Zee-Sony મર્જર: 3 હિંદી ચેનલ વેચવા બંને કંપની સંમત, જાણો શા માટે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-26 20:40:00

મીડિયા સમૂહ સોની અને ઝી સ્વેચ્છાએ ત્રણ હિન્દી ચેનલો  - બિગ મેજિક, ઝી એક્શન અને ઝી ક્લાસિક વેચવા સંમત થયા છે. બંને કંપનીઓએ પ્રસ્તાવિત મર્જર કરાર સંબંધિત સંભવિત વિરોધી સ્પર્ધાત્મક ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેણે કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ને તેની દરખાસ્ત રજૂ કરી હતી અને 4 ઓક્ટોબરે કેટલાક ફેરફારો બાદ ડીલને મંજૂરી આપવામાં આવી હતી.


કમિશન ઓફ ઈન્ડિયા (CCI)નો ઓર્ડર શું છે?


CCIએ મંજૂરી આપ્યાના ત્રણ અઠવાડિયાથી વધુ સમય બાદ આ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. ઓર્ડર મુજબ, બંને કંપનીઓ હિન્દી એન્ટરટેઈન્મેન્ટ ચેનલ બિગ મેજિકને વેચવા માટે સંમત થઈ છે. બંને હિન્દી કંપની ફિલ્મ ચેનલો ઝી એક્શન અને ઝી ક્લાસિક વેચવા માટે પણ સંમત થયા છે.


CCIની પ્રથમ દ્રષ્ટીએ આપેલા અભિપ્રાય બાદ બંને કંપનીઓ પ્રસ્તાવિત સૌદામાં સંસોધન માટે સંમત થયા છે. કેમ કે આ ડીલથી પ્રતિસ્પર્ધા પર ખુબ પ્રતિકુળ પ્રભાવ પડવાની સંભાવના છે. એક નિશ્ચિત સીમાથી વધુના સૌદા માટે અનિવાર્યપણે CCIની મંજૂરી મળવી જોઈએ. રેગ્યુલેટર્સ બજારમાં નિષ્પક્ષ પ્રતિસ્પર્ધા સુનિશ્ચિત કરવા માંગે છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી