આદિપુરૂષ ફિલ્મના મેકર્સ પર બગડ્યા મહાભારતના યુધિષ્ઠિર! જાણો ફિલ્મ અંગે ગજેન્દ્ર ચૌહાણે શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-06-23 12:44:35

થોડા સમય પહેલા સિનેમાઘરોમાં પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ આદિપૂરૂષ રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા પણ અનેક વિવાદોમાં ફિલ્મ ઘેરાયેલી હતી પરંતુ રિલીઝ બાદ તો વિવાદો વધી ગયા. ફિલ્મના ડાયલોગ તેમજ પાત્રોની ઘણી ટીકાઓ દર્શકોએ કરી હતી. ફિલ્મ પર બેન રાખવાની માગ પણ ઉઠી હતી. ફિલ્મ પર રામાનંદ સાગરની રામાયણના પાત્રોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનાર તેમજ સીતાજીનું પાત્ર ભજવનાર કલાકારોએ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે મહાભારતમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે પ્રતિક્રિયા આપી છે. 


ફિલ્મની ટીકિટ પ્રાઈસમાં કરાયો ઘટાડો 

ફિલ્મ આદિપૂરૂષ સાથે વિવાદો જાણે જોડાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મ જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈ વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. શરૂઆતી દિવસોમાં ફિલ્મે બહુ જ સારી કમાણી કરી પરંતુ ધીમે ધીમે કમાણીનો ગ્રાફ ડાઉન થતો ગયો.  ફિલ્મમાં વપરાયેલા વીએફએક્સને લઈને હોય કે પછી ડાયલોગને લઈ હોય વિવાદો સતત વધતા જઈ રહ્યા છે. વધતા વિવાદોને જોતા ફિલ્મના અનેક ડાયલોગને બદલવામાં આવ્યા હતા. ટીકિટની પ્રાઈસમાં પણ ઘટાડો પણ કરવામાં આવ્યો છે. પરંતુ નેગેટિવ અભિપ્રાયોને કારણે ફિલ્મને અસર થઈ છે. અનેક જગ્યાઓ પર ફિલ્મને લઈ બેન લગાવવામાં આવે તેવી માગ પણ કરી હતી.


મહાભારતના યુધિષ્ઠિરે ફિલ્મને લઈ આપી પ્રતિક્રિયા

ફિલ્મને લઈ અનેક અભિનેતાઓએ અભિપ્રાયો આપ્યા છે. રામાયણ સિરિયલના પાત્રોએ ફિલ્મની ઘણી ટીકા કરી છે. ત્યારે હવે મહાભારત સિરિયલમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણે ફિલ્મને લઈ આકરા પ્રહારો કર્યા છે. ફિલ્મના ડોયલોગ લખનાર મનોજ મુન્તશીર વિશે કહેતા કહ્યું કે મને લાગે છે કે મનોજ મુન્તશીરે ડાયલોગ લખી અજ્ઞાનતાનો પરિચય આપ્યો છે. મને સમજાતું નથી કે તેના સંવાદો કયા વિચાર સાથે લખવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે તેમણે આ ફિલ્મ માટે ટિકિટ પણ ખરીદી હતી, પરંતુ છેલ્લી ક્ષણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. મારી અંતરાત્મામાંથી અવાજ આવ્યો કે મારે આ ફિલ્મ ન જોવી જોઈએ.   



મુકેશ ખન્નાએ ફિલ્મની કરી હતી ટીકા

ન માત્ર મહાભારતના યુધિષ્ઠિરે પરંતુ મહાભારતમાં પિતામહ ભીષ્મનું પાત્ર ભજવનારા મુકેશ ખન્નાએ પણ પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુ આપતી વખતે તેમણે કહ્યું હતું કે તેમને માફ ન કરવા જોઈએ. આ ફિલ્મની આખી ટીમને 50 ડિગ્રી પર રાખીને જીવતી સળગાવી દેવી જોઈએ. મને સમજાતું નથી કે તેઓ શા માટે પોતાનો બચાવ કરી રહ્યા છે? મહત્વનું છે કે અનેક અભિનેતાઓએ આ ફિલ્મની ટીકા કરી છે.   




સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.