આદિપુરૂષ ફિલ્મના મેકર્સ પર બગડ્યા મહાભારતના યુધિષ્ઠિર! જાણો ફિલ્મ અંગે ગજેન્દ્ર ચૌહાણે શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-06-23 12:44:35

થોડા સમય પહેલા સિનેમાઘરોમાં પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ આદિપૂરૂષ રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા પણ અનેક વિવાદોમાં ફિલ્મ ઘેરાયેલી હતી પરંતુ રિલીઝ બાદ તો વિવાદો વધી ગયા. ફિલ્મના ડાયલોગ તેમજ પાત્રોની ઘણી ટીકાઓ દર્શકોએ કરી હતી. ફિલ્મ પર બેન રાખવાની માગ પણ ઉઠી હતી. ફિલ્મ પર રામાનંદ સાગરની રામાયણના પાત્રોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનાર તેમજ સીતાજીનું પાત્ર ભજવનાર કલાકારોએ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે મહાભારતમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે પ્રતિક્રિયા આપી છે. 


ફિલ્મની ટીકિટ પ્રાઈસમાં કરાયો ઘટાડો 

ફિલ્મ આદિપૂરૂષ સાથે વિવાદો જાણે જોડાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મ જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈ વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. શરૂઆતી દિવસોમાં ફિલ્મે બહુ જ સારી કમાણી કરી પરંતુ ધીમે ધીમે કમાણીનો ગ્રાફ ડાઉન થતો ગયો.  ફિલ્મમાં વપરાયેલા વીએફએક્સને લઈને હોય કે પછી ડાયલોગને લઈ હોય વિવાદો સતત વધતા જઈ રહ્યા છે. વધતા વિવાદોને જોતા ફિલ્મના અનેક ડાયલોગને બદલવામાં આવ્યા હતા. ટીકિટની પ્રાઈસમાં પણ ઘટાડો પણ કરવામાં આવ્યો છે. પરંતુ નેગેટિવ અભિપ્રાયોને કારણે ફિલ્મને અસર થઈ છે. અનેક જગ્યાઓ પર ફિલ્મને લઈ બેન લગાવવામાં આવે તેવી માગ પણ કરી હતી.


મહાભારતના યુધિષ્ઠિરે ફિલ્મને લઈ આપી પ્રતિક્રિયા

ફિલ્મને લઈ અનેક અભિનેતાઓએ અભિપ્રાયો આપ્યા છે. રામાયણ સિરિયલના પાત્રોએ ફિલ્મની ઘણી ટીકા કરી છે. ત્યારે હવે મહાભારત સિરિયલમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણે ફિલ્મને લઈ આકરા પ્રહારો કર્યા છે. ફિલ્મના ડોયલોગ લખનાર મનોજ મુન્તશીર વિશે કહેતા કહ્યું કે મને લાગે છે કે મનોજ મુન્તશીરે ડાયલોગ લખી અજ્ઞાનતાનો પરિચય આપ્યો છે. મને સમજાતું નથી કે તેના સંવાદો કયા વિચાર સાથે લખવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે તેમણે આ ફિલ્મ માટે ટિકિટ પણ ખરીદી હતી, પરંતુ છેલ્લી ક્ષણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. મારી અંતરાત્મામાંથી અવાજ આવ્યો કે મારે આ ફિલ્મ ન જોવી જોઈએ.   



મુકેશ ખન્નાએ ફિલ્મની કરી હતી ટીકા

ન માત્ર મહાભારતના યુધિષ્ઠિરે પરંતુ મહાભારતમાં પિતામહ ભીષ્મનું પાત્ર ભજવનારા મુકેશ ખન્નાએ પણ પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુ આપતી વખતે તેમણે કહ્યું હતું કે તેમને માફ ન કરવા જોઈએ. આ ફિલ્મની આખી ટીમને 50 ડિગ્રી પર રાખીને જીવતી સળગાવી દેવી જોઈએ. મને સમજાતું નથી કે તેઓ શા માટે પોતાનો બચાવ કરી રહ્યા છે? મહત્વનું છે કે અનેક અભિનેતાઓએ આ ફિલ્મની ટીકા કરી છે.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.