ધોરણ 11માં ભણતા વિદ્યાર્થી પાસે 2 લાખ રૂપિયા અને ઈ-સિગારેટ મળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 18:08:52

શાળા એટલે વિદ્યાનું ધામ. મા બાદ જીવન અને શિક્ષણના પાયાની મજબૂતાઈ શાળામાં થતી હોય છે. તેવામાં અમદાવાદના છેવાડાની CBSE સ્કૂલમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લેતા હોવાની ફરિયાદ થઈ રહી હતી. ફરિયાદ બાદ અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું. 


એક વિદ્યાર્થી પાસેથી 2 લાખ રોકડા, ડ્રગ્સ, ઈ-સિગારેટ મળી

જ્યારે શાળામાં સમગ્ર મામલે કામગીરી તપાસ કરવામાં આવી ત્યારે અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પાસેથી 2 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી. 17 વર્ષના છોકરા પાસેથી ડ્રગ્સની પોટલી પણ મળી હતી અને ભારતભરમાં પ્રતિબંધ છે તેવી ઈ-સિગારેટ મળી હતી. સ્કૂલનું નામ ખરાબ ના થાય તેના કારણે સ્કૂલે મામલો બહાર આવવા દીધો ના હતો અને મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.    







થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .