યુવરાજસિંહે પાલીવાલો પાસેથી ૫ કરોડ રૂપિયા લીધા! શરદ પનોતની પત્નીના આરોપ!


  • Published By :
  • Published Date : 2023-05-05 20:41:54

છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં એક જ ચર્ચા છે અને તે છે ડમીકાંડ અને તોડકાંડ પણ આ તોડકાંડમાં યુવરાજસિંહ સિવાય જો કોઈ નામ  સૌથી વધુ ચર્ચામાં હોય તો એ છે શરદ પનોત.જે આ કેસમાં મુખ્ય આરોપી છે . શરદ પનોત પર વિવિધ સરકારી ભરતીની પરીક્ષામાં એક સાચા ઉમેદવારના સ્થાને ડમી ઉમેદવાર બેસાડીને આખી સરકારી સિસ્ટમની આંખોમાં ધૂળ નાખવાનો આરોપ છે.ભાવનગર પોલીસે 14 એપ્રિલ 2023ના રોજ ડમીકાંડની જે ફરિયાદ નોંધી તેમાં 36 આરોપીઓની યાદીમાં શરદ પનોત મુખ્યઆરોપી છે.


તોડકાંડ અને ડમીકાંડ ખૂલ્યા બાદ હજારો સવાલ હતા અને તે સવાલના જવાબ શોધવા "જમાવટ"ની ટીમ ભાવનગર પહોંચી અને સૌથી પહેલા મળ્યા ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોંતના પત્ની મીના પનોતે અને શરદના પત્નીએ જે તર્ક આપ્યા છે તે ગળે ઉતરી શકે તેમ ન હતા મીના પનોતે અમારી સાથે વાતચીત દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યા!


અમારી ટીમ જ્યારે શરદના ઘરે ગઈ તો ત્યાં શરદ પનોતનાં પત્ની મીના પનોત, શરદનાં વૃદ્ધ માતા તેમજ શરદની બે દીકરીઓ એમ ચાર સભ્યો હાજર હતા.પહેલી વાર જોતાં સામાન્ય મધ્યમવર્ગનું પરિવાર લાગ્યું ઘર પણ એવુ જ હતું પહેલા તો અમને મળવાની ના કહી દીધી પછી અમે વાત કરી તો સામે આવ્યું કે પોલીસે એમને ના પાડી છે કે મીડિયામાં તમે કોઈ ઇન્ટરવ્યુ આપશો નહીં પછી ઘણું સમજાવ્યા પછી અમારી સાથે વાત કરવા તૈયાર થયા અને પછી અમે તમામ સવાલના જવાબ લેવાનો પ્રયાસ કર્યો છે 


શરદ પનોત પર લાગેલા આરોપ અંગે પત્નીએ શું કહ્યું?

મીના પનોતને તેમના પતિ પર લાગેલા ગંભીર આરોપ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું," માર પતિ પર ખોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે એમે કઈ જાણતા નથી ખબર નહીં કેમ અને કોને તેમને મુખ્ય આરોપી બનાવી દીધા પણ મારો પતિ તો સવારે 10 વાગે નોકરી પર જાય ને રાતે પાછા આવે એની પાસે આ ધંધા કરવાનો ટાઈમ જ ન હતો એને ખોટો ફસાવામાં આવે છે"


"મારી દીકરીના મોઢા મોઢામાંથી કોળીયા કાઢી મિલન બારૈયાને ભણાવ્યો છે"

ડમીકાંડના એક આરોપી મિલન બારૈયા અને તેના ઘરના ઘણા વીડિયો તેમજ તસવીરો હાલમાં ચર્ચામાં છે કારણ કે મિલન બારૈયાની ઘરની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે. મિલન બારૈયાએ નવ જેટલી પરીક્ષા ડમી તરીકે આપીને લોકોને નોકરી પર લગાડ્યા હોવાનો આરોપ છે. એક સમયે મિલન ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોતનો તેજસ્વી વિદ્યાર્થી હતો, જેનો શરદે માત્ર 20થી 25 હજાર રૂપિયા એક પરીક્ષા દીઠ આપીને તેનો ડમી તરીકે ઉપયોગ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. અમે જ્યારે મિલન બારૈયા અંગે મીના પનોતને સવાલ કર્યો તો તેમણે કહ્યું, 'ભૂતકાળમાં મિલનને તો ફી ભરવાની થાય ત્યારે પણ અમને ફોન કરીને કહેતા હતા કે સાહેબ આટલી ફી ભરવાની છે. તમે આવીને ફી ભરી જાવ. જ્યાં પણ મિલનને ટ્યૂશનમાં મૂક્યો ત્યાં તેના પપ્પા પણ સાથે જ હતા. મિલનનાં માતા-પિતા એમ કહે છે કે અમને ખબર ન હતી, મિલન હીરો હતો અને શરદ પનોતે તેની સાથે ખોટું કર્યું, પરંતુ અમારી પાસે એટલા બધા રૂપિયા ન હોવા છતાં પણ અમે તેના ભણવાનો બધો ખર્ચો કર્યો છે. અમારે પણ બે દીકરીઓ છે. એક સાત વર્ષની છે, એક પાંચ વર્ષની છે.'મારી દીકરીના મોઢામાંથી કોળીયા કાઢી મિલન બારૈયાને ભણાવ્યો છે"



પી કે તો શરદ પનોતનો ભાઈ નીકળ્યો!

જ્યારે શરદના પત્નીને અમે પૂછ્યું કે તમારા પતિનું નામ આ કેસમાં કઈ રીતે આવ્યું તો તેમણે આખી કહાની કહી કે " પ્રકાશ દવે મારા જેઠ થાય છે એને યુવરાજ સિંહે ફોન કર્યો હતો કે એ વિધ્યાર્થીઓના નામ આપવાના છે તો પીકે (પ્રકાશ દવે) મારા પતિને ફોન કરીને સલાહ માંગી હતી પણ અમે કોઈ પૈસા આપ્યા નથી અને અમે આમાં કશું જાણતા પણ નથી તપાસમાં શું નિકડ્યું એ પણ પોલીસ કહેતી નથી અમારું ઘર પણ ફેંદયું હતું પણ કઈ મળ્યું ન હતું"


યુવરાજ સિંહે 5 કરોડ લીધા છે

મીના પનોતે એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું," અમારા સમાજમાં એવી વાતો થાય છે જે યુવરાજ સિંહ પાલીવાલ બ્રાહ્મણ પાસેથી આ રીતે પાંચ કરોડ રૂપિયા કમાઈ ગયો છે ત્યાર બાદ તેણે ડમીકાંડનો ભાંડો ફોડ્યો છે. જે પણ લોકો પાસેથી રૂપિયા લીધા છે, તે લોકો હાલમાં વ્યાજ ભરે છે. હવે તો ઘણાની નોકરી જતી રહી અને જેલમાં જવાનો વારો આવ્યો છે. આ યુવરાજસિંહએ અત્યારે જે પણ કર્યું એ રૂપિયા કમાવવા માટે જ કર્યું છે"


"મારા પતિએ તો પહેલાથી મજૂરી કરી છે"

'મારા સસરા બીમાર હતા, તેઓ પથારીવશ જ રહેતા હતા, એ સમયે મારા પતિના બધા ભાઈઓ નાના હતા. દવાના પણ રૂપિયા ન હતા. એવી અમારા ઘરની પરિસ્થિતિ હતી. મારા પતિ ભણતા હતા ત્યારે કોલેજની ફી ભરવાના પણ પૈસા ન હતા. સાવ ગરીબ પરિસ્થિતિ હતી. મારા પતિએ તો એમના ચાર ભાઈઓ, બહેનોને મોટાં કર્યાં અને ભણાવ્યાં. મારા પતિ શરદ પનોતે જાતમહેનતથી નોકરી મેળવી છે. હવે આવા બધા આરોપ લાગે તો માણસ શું કરે? અમે અત્યારે જે ઘરમાં રહીએ છીએ એ પણ મારા જેઠના નામે છે ' જ્યારે મીના પનોત શરદને મળવા જેલમાં ગયા ત્યારે પણ સરખી કઈ વાત નહોતી થઈ તેવું કહ્યું પછી ભાવુક થઈને મીના પનોતે કહ્યું 'અત્યારે ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મારા પતિ હાલ જેલમાં છે, હાલ અમારા ઘરમાં કમાનાર કોઈ છે નહીં તો અમારે કરવાનું શું? કોર્ટે તો કહી દીધું કે આટલા મહિના જેલમાં રહેવું પડશે, આટલા સમય સુધી મારી દીકરીઓનું કેવી રીતે પૂરું કરવું કોર્ટને અપીલ કરું છું કે મારા પતિને છોડી અમારા સામે નહીં તો અમારી દીકરિઓ સામે તો જુઓ?"




There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.