ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના અને ભારતને લઇને માર્યા "નવા ગપ્પા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-23 20:16:16

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે.  આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

Donald Trump: News, Opinion, and Video Analysis on the 47th President of  the United States

બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયંકર યુદ્ધ યુરૉપમા ચાલી રહ્યું છે. આ રશિયા યૂક્રેન યુદ્ધને અટકાવવામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો પર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પાણી ફેરવી રહ્યા છે. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નવો રસ્તો અપનાવવામાં આવ્યો છે જે અંતર્ગત અમેરિકાએ હવે રશિયન ઓઇલ કંપનીની વિરુદ્ધમાં પ્રતિબંધો લગાવી દીધા છે. આ વિશેની જાણકારી , ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના ટ્રુથસોશ્યલ એકાઉન્ટ પર આપી છે. તે અંતર્ગત તેમના દ્વારા એ દાવો પણ કરવામાં આવ્યો છે કે , રશિયન ઓઇલ કંપની રશિયાને સીઝફાયર કરવા માટે ગુહાર લગાવી રહી છે.  તો હવે ડોનાલ્ડ ટ્રમ્પએ આ સમગ્ર મામલે ભારત પર નિવેદન આપ્યું છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે , ' 'ભારતે મને આશ્વાસન આપ્યું છે કે હવે તેઓ રશિયાથી ઓઈલ નહીં ખરીદે. તેઓ અચાનક જ ઓઈલ ખરીદવાનું બંધ ના કરી શકે, આ એક લાંબી પ્રક્રિયા છે. પણ વર્ષના અંત સુધીમાં ભારતમાં રશિયાથી આવતા ઓઈલનું પ્રમાણ નહિવત થઈ જશે. ચીનને લઈને મોટું નિવેદન આપતા ટ્રમ્પે કહ્યું, કે 'બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.' 

How Modi-Trump Meet Was Productive Beyond Expectations

 એક દિવસ અગાઉ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીમાં પણ ટ્રમ્પે ભારત રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે તેવો દાવો કર્યો હતો. જોકે આ મુદ્દે ભારત તરફથી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નહોતો. PM મોદીએ  એક્સ પર પોસ્ટ કરી દિવાળીની શુભેચ્છાઓ માટે આભારવિધિ કરી હતી. વાત કરીએ , ચાઇનાની તો , ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર , ચાઇનાએ આડેહાથ લેવાનું નક્કી કર્યું છે. જો ચાઈના સાથે નવેમ્બરની ૧લી તારીખ સુધીમાં , કોઈ ડીલ કરવામાં નઈ આવે તો , US ચાઈના પર ૧૫૫ ટકા જેટલો ટેરિફ લગાવી દેશે. આવતા અઠવાડીએ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ મલેશિયા , સાઉથ કોરિયા અને જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. સાઉથ કોરિયામાં તેઓ ચાઇનાના રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગને પણ મળી શકે છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.