સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા 2 શ્રમિકોના મોત, એક સારવાર હેઠળ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:08:39

Story by Samir Parmar

સુરત શહેરના પીપલોદના SVNIT વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકો ગૂંગળાઈ જવાની ઘટના સામે આવી છે. ત્રણમાંથી બે શ્રમિકોના ગૂંગળાઈ જતાં મોત થયા છે. ગટરમાં સફાઈ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાનની આ ઘટના છે. ત્રણેયને ગૂંગળામણ થતાં સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બે લોકોના નિધન થયાની પુષ્ટિ કરી હતી જ્યારે ત્રીજા વ્યક્તિની હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે. 


કાલે કોઈ બીજો મરશે... પણ સમસ્યા ત્યાંની ત્યાં જ રહેશે

ગુજરાત સહિત દેશમાં આવી ઘટનાઓ અવાર-નવાર ઘટતી રહે છે. આજની આ ઘટના આપણા માટે નવી નથી. બે દિવસ સમાચાર ચાલશે પણ સમાધાન કંઈ નહીં આવે. સમસ્યા ત્યાંની ત્યાં જ રહેશે. આ સમસ્યાના કારણે કાલે કોઈ નવા વ્યક્તિનું ગૂંગળાઈને મોત થશે. ગટર સાફ કરતા લોકો તો મરતા જ રહે છે. તેમને કોઈ સુરક્ષા માટેના સાધનો નથી આપવામાં આવતા, સુરક્ષાના સાધનો વગર કૂદકો મરાવીને મોતના મોઢામાં ઉતારી દેવામાં આવે છે. જેના પરિણામે આવી ઘટનાઓ ઘટે છે. આ લોકો રોજનું કરીને ખાવાવાળા લોકો છે. તેમના પરિવારના લોકોનું શું? આ શ્રમિકોનું માર્ગ અકસ્માત થયું હોત તો વાત અલગ હતી પણ તંત્રની બેદરકારીના ભોગથી મોતને ભેટ્યાં છે. નેતાઓના બંગલા બની જાય છે, રાજકીય પક્ષોના ભવ્ય કાર્યાલયો ઉભા થઈ જાય છે પણ હદ કહેવાય કે સમસ્યાઓ તો ત્યાંની ત્યાં જ રહી જાય છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.