષ્ટ મહિનામાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈ ફેન્સમાં આતુરતા જોવા મળી રહી છે.       




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી