અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રસ્તાઓ ગુંજી ઉઠ્યા જય જગન્નાથના નાદથી


  • Published By :
  • Published Date : 2023-06-20 08:41:26

અષાઢી બીજના દિવસે દેશના અનેક રાજ્યોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ભક્તોને દર્શન આપવા ભગવાન સામે ચાલીને આવે છે. પૂરીમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી મોટી રથયાત્રા છે. તે બાદ બીજા નંબરે અમદાવાદમાં નીકળતી રથયાત્રા આવે છે. રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, જય જગન્નાથના નારાથી મંદિર તેમજ અમદાવાદના રસ્તાઓ ગુંજી ઉઠ્તા હોય છે.

 


ગજરાજ કરે છે રથયાત્રાની આગેવાની 

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નિકળી રહી છે. પોતાની બહેન તેમજ ભાઈ સુભદ્રા સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રાની આગેવાની ગજરાજ કરતા હોય છે. તે બાદ ભજન મંડળી, ટ્રક તેમજ અખાડાઓ આપણું ધ્યાન પોતાની તરફ ખેંચતા હોય છે.  આજની આ રથયાત્રામાં 18 જેટલા શણગારેલા ગજરાજો છે, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 જેટલી ટ્રકો છે. 30 જેટલા અખાડા છે, 18 જેટલી ભજન મંડળીઓ ભગવાનના ગુણગાશે, 1200 જેટલા ખલાસીઓ ભગવાનના રથને ખેંચે છે. 


નવનિર્મિત રથમાં સવાર થઈ ભગવાન નીકળ્યા નગરચર્યાએ

તે સિવાય 2000 જેટલા સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયેલા છે. 30 હજાર કિલો જેટલા મગ, 500 કિલો જેટલા જાંબુ, 400 કિલો જેટલી કાકડી તેમજ દાડમના પ્રસાદને ભક્તો વચ્ચે વહેંચવામાં આવશે. અનેક વર્ષો બાદ ભગવાન નવનિર્મિત રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. ભાઈ બલરામ તાલધ્વજ નામના રથમાં બિરાજ્યા છે. બહેન સુભદ્રા દેવદલન નામના રથમાં બિરાજ્યા છે જ્યારે ભગવાન જગન્નાથ નંદીઘોષ નામના રથ પર આરૂઢ થઈ નગરચર્યાએ નીકળ્યા છે.    




થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?