સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા 2 શ્રમિકોના મોત, એક સારવાર હેઠળ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:08:39

Story by Samir Parmar

સુરત શહેરના પીપલોદના SVNIT વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકો ગૂંગળાઈ જવાની ઘટના સામે આવી છે. ત્રણમાંથી બે શ્રમિકોના ગૂંગળાઈ જતાં મોત થયા છે. ગટરમાં સફાઈ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાનની આ ઘટના છે. ત્રણેયને ગૂંગળામણ થતાં સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બે લોકોના નિધન થયાની પુષ્ટિ કરી હતી જ્યારે ત્રીજા વ્યક્તિની હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે. 


કાલે કોઈ બીજો મરશે... પણ સમસ્યા ત્યાંની ત્યાં જ રહેશે

ગુજરાત સહિત દેશમાં આવી ઘટનાઓ અવાર-નવાર ઘટતી રહે છે. આજની આ ઘટના આપણા માટે નવી નથી. બે દિવસ સમાચાર ચાલશે પણ સમાધાન કંઈ નહીં આવે. સમસ્યા ત્યાંની ત્યાં જ રહેશે. આ સમસ્યાના કારણે કાલે કોઈ નવા વ્યક્તિનું ગૂંગળાઈને મોત થશે. ગટર સાફ કરતા લોકો તો મરતા જ રહે છે. તેમને કોઈ સુરક્ષા માટેના સાધનો નથી આપવામાં આવતા, સુરક્ષાના સાધનો વગર કૂદકો મરાવીને મોતના મોઢામાં ઉતારી દેવામાં આવે છે. જેના પરિણામે આવી ઘટનાઓ ઘટે છે. આ લોકો રોજનું કરીને ખાવાવાળા લોકો છે. તેમના પરિવારના લોકોનું શું? આ શ્રમિકોનું માર્ગ અકસ્માત થયું હોત તો વાત અલગ હતી પણ તંત્રની બેદરકારીના ભોગથી મોતને ભેટ્યાં છે. નેતાઓના બંગલા બની જાય છે, રાજકીય પક્ષોના ભવ્ય કાર્યાલયો ઉભા થઈ જાય છે પણ હદ કહેવાય કે સમસ્યાઓ તો ત્યાંની ત્યાં જ રહી જાય છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.