યુવરાજસિંહે પાલીવાલો પાસેથી ૫ કરોડ રૂપિયા લીધા! શરદ પનોતની પત્નીના આરોપ!


  • Published By :
  • Published Date : 2023-05-05 20:41:54

છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં એક જ ચર્ચા છે અને તે છે ડમીકાંડ અને તોડકાંડ પણ આ તોડકાંડમાં યુવરાજસિંહ સિવાય જો કોઈ નામ  સૌથી વધુ ચર્ચામાં હોય તો એ છે શરદ પનોત.જે આ કેસમાં મુખ્ય આરોપી છે . શરદ પનોત પર વિવિધ સરકારી ભરતીની પરીક્ષામાં એક સાચા ઉમેદવારના સ્થાને ડમી ઉમેદવાર બેસાડીને આખી સરકારી સિસ્ટમની આંખોમાં ધૂળ નાખવાનો આરોપ છે.ભાવનગર પોલીસે 14 એપ્રિલ 2023ના રોજ ડમીકાંડની જે ફરિયાદ નોંધી તેમાં 36 આરોપીઓની યાદીમાં શરદ પનોત મુખ્યઆરોપી છે.


તોડકાંડ અને ડમીકાંડ ખૂલ્યા બાદ હજારો સવાલ હતા અને તે સવાલના જવાબ શોધવા "જમાવટ"ની ટીમ ભાવનગર પહોંચી અને સૌથી પહેલા મળ્યા ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોંતના પત્ની મીના પનોતે અને શરદના પત્નીએ જે તર્ક આપ્યા છે તે ગળે ઉતરી શકે તેમ ન હતા મીના પનોતે અમારી સાથે વાતચીત દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યા!


અમારી ટીમ જ્યારે શરદના ઘરે ગઈ તો ત્યાં શરદ પનોતનાં પત્ની મીના પનોત, શરદનાં વૃદ્ધ માતા તેમજ શરદની બે દીકરીઓ એમ ચાર સભ્યો હાજર હતા.પહેલી વાર જોતાં સામાન્ય મધ્યમવર્ગનું પરિવાર લાગ્યું ઘર પણ એવુ જ હતું પહેલા તો અમને મળવાની ના કહી દીધી પછી અમે વાત કરી તો સામે આવ્યું કે પોલીસે એમને ના પાડી છે કે મીડિયામાં તમે કોઈ ઇન્ટરવ્યુ આપશો નહીં પછી ઘણું સમજાવ્યા પછી અમારી સાથે વાત કરવા તૈયાર થયા અને પછી અમે તમામ સવાલના જવાબ લેવાનો પ્રયાસ કર્યો છે 


શરદ પનોત પર લાગેલા આરોપ અંગે પત્નીએ શું કહ્યું?

મીના પનોતને તેમના પતિ પર લાગેલા ગંભીર આરોપ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું," માર પતિ પર ખોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે એમે કઈ જાણતા નથી ખબર નહીં કેમ અને કોને તેમને મુખ્ય આરોપી બનાવી દીધા પણ મારો પતિ તો સવારે 10 વાગે નોકરી પર જાય ને રાતે પાછા આવે એની પાસે આ ધંધા કરવાનો ટાઈમ જ ન હતો એને ખોટો ફસાવામાં આવે છે"


"મારી દીકરીના મોઢા મોઢામાંથી કોળીયા કાઢી મિલન બારૈયાને ભણાવ્યો છે"

ડમીકાંડના એક આરોપી મિલન બારૈયા અને તેના ઘરના ઘણા વીડિયો તેમજ તસવીરો હાલમાં ચર્ચામાં છે કારણ કે મિલન બારૈયાની ઘરની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે. મિલન બારૈયાએ નવ જેટલી પરીક્ષા ડમી તરીકે આપીને લોકોને નોકરી પર લગાડ્યા હોવાનો આરોપ છે. એક સમયે મિલન ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોતનો તેજસ્વી વિદ્યાર્થી હતો, જેનો શરદે માત્ર 20થી 25 હજાર રૂપિયા એક પરીક્ષા દીઠ આપીને તેનો ડમી તરીકે ઉપયોગ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. અમે જ્યારે મિલન બારૈયા અંગે મીના પનોતને સવાલ કર્યો તો તેમણે કહ્યું, 'ભૂતકાળમાં મિલનને તો ફી ભરવાની થાય ત્યારે પણ અમને ફોન કરીને કહેતા હતા કે સાહેબ આટલી ફી ભરવાની છે. તમે આવીને ફી ભરી જાવ. જ્યાં પણ મિલનને ટ્યૂશનમાં મૂક્યો ત્યાં તેના પપ્પા પણ સાથે જ હતા. મિલનનાં માતા-પિતા એમ કહે છે કે અમને ખબર ન હતી, મિલન હીરો હતો અને શરદ પનોતે તેની સાથે ખોટું કર્યું, પરંતુ અમારી પાસે એટલા બધા રૂપિયા ન હોવા છતાં પણ અમે તેના ભણવાનો બધો ખર્ચો કર્યો છે. અમારે પણ બે દીકરીઓ છે. એક સાત વર્ષની છે, એક પાંચ વર્ષની છે.'મારી દીકરીના મોઢામાંથી કોળીયા કાઢી મિલન બારૈયાને ભણાવ્યો છે"



પી કે તો શરદ પનોતનો ભાઈ નીકળ્યો!

જ્યારે શરદના પત્નીને અમે પૂછ્યું કે તમારા પતિનું નામ આ કેસમાં કઈ રીતે આવ્યું તો તેમણે આખી કહાની કહી કે " પ્રકાશ દવે મારા જેઠ થાય છે એને યુવરાજ સિંહે ફોન કર્યો હતો કે એ વિધ્યાર્થીઓના નામ આપવાના છે તો પીકે (પ્રકાશ દવે) મારા પતિને ફોન કરીને સલાહ માંગી હતી પણ અમે કોઈ પૈસા આપ્યા નથી અને અમે આમાં કશું જાણતા પણ નથી તપાસમાં શું નિકડ્યું એ પણ પોલીસ કહેતી નથી અમારું ઘર પણ ફેંદયું હતું પણ કઈ મળ્યું ન હતું"


યુવરાજ સિંહે 5 કરોડ લીધા છે

મીના પનોતે એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું," અમારા સમાજમાં એવી વાતો થાય છે જે યુવરાજ સિંહ પાલીવાલ બ્રાહ્મણ પાસેથી આ રીતે પાંચ કરોડ રૂપિયા કમાઈ ગયો છે ત્યાર બાદ તેણે ડમીકાંડનો ભાંડો ફોડ્યો છે. જે પણ લોકો પાસેથી રૂપિયા લીધા છે, તે લોકો હાલમાં વ્યાજ ભરે છે. હવે તો ઘણાની નોકરી જતી રહી અને જેલમાં જવાનો વારો આવ્યો છે. આ યુવરાજસિંહએ અત્યારે જે પણ કર્યું એ રૂપિયા કમાવવા માટે જ કર્યું છે"


"મારા પતિએ તો પહેલાથી મજૂરી કરી છે"

'મારા સસરા બીમાર હતા, તેઓ પથારીવશ જ રહેતા હતા, એ સમયે મારા પતિના બધા ભાઈઓ નાના હતા. દવાના પણ રૂપિયા ન હતા. એવી અમારા ઘરની પરિસ્થિતિ હતી. મારા પતિ ભણતા હતા ત્યારે કોલેજની ફી ભરવાના પણ પૈસા ન હતા. સાવ ગરીબ પરિસ્થિતિ હતી. મારા પતિએ તો એમના ચાર ભાઈઓ, બહેનોને મોટાં કર્યાં અને ભણાવ્યાં. મારા પતિ શરદ પનોતે જાતમહેનતથી નોકરી મેળવી છે. હવે આવા બધા આરોપ લાગે તો માણસ શું કરે? અમે અત્યારે જે ઘરમાં રહીએ છીએ એ પણ મારા જેઠના નામે છે ' જ્યારે મીના પનોત શરદને મળવા જેલમાં ગયા ત્યારે પણ સરખી કઈ વાત નહોતી થઈ તેવું કહ્યું પછી ભાવુક થઈને મીના પનોતે કહ્યું 'અત્યારે ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મારા પતિ હાલ જેલમાં છે, હાલ અમારા ઘરમાં કમાનાર કોઈ છે નહીં તો અમારે કરવાનું શું? કોર્ટે તો કહી દીધું કે આટલા મહિના જેલમાં રહેવું પડશે, આટલા સમય સુધી મારી દીકરીઓનું કેવી રીતે પૂરું કરવું કોર્ટને અપીલ કરું છું કે મારા પતિને છોડી અમારા સામે નહીં તો અમારી દીકરિઓ સામે તો જુઓ?"




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.