ગુજરાતમાં ચૂંટણી આવતા ફરી 12 IPSની બદલી


  • Published By :
  • Published Date : 2022-11-02 19:26:51

બદલીના આદેશ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યના 12 IPS અધિકારીની બદલીના આદેશ આપી દેવાયા છે. નોટિફિકેશનમાં લખાયું છે કે જાહિર હિતને ઘ્યાનમાં રાખીને તરત બદલીના આદેશ અપાયા છે. તમામ અધિકારીને આજથી જ તેમની સેવામાંથી મૂક્ત કરવામાં આવ્યા છે અને આવતીકાલ સુધીમાં નવો હોદ્દા પર હાજર થવા આદેશ આપી દીધા છે. આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં નવી જગ્યા પર હાજર થયા બાદ કંટ્રોલ રૂમમાં જાણ કરવાનું રહેશે 


1. IPS એન. એન. ચૌધરીની અમદાવાદ શહેર ટ્રાફિકના એડિશનલ કમિશનર પદે બદલી 

2. IPS એ. જી. ચૌહાણની પોલીસ એકેડમી કરાઈ ખાતે પ્રિન્સિપાલના પદે બદલી 

3. IPS આર. ટી. સુસારાની હજીરા મરિન ટાસ્ક ફોર્સ ખાતે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ બનાવ્યા 

4. IPS ઉષા રાડાની રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-11, વાવ, સુરત પદે બદલી.

5. IPS હર્ષદ કે. પટેલની પોલીસ અધિક્ષક (M.T.), ગાંધીનગરની ખાલી પડેલી ભૂતપૂર્વ સંવર્ગની જગ્યા પર નિમણૂક

6. IPS મુકેશ એન. પટેલની સીઆઈડી ગાંધીનગરમાં સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ પદે નિમણૂક કરાઈ

7. IPS પિનાકિન પરમારની સુરત ઝોન-3માં ડીસીપી પદે નિમણૂક 

8. IPS બળદેવસિંહ વાઘેલાની અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી પદે નિમણૂક

9. IPS કોમલબેન વ્યાસને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ શહેર 

10. IPS ભક્તિ કેતન ઠાકોરની બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન 1 સુરત શહેર

11. IPS કેતન દેસાઈની બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ

12. IPS હેતલ પટેલની (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ બ્રાન્ચ) સુરત


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી રહી છે જોકે ફરી એક વાર IPS અધિકારીઓની બદલીઓ કરવમાં આવી છે હજુ ઘણા આઇપીએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ થવાની પૂરી શક્યતાઓ છે. રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો ગંજીફો ચીપાઈ ગયો છે



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.