જૂનાગઢમાં ઓઝત નદીમાં ત્રણ યુવકોને બચાવવા જતા આર્મી જવાન થયા શહિદ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-24 20:30:36

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું. 

Image

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓઝત નદીમાં ત્રણ યુવકોનો જીવ બચાવવા જતા એક આર્મી જવાને પોતાનો જીવ ગુમાવ્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે.  ટીકર ગામના વતની આર્મી જવાન ભરતભાઈ ભેટારીયા હાલ રજા પર પોતાના વતન આવ્યા હતા, ત્યારે આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે, જયારે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું.  આર્મી જવાન ભરતભાઈ ભેટારીયા છેલ્લા 15 વર્ષથી ભારતીય સેનામાં 20 મહાર બટાલિયનમાં ફરજ બજાવતા હતા અને હાલ તેઓ હવાલદાર તરીકે લેહ લદાખમાં તૈનાત હતા. જોકે હાલ દિવાળીના તહેવારમાં તેઓ પણ પોતાના પરિવારજનો સાથે તહેવાર ઉજવવા વતન આવ્યા હતા , ત્યારે આ દુર્ઘટનામાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આર્મી જવાન ભરતભાઈ ભેટારીયા બે દિવસ પહેલા ઓઝત નદી પાસે મિત્રો સાથે ફરવા ગયા હતા, જ્યાં ત્રણ યુવકોને ડૂબતા જોઈને ભરતભાઈ તેઓને બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જ્યાં આર્મી જવાન ભરતભાઈએ ત્રણ યુવકોનો જીવ તો બચાવી લીધો, પરંતુ પોતે જ જીવ ગુમાવી અને દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, ત્યારે લશ્કરી સન્માન સાથે તેમની અંતિમ વિદાય નીકળતા આખું ગામ હિબકે ચડ્યું છે. આર્મી જવાન ભરતભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે

Image

જવાન ભરતભાઈની અંતિમ યાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું હતું. આર્મી બટાલિયનના જવાનો, નિવૃત્ત સૈનિકો અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા.  ભારતીય સેનાના જવાનો ફરજ ઉપર હોય કે રજા ઉપર, પોતાના જીવની પરવા કર્યા વગર ફરજ બજાવતા હોય છે.






ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.