Bilkis Bano Caseના 11 દોષિતોએ ગોધરા સબ જેલમાં કર્યું આત્મસમર્પણ, Supreme Courtએ આપ્યો હતો સમય, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-22 09:22:42

બિલકિસ બાનો કેસ મામલે થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને આપવામાં આવેલી રાહતને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી હતી અને સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો હતો. 21 જાન્યુઆરી સુધીનો સમય 11 દોષિતોને આપવામાં આવ્યો હતો કે સરેન્ડર કરવા ત્યારે ગોધરા સબ જેલમાં સરેન્ડર કર્યું છે. 11 દોષિતો 11:30 વાગ્યે સિંગવડ રંધિકપુરથી ગોધરા સબ જેલ પહોંચ્યા અને તેમણે સરેન્ડર કર્યું હતું. 

દોષિતોએ ગોધરા પોલીસ સ્ટેશન ખાતે કર્યું આત્મસમર્પણ 

સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા બિલકિસ બાનો કેસને લઈ એક મહત્વનો નિર્ણય લીધો હતો. 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે દોષિઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી મુક્તિને રદ્દ કરી દીધી હતી અને 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો સરેન્ડર કરવા માટે. ત્યારે ગઈકાલ રાત્રે ગોધરા સબ જેલમાં તમામ 11 દોષિઓએ સરેન્ડર કર્યું છે. મહત્વનું છે કે દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે સરેન્ડર કરવાનો સમય વધારવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો જેને કારણે ગઈકાલ રાત્રે દોષિઓએ સરેન્ડર કર્યું હતું.

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત


અરજી ફગાવતા શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

જ્યારે સરેન્ડર કરવાની મુદ્દતને વધારવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે તે અરજીને ફગાવી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદારોની અરજી અંગે સુનાવણી હાથ ધરતા કહ્યું,કે 'અમે સિનિયર વકીલ અને અરજદારોના વકીલ, બિનઅરજદારોના વકીલની દલીલો પણ સાંભળી છે. સરેન્ડર માટે વધુ સમય આપવા માટે અરજદારો દ્વારા આપવામાં આવેલા કારણોમાં કોઈ તથ્ય નથી કારણ કે આ કારણો કોઈ પણ રીતે તેમને અમારા નિર્દેશોનું પાલન કરતા અટકાવતા નથી. તેથી આ અરજીઓ ફગાવી દેવામાં આવે છે. 


21 જાન્યુઆરી સુધી આત્મસમર્પણ કરવાનો આપ્યો હતો સમય 

8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. તેણે દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. બાદમાં દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની વિનંતી કરી હતી. આ માટે તેણે ખરાબ તબિયત, સર્જરીની જરૂરિયાત, પુત્રના લગ્ન અને ખેતરમાં પાકની કાપણી જેવા કારણો દર્શાવ્યા હતા. મહત્વનું છે કે સમય મર્યાદા પૂર્ણ થતાં દોષિતોએ સરેન્ડર કર્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.