13 કરોડનું મશિન વસાવ્યું પણ MRI કરાવવો હોય તો પ્રાઈવેટમાં જવાનું! સરકારી રૂપિયાનો ઉંધો વહિવટ સમજો...


  • Published By :
  • Published Date : 2024-02-14 14:37:35

થોડા દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પહેલા જામનગર અને પછી રાજકોટ. રાજકોટમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા સારવાર માટે ખસેડાયા. તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે. આ ઘટનાની સાથે સાથે એક બીજી ઘટના પ્રકાશમાં આવી. જામનગરમાં જે સરકારી હોસ્પિટલમાં રાઘવજી પટેલને રાખવામાં આવ્યા હતા ત્યાં એમઆરઆઈ મશીન બંધ હતું. અંદાજીત 13 કરોડના ખર્ચે મશિન હોસ્પિટલમાં વસાવવામાં આવ્યું હતું પરંતુ તે બંધ હાલતમાં હતું જ્યારે હોસ્પિટલને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ટેકનિકલ ખામીને કારણે મશીન બંધ છે.

13 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા MRI Machine! 

હોસ્પિટલ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે સરકારે એક ખાનગી રેડિયોલોજી ડિપાર્ટમેનન્ટ સાથે એમઓયુ કરેલા છે. સમજોતા હેઠળ જ્યારે કોઈને ત્યાં રિફર કરવામાં આવે છે ત્યારે તે ફ્રીમાં એમઆરઆઈ કરે છે. જી.જી.હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન એક વર્ષ પહેલા આવ્યું એ પણ 13 કરોડના ખર્ચે. એમઆરઆઈ મશીનને ઈન્સ્ટોલ કરવામાં આવે તે બાદ તે અનેક વર્ષો સુધી ચાલતું હોય છે. 13 કરોડ રૂપિયા સરકારે ખર્યા છે. એટલે એ એમઆરઆઈ મશીન ચાલવું જ જોઈએ. જો નથી ચાલતું તો સરકારની જવાબદારી છે કે મશીન કેમ નથી ચાલતું તે જાણે. ટેક્નિશિયનને લાવીને રિપેર કરે. 


સરકારે કર્યો છે એમઓયુ!

એમઆરઆઈ માટે દર્દીને ભલે પૈસા નહીં આપવા પડતા હોય જ્યારે તે કોઈ બીજા જગ્યાએ જાય છે. પણ એ જે રેડિયોલોજી કંપની છે તે શું એટલી દાનવીર કંપની છે કે પૈસા નથી લેતા? તો જવાબ છે ના... દર્દીને ભલે પૈસા નથી આપવા પડતા પરંતુ એમઓયુ હેઠળ સરકાર તે કંપનીને પૈસા ચૂકવે છે. જેની સાથે કોન્ટ્રાક્ટ થાય છે તેને પૈસા ચૂકવવામાં આવે છે. સરકાર 13 કરોડનું મશીન પણ લાવે છે, પ્રાઈવેટ વાળાને પણ પૈસા આપે છે. મશીન હોવા છતાંય કોઈ બીજી જગ્યાએ જઈ રિપોર્ટ કરાવો પડતો હોય છે. બીજી જગ્યાએ સરકારે પૈસા ચૂકવવા પડતા હોય છે તો તે પૈસા સરકાર ના નથી તે પૈસા આપણા છે! સરકારના પૈસા આવી રીતે જ્યારે જ્યારે બરબાદ થાય છે ત્યારે તે પૈસા સરકારી નાણા કોઈ મંત્રીઓના ખિસ્સામાંથી નથી જતા પરંતુ તે આપણા પૈસા છે. 


બજેટ નાગરિકોના પૈસા પરથી બને છે!

આરોગ્ચ પાછળ વિશાળ બજેટ ફાળવવામાં આવે છે તે ફળવાયેલા પૈસા આપણા ટેક્સમાંથી આવે છે! સરકાર પાસે વિશાળ બજેટ હોય છે તેના નાણા આપણા પૈસામાંથી આવે છે. આપણે નાણા તેમને સાચવવા આપીએ છીએ, એવી આશા સાથે આપીએ છીએ કે તે પૈસાથી આપણને સારૂં શિક્ષણ મળશે, સારૂં સ્વાસ્થ્ય મળશે..!પ્રજાના નાણાનું વ્યવસ્થિત રીતે પ્લાનિંગ થાય, તે પૈસા સારી રીતે મેનેજ થાય તે સરકારની જવાબદારી છે. પૈસા મળ્યા બાદ સરકારના નેતાઓ સમજે છે કે તે ગમે તે કરી શકે છે. 


13 દિવસ કરતા વધારે દિવસ મશીન બંધ હતું! 

જામનગરનું નસીબ જોવું કે આટલું વિકસીત શહેર હોવા છતાંય એક વર્ષ પહેલા આવેલું 13 કરોડનું મશીન બંધ હાલતમાં પડ્યું છે. 13 દિવસથી વધારે દિવસો થઈ ગયા મશીનને બગડે તો પણ હજી સુધી રિપેર નથી કરવામાં આવ્યું. આ તો મંત્રી હતા પ્રાઈવેટ હોસ્પિટલના ખર્ચને ઉઠાવી શકતા હતા પરંતુ સામાન્ય માણસની, ગરીબ પરિવારમાં આવતો માણસ પ્રાઈવેટ હોસ્પિટલના ખર્ચાને ના ઉપાડી શકે. અપેક્ષા એટલી કે નાગરિકને લગતા પ્રાઈમરી મુદ્દાઓ છે તેને સરકારી લોકો ગંભીરતાથી લે... 



સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.