Bilkis Bano Caseના 11 દોષિતોએ ગોધરા સબ જેલમાં કર્યું આત્મસમર્પણ, Supreme Courtએ આપ્યો હતો સમય, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-22 09:22:42

બિલકિસ બાનો કેસ મામલે થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને આપવામાં આવેલી રાહતને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી હતી અને સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો હતો. 21 જાન્યુઆરી સુધીનો સમય 11 દોષિતોને આપવામાં આવ્યો હતો કે સરેન્ડર કરવા ત્યારે ગોધરા સબ જેલમાં સરેન્ડર કર્યું છે. 11 દોષિતો 11:30 વાગ્યે સિંગવડ રંધિકપુરથી ગોધરા સબ જેલ પહોંચ્યા અને તેમણે સરેન્ડર કર્યું હતું. 

દોષિતોએ ગોધરા પોલીસ સ્ટેશન ખાતે કર્યું આત્મસમર્પણ 

સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા બિલકિસ બાનો કેસને લઈ એક મહત્વનો નિર્ણય લીધો હતો. 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે દોષિઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી મુક્તિને રદ્દ કરી દીધી હતી અને 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો સરેન્ડર કરવા માટે. ત્યારે ગઈકાલ રાત્રે ગોધરા સબ જેલમાં તમામ 11 દોષિઓએ સરેન્ડર કર્યું છે. મહત્વનું છે કે દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે સરેન્ડર કરવાનો સમય વધારવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો જેને કારણે ગઈકાલ રાત્રે દોષિઓએ સરેન્ડર કર્યું હતું.

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત


અરજી ફગાવતા શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

જ્યારે સરેન્ડર કરવાની મુદ્દતને વધારવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે તે અરજીને ફગાવી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદારોની અરજી અંગે સુનાવણી હાથ ધરતા કહ્યું,કે 'અમે સિનિયર વકીલ અને અરજદારોના વકીલ, બિનઅરજદારોના વકીલની દલીલો પણ સાંભળી છે. સરેન્ડર માટે વધુ સમય આપવા માટે અરજદારો દ્વારા આપવામાં આવેલા કારણોમાં કોઈ તથ્ય નથી કારણ કે આ કારણો કોઈ પણ રીતે તેમને અમારા નિર્દેશોનું પાલન કરતા અટકાવતા નથી. તેથી આ અરજીઓ ફગાવી દેવામાં આવે છે. 


21 જાન્યુઆરી સુધી આત્મસમર્પણ કરવાનો આપ્યો હતો સમય 

8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. તેણે દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. બાદમાં દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની વિનંતી કરી હતી. આ માટે તેણે ખરાબ તબિયત, સર્જરીની જરૂરિયાત, પુત્રના લગ્ન અને ખેતરમાં પાકની કાપણી જેવા કારણો દર્શાવ્યા હતા. મહત્વનું છે કે સમય મર્યાદા પૂર્ણ થતાં દોષિતોએ સરેન્ડર કર્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.