Zee-Sony મર્જર: 3 હિંદી ચેનલ વેચવા બંને કંપની સંમત, જાણો શા માટે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-26 20:40:00

મીડિયા સમૂહ સોની અને ઝી સ્વેચ્છાએ ત્રણ હિન્દી ચેનલો  - બિગ મેજિક, ઝી એક્શન અને ઝી ક્લાસિક વેચવા સંમત થયા છે. બંને કંપનીઓએ પ્રસ્તાવિત મર્જર કરાર સંબંધિત સંભવિત વિરોધી સ્પર્ધાત્મક ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેણે કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ને તેની દરખાસ્ત રજૂ કરી હતી અને 4 ઓક્ટોબરે કેટલાક ફેરફારો બાદ ડીલને મંજૂરી આપવામાં આવી હતી.


કમિશન ઓફ ઈન્ડિયા (CCI)નો ઓર્ડર શું છે?


CCIએ મંજૂરી આપ્યાના ત્રણ અઠવાડિયાથી વધુ સમય બાદ આ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. ઓર્ડર મુજબ, બંને કંપનીઓ હિન્દી એન્ટરટેઈન્મેન્ટ ચેનલ બિગ મેજિકને વેચવા માટે સંમત થઈ છે. બંને હિન્દી કંપની ફિલ્મ ચેનલો ઝી એક્શન અને ઝી ક્લાસિક વેચવા માટે પણ સંમત થયા છે.


CCIની પ્રથમ દ્રષ્ટીએ આપેલા અભિપ્રાય બાદ બંને કંપનીઓ પ્રસ્તાવિત સૌદામાં સંસોધન માટે સંમત થયા છે. કેમ કે આ ડીલથી પ્રતિસ્પર્ધા પર ખુબ પ્રતિકુળ પ્રભાવ પડવાની સંભાવના છે. એક નિશ્ચિત સીમાથી વધુના સૌદા માટે અનિવાર્યપણે CCIની મંજૂરી મળવી જોઈએ. રેગ્યુલેટર્સ બજારમાં નિષ્પક્ષ પ્રતિસ્પર્ધા સુનિશ્ચિત કરવા માંગે છે. 



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.