Zee-Sony મર્જર: 3 હિંદી ચેનલ વેચવા બંને કંપની સંમત, જાણો શા માટે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-26 20:40:00

મીડિયા સમૂહ સોની અને ઝી સ્વેચ્છાએ ત્રણ હિન્દી ચેનલો  - બિગ મેજિક, ઝી એક્શન અને ઝી ક્લાસિક વેચવા સંમત થયા છે. બંને કંપનીઓએ પ્રસ્તાવિત મર્જર કરાર સંબંધિત સંભવિત વિરોધી સ્પર્ધાત્મક ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેણે કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ને તેની દરખાસ્ત રજૂ કરી હતી અને 4 ઓક્ટોબરે કેટલાક ફેરફારો બાદ ડીલને મંજૂરી આપવામાં આવી હતી.


કમિશન ઓફ ઈન્ડિયા (CCI)નો ઓર્ડર શું છે?


CCIએ મંજૂરી આપ્યાના ત્રણ અઠવાડિયાથી વધુ સમય બાદ આ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. ઓર્ડર મુજબ, બંને કંપનીઓ હિન્દી એન્ટરટેઈન્મેન્ટ ચેનલ બિગ મેજિકને વેચવા માટે સંમત થઈ છે. બંને હિન્દી કંપની ફિલ્મ ચેનલો ઝી એક્શન અને ઝી ક્લાસિક વેચવા માટે પણ સંમત થયા છે.


CCIની પ્રથમ દ્રષ્ટીએ આપેલા અભિપ્રાય બાદ બંને કંપનીઓ પ્રસ્તાવિત સૌદામાં સંસોધન માટે સંમત થયા છે. કેમ કે આ ડીલથી પ્રતિસ્પર્ધા પર ખુબ પ્રતિકુળ પ્રભાવ પડવાની સંભાવના છે. એક નિશ્ચિત સીમાથી વધુના સૌદા માટે અનિવાર્યપણે CCIની મંજૂરી મળવી જોઈએ. રેગ્યુલેટર્સ બજારમાં નિષ્પક્ષ પ્રતિસ્પર્ધા સુનિશ્ચિત કરવા માંગે છે. 



સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે