Gujaratમાં થયો સિઝનનો 100 ટકા વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને અંબાલાલ પટેલે વરસાદને લઈ શું કરી છે આગાહી?


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 10:50:27

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !

મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

– આદિલ મન્સૂરી


ગુજરાતમાં મસ્ત મજાની વરસાદી મોસમ જામી છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં વરસાદી મહેર વરસાદી કહેર સાબિત થઈ રહ્યો છે. જિલ્લાઓમાં અનેક ઘણો વરસાદ વરસી ગયો છે ત્યારે હજી પણ હવામાન વાદળોથી ભરપૂર જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસો દરમિયાન પણ મેહુલો લોકોને ભિંજાવશે એટલે કે વરસાદી જોર યથાવત રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. 

આ જગ્યાઓ પર જોવા મળશે મેઘમહેર 

સપ્ટેમ્બરની શરૂઆત થતાં મેહુલો ફૂલ ફોમમાં દેખાઈ રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની તોફાની ઈનિંગ જોવા મળી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ 100 ટકા વરસાદ પૂર્ણ થઈ ગયો છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં 100 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આજે અનેક જગ્યાઓ પર વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર તેમજ દ્વારકારમાં વરસાદનું જોર વધારે જોવા મળી શકે છે. આ ત્રણ જગ્યાઓ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. 


સપ્ટેમ્બર મહિનામાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!  

અનેક વખત સાંભળ્યું હશે કે ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો છે. જૂન તેમજ જુલાઈ મહિનામાં વરસાદે શરૂઆત સારી કરી હતી પરંતુ ઓગસ્ટ મહિનો આવતા આવતા વરસાદનું જોર ઘટી ગયું હતું જેને કારણે ઓગસ્ટ મહિનામાં ના બરાબર વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસેલા સારા વરસાદે ખેડૂતોમાં આશા જગાડી કે તેમનો પાક નિષ્ફળ નહીં જાય. સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. અનેક જિલ્લાઓમાં તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 


વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી પણ સચોટ માનવામાં આવે છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ લોકો જો વરસાદની આગાહીને લઈ વિશ્વાસ કરતા હોય તો તે અંબાલાલ પટેલની આગાહી છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના માટે આગાહી કરતા કહ્યું હતું કે આ મહિનામાં પૂર આવશે. ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલી આગાહી મુખ્યત્વે સાચી સાબિત થઈ છે. ત્યારે આવનારા દિવસો દરમિયાન માટે પણ તેમણે આગાહી કરી છે.  દરિયા કિનારા વાળા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે જેને કારણે બનાસકાંઠા, કચ્છ, જામનગર તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે.    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.