ગુજરાતમાં ચૂંટણી આવતા ફરી 12 IPSની બદલી


  • Published By :
  • Published Date : 2022-11-02 19:26:51

બદલીના આદેશ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યના 12 IPS અધિકારીની બદલીના આદેશ આપી દેવાયા છે. નોટિફિકેશનમાં લખાયું છે કે જાહિર હિતને ઘ્યાનમાં રાખીને તરત બદલીના આદેશ અપાયા છે. તમામ અધિકારીને આજથી જ તેમની સેવામાંથી મૂક્ત કરવામાં આવ્યા છે અને આવતીકાલ સુધીમાં નવો હોદ્દા પર હાજર થવા આદેશ આપી દીધા છે. આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં નવી જગ્યા પર હાજર થયા બાદ કંટ્રોલ રૂમમાં જાણ કરવાનું રહેશે 


1. IPS એન. એન. ચૌધરીની અમદાવાદ શહેર ટ્રાફિકના એડિશનલ કમિશનર પદે બદલી 

2. IPS એ. જી. ચૌહાણની પોલીસ એકેડમી કરાઈ ખાતે પ્રિન્સિપાલના પદે બદલી 

3. IPS આર. ટી. સુસારાની હજીરા મરિન ટાસ્ક ફોર્સ ખાતે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ બનાવ્યા 

4. IPS ઉષા રાડાની રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-11, વાવ, સુરત પદે બદલી.

5. IPS હર્ષદ કે. પટેલની પોલીસ અધિક્ષક (M.T.), ગાંધીનગરની ખાલી પડેલી ભૂતપૂર્વ સંવર્ગની જગ્યા પર નિમણૂક

6. IPS મુકેશ એન. પટેલની સીઆઈડી ગાંધીનગરમાં સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ પદે નિમણૂક કરાઈ

7. IPS પિનાકિન પરમારની સુરત ઝોન-3માં ડીસીપી પદે નિમણૂક 

8. IPS બળદેવસિંહ વાઘેલાની અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી પદે નિમણૂક

9. IPS કોમલબેન વ્યાસને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ શહેર 

10. IPS ભક્તિ કેતન ઠાકોરની બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન 1 સુરત શહેર

11. IPS કેતન દેસાઈની બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ

12. IPS હેતલ પટેલની (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ બ્રાન્ચ) સુરત


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી રહી છે જોકે ફરી એક વાર IPS અધિકારીઓની બદલીઓ કરવમાં આવી છે હજુ ઘણા આઇપીએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ થવાની પૂરી શક્યતાઓ છે. રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો ગંજીફો ચીપાઈ ગયો છે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે