આદિપુરૂષ ફિલ્મના મેકર્સ પર બગડ્યા મહાભારતના યુધિષ્ઠિર! જાણો ફિલ્મ અંગે ગજેન્દ્ર ચૌહાણે શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-06-23 12:44:35

થોડા સમય પહેલા સિનેમાઘરોમાં પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ આદિપૂરૂષ રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા પણ અનેક વિવાદોમાં ફિલ્મ ઘેરાયેલી હતી પરંતુ રિલીઝ બાદ તો વિવાદો વધી ગયા. ફિલ્મના ડાયલોગ તેમજ પાત્રોની ઘણી ટીકાઓ દર્શકોએ કરી હતી. ફિલ્મ પર બેન રાખવાની માગ પણ ઉઠી હતી. ફિલ્મ પર રામાનંદ સાગરની રામાયણના પાત્રોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનાર તેમજ સીતાજીનું પાત્ર ભજવનાર કલાકારોએ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે મહાભારતમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે પ્રતિક્રિયા આપી છે. 


ફિલ્મની ટીકિટ પ્રાઈસમાં કરાયો ઘટાડો 

ફિલ્મ આદિપૂરૂષ સાથે વિવાદો જાણે જોડાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મ જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈ વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. શરૂઆતી દિવસોમાં ફિલ્મે બહુ જ સારી કમાણી કરી પરંતુ ધીમે ધીમે કમાણીનો ગ્રાફ ડાઉન થતો ગયો.  ફિલ્મમાં વપરાયેલા વીએફએક્સને લઈને હોય કે પછી ડાયલોગને લઈ હોય વિવાદો સતત વધતા જઈ રહ્યા છે. વધતા વિવાદોને જોતા ફિલ્મના અનેક ડાયલોગને બદલવામાં આવ્યા હતા. ટીકિટની પ્રાઈસમાં પણ ઘટાડો પણ કરવામાં આવ્યો છે. પરંતુ નેગેટિવ અભિપ્રાયોને કારણે ફિલ્મને અસર થઈ છે. અનેક જગ્યાઓ પર ફિલ્મને લઈ બેન લગાવવામાં આવે તેવી માગ પણ કરી હતી.


મહાભારતના યુધિષ્ઠિરે ફિલ્મને લઈ આપી પ્રતિક્રિયા

ફિલ્મને લઈ અનેક અભિનેતાઓએ અભિપ્રાયો આપ્યા છે. રામાયણ સિરિયલના પાત્રોએ ફિલ્મની ઘણી ટીકા કરી છે. ત્યારે હવે મહાભારત સિરિયલમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણે ફિલ્મને લઈ આકરા પ્રહારો કર્યા છે. ફિલ્મના ડોયલોગ લખનાર મનોજ મુન્તશીર વિશે કહેતા કહ્યું કે મને લાગે છે કે મનોજ મુન્તશીરે ડાયલોગ લખી અજ્ઞાનતાનો પરિચય આપ્યો છે. મને સમજાતું નથી કે તેના સંવાદો કયા વિચાર સાથે લખવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે તેમણે આ ફિલ્મ માટે ટિકિટ પણ ખરીદી હતી, પરંતુ છેલ્લી ક્ષણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. મારી અંતરાત્મામાંથી અવાજ આવ્યો કે મારે આ ફિલ્મ ન જોવી જોઈએ.   



મુકેશ ખન્નાએ ફિલ્મની કરી હતી ટીકા

ન માત્ર મહાભારતના યુધિષ્ઠિરે પરંતુ મહાભારતમાં પિતામહ ભીષ્મનું પાત્ર ભજવનારા મુકેશ ખન્નાએ પણ પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુ આપતી વખતે તેમણે કહ્યું હતું કે તેમને માફ ન કરવા જોઈએ. આ ફિલ્મની આખી ટીમને 50 ડિગ્રી પર રાખીને જીવતી સળગાવી દેવી જોઈએ. મને સમજાતું નથી કે તેઓ શા માટે પોતાનો બચાવ કરી રહ્યા છે? મહત્વનું છે કે અનેક અભિનેતાઓએ આ ફિલ્મની ટીકા કરી છે.   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી