'તમે તો સની દેઓલ જેવા લાગો છો,' ગદર-2 ફિલ્મના શુટિંગ દરમિયાન કોણે સની દેઓલને કહ્યું આવું? જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-03-06 14:04:45

થોડા સમય બાદ સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર-2 આવી રહી છે. આ ફિલ્મને લઈ સની દેઓલ હાલ ચર્ચામાં છે. સની દેઓલે શૂટિંગ સમયનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક ખેડૂત સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે. બળદગાડામાં ચારો લઈ જઈ રહેલા વ્યક્તિએ સની દેઓલને કહ્યું કે તમે સની દેઓલ જેવા લાગી રહ્યા છો. તો જવાબ આપતા તેમણે કહ્યું કે મેં વો હીં હું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો  

ગદર-2ની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. જે બાદ ફેન્સમાં આ ફિલ્મને લઈ આતુરતા જોવા મળી રહી છે. ગદર ફિલ્મમાં સની દેઓલ દ્વારા કરવામાં આવેલા પાત્ર આજે પણ લોકોના દિલમાં વસે છે. હાલ આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ દરમિયાન સોશિયલ મીડિયા પર એકટરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે. 


વ્યક્તિ ન ઓળખી શક્યો સની દેઓલને !

ગદર-2 ફિલ્મનું શુટિંગ મહારાષ્ટ્રના એક ગામમાં ચાલી રહ્યું હતું. શુટિંગ દરમિયાન સની દેઓલ બળદગાડામાં ચારો લઈ જઈ રહેલા વ્યક્તિની સાથે સની દેઓલની ટીમ વાતચીત કરી રહી હતી તે દરમિયાન સની દેઓલ ત્યાં આવી ગયા.પેલા વ્યક્તિએ કહ્યું કે તમે તો સની દેઓલ જેવા લાગો છો. વ્યક્તિને ખબર જ ન હતી કે તે સની દેઓલની સાથે જ વાત કરી રહ્યો છે. બળદગાડા પર આવેલા વ્યક્તિને કહ્યું કે હું એ જ છું. આ વાત સાંભળી વ્યક્તિ શરમાઈ ગયો.એક્ટરે રવિવારે આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ગદર-2 ફિલ્મ ઓગષ્ટ મહિનામાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈ ફેન્સમાં આતુરતા જોવા મળી રહી છે.       




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.