'તમે તો સની દેઓલ જેવા લાગો છો,' ગદર-2 ફિલ્મના શુટિંગ દરમિયાન કોણે સની દેઓલને કહ્યું આવું? જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-06 14:04:45

થોડા સમય બાદ સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર-2 આવી રહી છે. આ ફિલ્મને લઈ સની દેઓલ હાલ ચર્ચામાં છે. સની દેઓલે શૂટિંગ સમયનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક ખેડૂત સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે. બળદગાડામાં ચારો લઈ જઈ રહેલા વ્યક્તિએ સની દેઓલને કહ્યું કે તમે સની દેઓલ જેવા લાગી રહ્યા છો. તો જવાબ આપતા તેમણે કહ્યું કે મેં વો હીં હું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો  

ગદર-2ની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. જે બાદ ફેન્સમાં આ ફિલ્મને લઈ આતુરતા જોવા મળી રહી છે. ગદર ફિલ્મમાં સની દેઓલ દ્વારા કરવામાં આવેલા પાત્ર આજે પણ લોકોના દિલમાં વસે છે. હાલ આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ દરમિયાન સોશિયલ મીડિયા પર એકટરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે. 


વ્યક્તિ ન ઓળખી શક્યો સની દેઓલને !

ગદર-2 ફિલ્મનું શુટિંગ મહારાષ્ટ્રના એક ગામમાં ચાલી રહ્યું હતું. શુટિંગ દરમિયાન સની દેઓલ બળદગાડામાં ચારો લઈ જઈ રહેલા વ્યક્તિની સાથે સની દેઓલની ટીમ વાતચીત કરી રહી હતી તે દરમિયાન સની દેઓલ ત્યાં આવી ગયા.પેલા વ્યક્તિએ કહ્યું કે તમે તો સની દેઓલ જેવા લાગો છો. વ્યક્તિને ખબર જ ન હતી કે તે સની દેઓલની સાથે જ વાત કરી રહ્યો છે. બળદગાડા પર આવેલા વ્યક્તિને કહ્યું કે હું એ જ છું. આ વાત સાંભળી વ્યક્તિ શરમાઈ ગયો.એક્ટરે રવિવારે આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ગદર-2 ફિલ્મ ઓગષ્ટ મહિનામાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈ ફેન્સમાં આતુરતા જોવા મળી રહી છે.       




ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. અનેક દિગ્ગજ નેતાઓને ટિકીટ આપી છે. નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે અને એક કાર્યક્રમમાં તેમણે આ અંગે સ્પષ્ટતા કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિાયાન તેમણે કહ્યું કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી...

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પક્ષો દ્વારા એક બીજા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે પરંતુ નેતાઓમાં અલગ જ પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાદ એક નેતાઓ કવિતાઓ લખી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક નેતાઓએ કવિતાઓ શેર કરી છે..

ક્ષત્રિય સમાજનો રોષ રૂપાલાની સતત માફી પછી પણ શાંત નથી પડ્યો એવા સમયે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વચ્ચે પડીને નિરાકરણ લાવવા માટે નવી રણનીતિ સાથે મેદાને છે અને આ રણનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવશે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા...

છોટા ઉદેપુરના કવાંટમાં મેળો ભરાય છે જેને કવાંટના મેળા તરીકે ઓખળવામાં આવે છે. આ મેળાનું આદિવાસી વિસ્તારમાં વિશેષ મહત્વ હોય છે. મેળા દરમિયાન આદિવાસી અલગ અલગ રાજ્યોમાંથી પોતાના ઘરે પોતાના ગામમાં આવે છે.