Zee-Sony મર્જર: 3 હિંદી ચેનલ વેચવા બંને કંપની સંમત, જાણો શા માટે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-26 20:40:00

મીડિયા સમૂહ સોની અને ઝી સ્વેચ્છાએ ત્રણ હિન્દી ચેનલો  - બિગ મેજિક, ઝી એક્શન અને ઝી ક્લાસિક વેચવા સંમત થયા છે. બંને કંપનીઓએ પ્રસ્તાવિત મર્જર કરાર સંબંધિત સંભવિત વિરોધી સ્પર્ધાત્મક ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેણે કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ને તેની દરખાસ્ત રજૂ કરી હતી અને 4 ઓક્ટોબરે કેટલાક ફેરફારો બાદ ડીલને મંજૂરી આપવામાં આવી હતી.


કમિશન ઓફ ઈન્ડિયા (CCI)નો ઓર્ડર શું છે?


CCIએ મંજૂરી આપ્યાના ત્રણ અઠવાડિયાથી વધુ સમય બાદ આ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. ઓર્ડર મુજબ, બંને કંપનીઓ હિન્દી એન્ટરટેઈન્મેન્ટ ચેનલ બિગ મેજિકને વેચવા માટે સંમત થઈ છે. બંને હિન્દી કંપની ફિલ્મ ચેનલો ઝી એક્શન અને ઝી ક્લાસિક વેચવા માટે પણ સંમત થયા છે.


CCIની પ્રથમ દ્રષ્ટીએ આપેલા અભિપ્રાય બાદ બંને કંપનીઓ પ્રસ્તાવિત સૌદામાં સંસોધન માટે સંમત થયા છે. કેમ કે આ ડીલથી પ્રતિસ્પર્ધા પર ખુબ પ્રતિકુળ પ્રભાવ પડવાની સંભાવના છે. એક નિશ્ચિત સીમાથી વધુના સૌદા માટે અનિવાર્યપણે CCIની મંજૂરી મળવી જોઈએ. રેગ્યુલેટર્સ બજારમાં નિષ્પક્ષ પ્રતિસ્પર્ધા સુનિશ્ચિત કરવા માંગે છે. 



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.