Bilkis Bano Caseના 11 દોષિતોએ ગોધરા સબ જેલમાં કર્યું આત્મસમર્પણ, Supreme Courtએ આપ્યો હતો સમય, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-22 09:22:42

બિલકિસ બાનો કેસ મામલે થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને આપવામાં આવેલી રાહતને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી હતી અને સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો હતો. 21 જાન્યુઆરી સુધીનો સમય 11 દોષિતોને આપવામાં આવ્યો હતો કે સરેન્ડર કરવા ત્યારે ગોધરા સબ જેલમાં સરેન્ડર કર્યું છે. 11 દોષિતો 11:30 વાગ્યે સિંગવડ રંધિકપુરથી ગોધરા સબ જેલ પહોંચ્યા અને તેમણે સરેન્ડર કર્યું હતું. 

દોષિતોએ ગોધરા પોલીસ સ્ટેશન ખાતે કર્યું આત્મસમર્પણ 

સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા બિલકિસ બાનો કેસને લઈ એક મહત્વનો નિર્ણય લીધો હતો. 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે દોષિઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી મુક્તિને રદ્દ કરી દીધી હતી અને 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો સરેન્ડર કરવા માટે. ત્યારે ગઈકાલ રાત્રે ગોધરા સબ જેલમાં તમામ 11 દોષિઓએ સરેન્ડર કર્યું છે. મહત્વનું છે કે દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે સરેન્ડર કરવાનો સમય વધારવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો જેને કારણે ગઈકાલ રાત્રે દોષિઓએ સરેન્ડર કર્યું હતું.

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત


અરજી ફગાવતા શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

જ્યારે સરેન્ડર કરવાની મુદ્દતને વધારવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે તે અરજીને ફગાવી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદારોની અરજી અંગે સુનાવણી હાથ ધરતા કહ્યું,કે 'અમે સિનિયર વકીલ અને અરજદારોના વકીલ, બિનઅરજદારોના વકીલની દલીલો પણ સાંભળી છે. સરેન્ડર માટે વધુ સમય આપવા માટે અરજદારો દ્વારા આપવામાં આવેલા કારણોમાં કોઈ તથ્ય નથી કારણ કે આ કારણો કોઈ પણ રીતે તેમને અમારા નિર્દેશોનું પાલન કરતા અટકાવતા નથી. તેથી આ અરજીઓ ફગાવી દેવામાં આવે છે. 


21 જાન્યુઆરી સુધી આત્મસમર્પણ કરવાનો આપ્યો હતો સમય 

8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. તેણે દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. બાદમાં દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની વિનંતી કરી હતી. આ માટે તેણે ખરાબ તબિયત, સર્જરીની જરૂરિયાત, પુત્રના લગ્ન અને ખેતરમાં પાકની કાપણી જેવા કારણો દર્શાવ્યા હતા. મહત્વનું છે કે સમય મર્યાદા પૂર્ણ થતાં દોષિતોએ સરેન્ડર કર્યું છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે