કોંગ્રેસના 2 ધારાસભ્યોને ત્યાં દરોડા,બે કરોડ રોકડા મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-08 19:02:25

ઝારખંડના બે કોંગ્રેસના ધારાસભ્યો અને તેમના સહયોગીઓ સહિત કેટલાક ઉદ્યોગપતિઓ પર દરોડા પાડ્યા પછી, આવકવેરા વિભાગે 100 કરોડ રૂપિયાથી વધુના બેનામી વ્યવહારો અને રોકાણોનો પર્દાફાશ કર્યો છે. CBDTએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 4 નવેમ્બરના રોજ ઝારખંડમાં રાંચી, ગોડ્ડા, બર્મો, દુમકા, જમશેદપુર, ચાઈબાસા, બિહારના પટના, હરિયાણાના ગુરુગ્રામ, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 50 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા અધિકારીઓએ દરોડા દરમિયાન રૂ. 2 કરોડની રોકડ પણ રિકવર કરી હતી, જેની ગણતરી મશીનો દ્વારા કરવામાં આવી હતી.


ઇન્કમટેક્સે કોંગ્રેસના બે ધારાસભ્યોના સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું, જેમની ઓળખ અધિકારીઓએ કુમાર જયમંગલ ઉર્ફે અનૂપ સિંહ અને પ્રદીપ યાદવ તરીકે કરી હતી. બર્મો સીટના ધારાસભ્ય, જૈમંગલે રાંચીમાં તેમના નિવાસસ્થાનની બહાર મીડિયા સાથે વાત કરતા, પણ કાર્યવાહીની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. JVM-P સાથે અલગ થયા બાદ પ્રદીપ યાદવ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ હાલમાં જેએમએમ સાથે શાસક ગઠબંધનનો ભાગ છે, જેનું નેતૃત્વ હેમંત સોરેન કરી રહ્યા છે.

સીબીડીટીના પ્રવક્તાને ટાંકીને સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે કોલસાના વેપાર, પરિવહન, સિવિલ કોન્ટ્રાક્ટર, આયર્ન ઓરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

કુમાર જૈમંગલ ઉર્ફે અનૂપ સિંહ અને પ્રદીપ યાદવ એ બે ધારાસભ્યોમાં સામેલ છે જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

બીજી તરફ પ્રદીપ યાદવ ઝારખંડ વિકાસ મોરચા છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને પોડાઈહાટ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.