ગુજરાતમાં ચૂંટણી આવતા ફરી 12 IPSની બદલી


  • Published By :
  • Published Date : 2022-11-02 19:26:51

બદલીના આદેશ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યના 12 IPS અધિકારીની બદલીના આદેશ આપી દેવાયા છે. નોટિફિકેશનમાં લખાયું છે કે જાહિર હિતને ઘ્યાનમાં રાખીને તરત બદલીના આદેશ અપાયા છે. તમામ અધિકારીને આજથી જ તેમની સેવામાંથી મૂક્ત કરવામાં આવ્યા છે અને આવતીકાલ સુધીમાં નવો હોદ્દા પર હાજર થવા આદેશ આપી દીધા છે. આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં નવી જગ્યા પર હાજર થયા બાદ કંટ્રોલ રૂમમાં જાણ કરવાનું રહેશે 


1. IPS એન. એન. ચૌધરીની અમદાવાદ શહેર ટ્રાફિકના એડિશનલ કમિશનર પદે બદલી 

2. IPS એ. જી. ચૌહાણની પોલીસ એકેડમી કરાઈ ખાતે પ્રિન્સિપાલના પદે બદલી 

3. IPS આર. ટી. સુસારાની હજીરા મરિન ટાસ્ક ફોર્સ ખાતે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ બનાવ્યા 

4. IPS ઉષા રાડાની રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-11, વાવ, સુરત પદે બદલી.

5. IPS હર્ષદ કે. પટેલની પોલીસ અધિક્ષક (M.T.), ગાંધીનગરની ખાલી પડેલી ભૂતપૂર્વ સંવર્ગની જગ્યા પર નિમણૂક

6. IPS મુકેશ એન. પટેલની સીઆઈડી ગાંધીનગરમાં સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ પદે નિમણૂક કરાઈ

7. IPS પિનાકિન પરમારની સુરત ઝોન-3માં ડીસીપી પદે નિમણૂક 

8. IPS બળદેવસિંહ વાઘેલાની અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી પદે નિમણૂક

9. IPS કોમલબેન વ્યાસને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ શહેર 

10. IPS ભક્તિ કેતન ઠાકોરની બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન 1 સુરત શહેર

11. IPS કેતન દેસાઈની બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ

12. IPS હેતલ પટેલની (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ બ્રાન્ચ) સુરત


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી રહી છે જોકે ફરી એક વાર IPS અધિકારીઓની બદલીઓ કરવમાં આવી છે હજુ ઘણા આઇપીએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ થવાની પૂરી શક્યતાઓ છે. રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો ગંજીફો ચીપાઈ ગયો છે



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.