ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના અને ભારતને લઇને માર્યા "નવા ગપ્પા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-23 20:16:16

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે.  આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

Donald Trump: News, Opinion, and Video Analysis on the 47th President of  the United States

બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયંકર યુદ્ધ યુરૉપમા ચાલી રહ્યું છે. આ રશિયા યૂક્રેન યુદ્ધને અટકાવવામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો પર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પાણી ફેરવી રહ્યા છે. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નવો રસ્તો અપનાવવામાં આવ્યો છે જે અંતર્ગત અમેરિકાએ હવે રશિયન ઓઇલ કંપનીની વિરુદ્ધમાં પ્રતિબંધો લગાવી દીધા છે. આ વિશેની જાણકારી , ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના ટ્રુથસોશ્યલ એકાઉન્ટ પર આપી છે. તે અંતર્ગત તેમના દ્વારા એ દાવો પણ કરવામાં આવ્યો છે કે , રશિયન ઓઇલ કંપની રશિયાને સીઝફાયર કરવા માટે ગુહાર લગાવી રહી છે.  તો હવે ડોનાલ્ડ ટ્રમ્પએ આ સમગ્ર મામલે ભારત પર નિવેદન આપ્યું છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે , ' 'ભારતે મને આશ્વાસન આપ્યું છે કે હવે તેઓ રશિયાથી ઓઈલ નહીં ખરીદે. તેઓ અચાનક જ ઓઈલ ખરીદવાનું બંધ ના કરી શકે, આ એક લાંબી પ્રક્રિયા છે. પણ વર્ષના અંત સુધીમાં ભારતમાં રશિયાથી આવતા ઓઈલનું પ્રમાણ નહિવત થઈ જશે. ચીનને લઈને મોટું નિવેદન આપતા ટ્રમ્પે કહ્યું, કે 'બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.' 

How Modi-Trump Meet Was Productive Beyond Expectations

 એક દિવસ અગાઉ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીમાં પણ ટ્રમ્પે ભારત રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે તેવો દાવો કર્યો હતો. જોકે આ મુદ્દે ભારત તરફથી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નહોતો. PM મોદીએ  એક્સ પર પોસ્ટ કરી દિવાળીની શુભેચ્છાઓ માટે આભારવિધિ કરી હતી. વાત કરીએ , ચાઇનાની તો , ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર , ચાઇનાએ આડેહાથ લેવાનું નક્કી કર્યું છે. જો ચાઈના સાથે નવેમ્બરની ૧લી તારીખ સુધીમાં , કોઈ ડીલ કરવામાં નઈ આવે તો , US ચાઈના પર ૧૫૫ ટકા જેટલો ટેરિફ લગાવી દેશે. આવતા અઠવાડીએ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ મલેશિયા , સાઉથ કોરિયા અને જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. સાઉથ કોરિયામાં તેઓ ચાઇનાના રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગને પણ મળી શકે છે. 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.