સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા 2 શ્રમિકોના મોત, એક સારવાર હેઠળ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:08:39

Story by Samir Parmar

સુરત શહેરના પીપલોદના SVNIT વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકો ગૂંગળાઈ જવાની ઘટના સામે આવી છે. ત્રણમાંથી બે શ્રમિકોના ગૂંગળાઈ જતાં મોત થયા છે. ગટરમાં સફાઈ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાનની આ ઘટના છે. ત્રણેયને ગૂંગળામણ થતાં સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બે લોકોના નિધન થયાની પુષ્ટિ કરી હતી જ્યારે ત્રીજા વ્યક્તિની હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે. 


કાલે કોઈ બીજો મરશે... પણ સમસ્યા ત્યાંની ત્યાં જ રહેશે

ગુજરાત સહિત દેશમાં આવી ઘટનાઓ અવાર-નવાર ઘટતી રહે છે. આજની આ ઘટના આપણા માટે નવી નથી. બે દિવસ સમાચાર ચાલશે પણ સમાધાન કંઈ નહીં આવે. સમસ્યા ત્યાંની ત્યાં જ રહેશે. આ સમસ્યાના કારણે કાલે કોઈ નવા વ્યક્તિનું ગૂંગળાઈને મોત થશે. ગટર સાફ કરતા લોકો તો મરતા જ રહે છે. તેમને કોઈ સુરક્ષા માટેના સાધનો નથી આપવામાં આવતા, સુરક્ષાના સાધનો વગર કૂદકો મરાવીને મોતના મોઢામાં ઉતારી દેવામાં આવે છે. જેના પરિણામે આવી ઘટનાઓ ઘટે છે. આ લોકો રોજનું કરીને ખાવાવાળા લોકો છે. તેમના પરિવારના લોકોનું શું? આ શ્રમિકોનું માર્ગ અકસ્માત થયું હોત તો વાત અલગ હતી પણ તંત્રની બેદરકારીના ભોગથી મોતને ભેટ્યાં છે. નેતાઓના બંગલા બની જાય છે, રાજકીય પક્ષોના ભવ્ય કાર્યાલયો ઉભા થઈ જાય છે પણ હદ કહેવાય કે સમસ્યાઓ તો ત્યાંની ત્યાં જ રહી જાય છે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"