કોંગ્રેસના 2 ધારાસભ્યોને ત્યાં દરોડા,બે કરોડ રોકડા મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-08 19:02:25

ઝારખંડના બે કોંગ્રેસના ધારાસભ્યો અને તેમના સહયોગીઓ સહિત કેટલાક ઉદ્યોગપતિઓ પર દરોડા પાડ્યા પછી, આવકવેરા વિભાગે 100 કરોડ રૂપિયાથી વધુના બેનામી વ્યવહારો અને રોકાણોનો પર્દાફાશ કર્યો છે. CBDTએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 4 નવેમ્બરના રોજ ઝારખંડમાં રાંચી, ગોડ્ડા, બર્મો, દુમકા, જમશેદપુર, ચાઈબાસા, બિહારના પટના, હરિયાણાના ગુરુગ્રામ, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 50 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા અધિકારીઓએ દરોડા દરમિયાન રૂ. 2 કરોડની રોકડ પણ રિકવર કરી હતી, જેની ગણતરી મશીનો દ્વારા કરવામાં આવી હતી.


ઇન્કમટેક્સે કોંગ્રેસના બે ધારાસભ્યોના સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું, જેમની ઓળખ અધિકારીઓએ કુમાર જયમંગલ ઉર્ફે અનૂપ સિંહ અને પ્રદીપ યાદવ તરીકે કરી હતી. બર્મો સીટના ધારાસભ્ય, જૈમંગલે રાંચીમાં તેમના નિવાસસ્થાનની બહાર મીડિયા સાથે વાત કરતા, પણ કાર્યવાહીની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. JVM-P સાથે અલગ થયા બાદ પ્રદીપ યાદવ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ હાલમાં જેએમએમ સાથે શાસક ગઠબંધનનો ભાગ છે, જેનું નેતૃત્વ હેમંત સોરેન કરી રહ્યા છે.

સીબીડીટીના પ્રવક્તાને ટાંકીને સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે કોલસાના વેપાર, પરિવહન, સિવિલ કોન્ટ્રાક્ટર, આયર્ન ઓરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

કુમાર જૈમંગલ ઉર્ફે અનૂપ સિંહ અને પ્રદીપ યાદવ એ બે ધારાસભ્યોમાં સામેલ છે જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

બીજી તરફ પ્રદીપ યાદવ ઝારખંડ વિકાસ મોરચા છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને પોડાઈહાટ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.