જૂનાગઢમાં ઓઝત નદીમાં ત્રણ યુવકોને બચાવવા જતા આર્મી જવાન થયા શહિદ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-24 20:30:36

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું. 

Image

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓઝત નદીમાં ત્રણ યુવકોનો જીવ બચાવવા જતા એક આર્મી જવાને પોતાનો જીવ ગુમાવ્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે.  ટીકર ગામના વતની આર્મી જવાન ભરતભાઈ ભેટારીયા હાલ રજા પર પોતાના વતન આવ્યા હતા, ત્યારે આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે, જયારે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું.  આર્મી જવાન ભરતભાઈ ભેટારીયા છેલ્લા 15 વર્ષથી ભારતીય સેનામાં 20 મહાર બટાલિયનમાં ફરજ બજાવતા હતા અને હાલ તેઓ હવાલદાર તરીકે લેહ લદાખમાં તૈનાત હતા. જોકે હાલ દિવાળીના તહેવારમાં તેઓ પણ પોતાના પરિવારજનો સાથે તહેવાર ઉજવવા વતન આવ્યા હતા , ત્યારે આ દુર્ઘટનામાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આર્મી જવાન ભરતભાઈ ભેટારીયા બે દિવસ પહેલા ઓઝત નદી પાસે મિત્રો સાથે ફરવા ગયા હતા, જ્યાં ત્રણ યુવકોને ડૂબતા જોઈને ભરતભાઈ તેઓને બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જ્યાં આર્મી જવાન ભરતભાઈએ ત્રણ યુવકોનો જીવ તો બચાવી લીધો, પરંતુ પોતે જ જીવ ગુમાવી અને દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, ત્યારે લશ્કરી સન્માન સાથે તેમની અંતિમ વિદાય નીકળતા આખું ગામ હિબકે ચડ્યું છે. આર્મી જવાન ભરતભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે

Image

જવાન ભરતભાઈની અંતિમ યાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું હતું. આર્મી બટાલિયનના જવાનો, નિવૃત્ત સૈનિકો અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા.  ભારતીય સેનાના જવાનો ફરજ ઉપર હોય કે રજા ઉપર, પોતાના જીવની પરવા કર્યા વગર ફરજ બજાવતા હોય છે.






રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.