અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રસ્તાઓ ગુંજી ઉઠ્યા જય જગન્નાથના નાદથી


  • Published By :
  • Published Date : 2023-06-20 08:41:26

અષાઢી બીજના દિવસે દેશના અનેક રાજ્યોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ભક્તોને દર્શન આપવા ભગવાન સામે ચાલીને આવે છે. પૂરીમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી મોટી રથયાત્રા છે. તે બાદ બીજા નંબરે અમદાવાદમાં નીકળતી રથયાત્રા આવે છે. રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, જય જગન્નાથના નારાથી મંદિર તેમજ અમદાવાદના રસ્તાઓ ગુંજી ઉઠ્તા હોય છે.

 


ગજરાજ કરે છે રથયાત્રાની આગેવાની 

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નિકળી રહી છે. પોતાની બહેન તેમજ ભાઈ સુભદ્રા સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રાની આગેવાની ગજરાજ કરતા હોય છે. તે બાદ ભજન મંડળી, ટ્રક તેમજ અખાડાઓ આપણું ધ્યાન પોતાની તરફ ખેંચતા હોય છે.  આજની આ રથયાત્રામાં 18 જેટલા શણગારેલા ગજરાજો છે, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 જેટલી ટ્રકો છે. 30 જેટલા અખાડા છે, 18 જેટલી ભજન મંડળીઓ ભગવાનના ગુણગાશે, 1200 જેટલા ખલાસીઓ ભગવાનના રથને ખેંચે છે. 


નવનિર્મિત રથમાં સવાર થઈ ભગવાન નીકળ્યા નગરચર્યાએ

તે સિવાય 2000 જેટલા સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયેલા છે. 30 હજાર કિલો જેટલા મગ, 500 કિલો જેટલા જાંબુ, 400 કિલો જેટલી કાકડી તેમજ દાડમના પ્રસાદને ભક્તો વચ્ચે વહેંચવામાં આવશે. અનેક વર્ષો બાદ ભગવાન નવનિર્મિત રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. ભાઈ બલરામ તાલધ્વજ નામના રથમાં બિરાજ્યા છે. બહેન સુભદ્રા દેવદલન નામના રથમાં બિરાજ્યા છે જ્યારે ભગવાન જગન્નાથ નંદીઘોષ નામના રથ પર આરૂઢ થઈ નગરચર્યાએ નીકળ્યા છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.