કોંગ્રેસના 2 ધારાસભ્યોને ત્યાં દરોડા,બે કરોડ રોકડા મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-08 19:02:25

ઝારખંડના બે કોંગ્રેસના ધારાસભ્યો અને તેમના સહયોગીઓ સહિત કેટલાક ઉદ્યોગપતિઓ પર દરોડા પાડ્યા પછી, આવકવેરા વિભાગે 100 કરોડ રૂપિયાથી વધુના બેનામી વ્યવહારો અને રોકાણોનો પર્દાફાશ કર્યો છે. CBDTએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 4 નવેમ્બરના રોજ ઝારખંડમાં રાંચી, ગોડ્ડા, બર્મો, દુમકા, જમશેદપુર, ચાઈબાસા, બિહારના પટના, હરિયાણાના ગુરુગ્રામ, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 50 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા અધિકારીઓએ દરોડા દરમિયાન રૂ. 2 કરોડની રોકડ પણ રિકવર કરી હતી, જેની ગણતરી મશીનો દ્વારા કરવામાં આવી હતી.


ઇન્કમટેક્સે કોંગ્રેસના બે ધારાસભ્યોના સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું, જેમની ઓળખ અધિકારીઓએ કુમાર જયમંગલ ઉર્ફે અનૂપ સિંહ અને પ્રદીપ યાદવ તરીકે કરી હતી. બર્મો સીટના ધારાસભ્ય, જૈમંગલે રાંચીમાં તેમના નિવાસસ્થાનની બહાર મીડિયા સાથે વાત કરતા, પણ કાર્યવાહીની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. JVM-P સાથે અલગ થયા બાદ પ્રદીપ યાદવ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ હાલમાં જેએમએમ સાથે શાસક ગઠબંધનનો ભાગ છે, જેનું નેતૃત્વ હેમંત સોરેન કરી રહ્યા છે.

સીબીડીટીના પ્રવક્તાને ટાંકીને સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે કોલસાના વેપાર, પરિવહન, સિવિલ કોન્ટ્રાક્ટર, આયર્ન ઓરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

કુમાર જૈમંગલ ઉર્ફે અનૂપ સિંહ અને પ્રદીપ યાદવ એ બે ધારાસભ્યોમાં સામેલ છે જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

બીજી તરફ પ્રદીપ યાદવ ઝારખંડ વિકાસ મોરચા છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને પોડાઈહાટ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે