રાજ્યમાં એકસાથે 17 આઇપીએસની બદલી થઈ ગઈ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-24 16:23:52



ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બદલીની મોસમ આવી ગયો છે આજે દિવાળીના દિવસે કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલી થઈ છે ગૃહવિભાગના અધિકારો ની બદલી થઈ છે.એક સાથે 17 સીનીયર IPS ની બદલી કરવામાં આવી છે.


ગુજરાતમાં ચૂંટણીની તૈયારીયો થઈ રહી છે .ત્યારે ગુજરાતમાં ચૂંટણી પહેલા પોલીસ બેડાથી માંડીને મહેસૂલ વિભાગ સુધી રાજ્ય સરકાર દ્વારા એકબાદ એક મોટા ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણી પહેલા ગૃહવિભાગે ઉચ્ચ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. રાજ્યમાં કુલ 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ  આપવામાં આવ્યા છે. અમદાવાદને ટ્રાફિક અને ક્રાઈમ વિભાગમાં નવા અધિકારીઓ મળ્યા છે.



રાજ્યના 17 આઈપીએસની બદલી


ખુરશીદ અહેમદની ગાંધીનગરમાં એડીજીપી પ્લાનિંગ-મોડર્નાઈઝેશન

રાજકુમાર પાંડિયન બન્યાં રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ

અજય ચૌધરીની જેસીપી સ્પેશિયલ બ્રાંચમાં બદલી

ગૌતમ પરમાર બન્યાં આઈજીપી ભાવનગર રેન્જ

પિયુષ પટેલને સુરત આઈજીપી રેન્જ બનાવાયા

મયંકસિંહ ચાવડાને આજીપી જૂનાગઢ રેન્જ બનાવાયા

સંદીપસિંહની બદલી વડોદરા રેન્જ આઈજીપી તરીકે

ચિરાગ કોરડીયા ડીઆઈજીપી ગોધરા રેન્જ બનાવાયા

ડીએચ પરમાર જેસીપી ટ્રાફિક સુરત

નિરજ બડગુજર અમદાવાદ સેક્ટર-1 એડિ.કમિશનર

અશોક યાદવને રાજકોટ રેન્જ આઈજી બનાવાયા

એમ.એસ.ભરાડા એડિ.પોલીસ કમિશનર સેક્ટર 2 અમદાવાદ

મનોજ નિનામાને વડોદરાના એડિ.પોલીસ કમિશનર

એજી ચૌહાણ એડિ.કમિશનર ટ્રાફિક પોલીસ સુરત

સૌરભ તોલંબિયા એડિ.કમિશનર ટ્રાફિક-ક્રાઈમ રાજકોટ

આર.વી. અસારીને ડીઆઈજી ઈન્ટેલિજન્સ-2 ગાંધીનગર

કે.એન.ડામોરને એડિ.કમિશનર સુરત સેક્ટર-2




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.