કોંગ્રેસના 2 ધારાસભ્યોને ત્યાં દરોડા,બે કરોડ રોકડા મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-08 19:02:25

ઝારખંડના બે કોંગ્રેસના ધારાસભ્યો અને તેમના સહયોગીઓ સહિત કેટલાક ઉદ્યોગપતિઓ પર દરોડા પાડ્યા પછી, આવકવેરા વિભાગે 100 કરોડ રૂપિયાથી વધુના બેનામી વ્યવહારો અને રોકાણોનો પર્દાફાશ કર્યો છે. CBDTએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 4 નવેમ્બરના રોજ ઝારખંડમાં રાંચી, ગોડ્ડા, બર્મો, દુમકા, જમશેદપુર, ચાઈબાસા, બિહારના પટના, હરિયાણાના ગુરુગ્રામ, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 50 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા અધિકારીઓએ દરોડા દરમિયાન રૂ. 2 કરોડની રોકડ પણ રિકવર કરી હતી, જેની ગણતરી મશીનો દ્વારા કરવામાં આવી હતી.


ઇન્કમટેક્સે કોંગ્રેસના બે ધારાસભ્યોના સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું, જેમની ઓળખ અધિકારીઓએ કુમાર જયમંગલ ઉર્ફે અનૂપ સિંહ અને પ્રદીપ યાદવ તરીકે કરી હતી. બર્મો સીટના ધારાસભ્ય, જૈમંગલે રાંચીમાં તેમના નિવાસસ્થાનની બહાર મીડિયા સાથે વાત કરતા, પણ કાર્યવાહીની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. JVM-P સાથે અલગ થયા બાદ પ્રદીપ યાદવ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ હાલમાં જેએમએમ સાથે શાસક ગઠબંધનનો ભાગ છે, જેનું નેતૃત્વ હેમંત સોરેન કરી રહ્યા છે.

સીબીડીટીના પ્રવક્તાને ટાંકીને સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે કોલસાના વેપાર, પરિવહન, સિવિલ કોન્ટ્રાક્ટર, આયર્ન ઓરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

કુમાર જૈમંગલ ઉર્ફે અનૂપ સિંહ અને પ્રદીપ યાદવ એ બે ધારાસભ્યોમાં સામેલ છે જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

બીજી તરફ પ્રદીપ યાદવ ઝારખંડ વિકાસ મોરચા છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને પોડાઈહાટ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.