રાજ્યમાં એકસાથે 17 આઇપીએસની બદલી થઈ ગઈ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-24 16:23:52



ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બદલીની મોસમ આવી ગયો છે આજે દિવાળીના દિવસે કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલી થઈ છે ગૃહવિભાગના અધિકારો ની બદલી થઈ છે.એક સાથે 17 સીનીયર IPS ની બદલી કરવામાં આવી છે.


ગુજરાતમાં ચૂંટણીની તૈયારીયો થઈ રહી છે .ત્યારે ગુજરાતમાં ચૂંટણી પહેલા પોલીસ બેડાથી માંડીને મહેસૂલ વિભાગ સુધી રાજ્ય સરકાર દ્વારા એકબાદ એક મોટા ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણી પહેલા ગૃહવિભાગે ઉચ્ચ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. રાજ્યમાં કુલ 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ  આપવામાં આવ્યા છે. અમદાવાદને ટ્રાફિક અને ક્રાઈમ વિભાગમાં નવા અધિકારીઓ મળ્યા છે.



રાજ્યના 17 આઈપીએસની બદલી


ખુરશીદ અહેમદની ગાંધીનગરમાં એડીજીપી પ્લાનિંગ-મોડર્નાઈઝેશન

રાજકુમાર પાંડિયન બન્યાં રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ

અજય ચૌધરીની જેસીપી સ્પેશિયલ બ્રાંચમાં બદલી

ગૌતમ પરમાર બન્યાં આઈજીપી ભાવનગર રેન્જ

પિયુષ પટેલને સુરત આઈજીપી રેન્જ બનાવાયા

મયંકસિંહ ચાવડાને આજીપી જૂનાગઢ રેન્જ બનાવાયા

સંદીપસિંહની બદલી વડોદરા રેન્જ આઈજીપી તરીકે

ચિરાગ કોરડીયા ડીઆઈજીપી ગોધરા રેન્જ બનાવાયા

ડીએચ પરમાર જેસીપી ટ્રાફિક સુરત

નિરજ બડગુજર અમદાવાદ સેક્ટર-1 એડિ.કમિશનર

અશોક યાદવને રાજકોટ રેન્જ આઈજી બનાવાયા

એમ.એસ.ભરાડા એડિ.પોલીસ કમિશનર સેક્ટર 2 અમદાવાદ

મનોજ નિનામાને વડોદરાના એડિ.પોલીસ કમિશનર

એજી ચૌહાણ એડિ.કમિશનર ટ્રાફિક પોલીસ સુરત

સૌરભ તોલંબિયા એડિ.કમિશનર ટ્રાફિક-ક્રાઈમ રાજકોટ

આર.વી. અસારીને ડીઆઈજી ઈન્ટેલિજન્સ-2 ગાંધીનગર

કે.એન.ડામોરને એડિ.કમિશનર સુરત સેક્ટર-2




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.