Zee-Sony મર્જર: 3 હિંદી ચેનલ વેચવા બંને કંપની સંમત, જાણો શા માટે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-26 20:40:00

મીડિયા સમૂહ સોની અને ઝી સ્વેચ્છાએ ત્રણ હિન્દી ચેનલો  - બિગ મેજિક, ઝી એક્શન અને ઝી ક્લાસિક વેચવા સંમત થયા છે. બંને કંપનીઓએ પ્રસ્તાવિત મર્જર કરાર સંબંધિત સંભવિત વિરોધી સ્પર્ધાત્મક ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેણે કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ને તેની દરખાસ્ત રજૂ કરી હતી અને 4 ઓક્ટોબરે કેટલાક ફેરફારો બાદ ડીલને મંજૂરી આપવામાં આવી હતી.


કમિશન ઓફ ઈન્ડિયા (CCI)નો ઓર્ડર શું છે?


CCIએ મંજૂરી આપ્યાના ત્રણ અઠવાડિયાથી વધુ સમય બાદ આ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. ઓર્ડર મુજબ, બંને કંપનીઓ હિન્દી એન્ટરટેઈન્મેન્ટ ચેનલ બિગ મેજિકને વેચવા માટે સંમત થઈ છે. બંને હિન્દી કંપની ફિલ્મ ચેનલો ઝી એક્શન અને ઝી ક્લાસિક વેચવા માટે પણ સંમત થયા છે.


CCIની પ્રથમ દ્રષ્ટીએ આપેલા અભિપ્રાય બાદ બંને કંપનીઓ પ્રસ્તાવિત સૌદામાં સંસોધન માટે સંમત થયા છે. કેમ કે આ ડીલથી પ્રતિસ્પર્ધા પર ખુબ પ્રતિકુળ પ્રભાવ પડવાની સંભાવના છે. એક નિશ્ચિત સીમાથી વધુના સૌદા માટે અનિવાર્યપણે CCIની મંજૂરી મળવી જોઈએ. રેગ્યુલેટર્સ બજારમાં નિષ્પક્ષ પ્રતિસ્પર્ધા સુનિશ્ચિત કરવા માંગે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.