બિહારમાં માલગાડીના 20 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ગયા-હાવડા રેલ માર્ગ પર ઘણી ટ્રેનોને અસર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 10:32:03

બિહારમાં માલસામાનની ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, આ દુર્ઘટના દીનદયાલ ઉપાધ્યાય રેલ વિભાગના કુંભાઉ સ્ટેશન પાસે બની હતી. દુર્ઘટનાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ હતી. રાહત અને બચાવમાં અનેક ટીમો લાગી ગઈ છે. અકસ્માતની ઘણી તસવીરો પણ સામે આવી છે.

Image

બિહારના રોહતાસ જિલ્લાના કુંભાઉ સ્ટેશન પાસે આજે સવારે લગભગ 6.30 વાગ્યે એક મોટો અકસ્માત થયો હતો. દીનદયાળ ઉપાધ્યાય નગર (DDU)-ગયા રેલ્વે માર્ગ પર કુંભાઉ સ્ટેશન નજીક માલગાડીના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

હાવડા-નવી દિલ્હી રેલ રૂટના ગયા-ડીડીયુ રેલ સેક્શન પરની કામગીરી અટકી ગઈ છે. દુર્ઘટનાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ હતી. રાહત અને બચાવમાં અનેક ટીમો લાગી ગઈ છે. અકસ્માતની ઘણી તસવીરો પણ સામે આવી છે. જોકે, માલગાડી હોવાના કારણે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. બીજી તરફ ટીમોએ પાટા પરથી કોચ હટાવીને ટ્રેનનો રૂટ શરૂ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

ગયા-હાવડા રેલ રૂટ પર ઘણી ટ્રેનો પ્રભાવિત

Rail traffic on Howrah-Delhi route affected as goods train details in  Bihar's Sasaram | India News – India TV

દુર્ઘટના બાદ દીનદયાલ ઉપાધ્યાય જંક્શન ગયા હાવડા રેલ રૂટ પર ટ્રેનોના સંચાલનને અસર થઈ છે. દીનદયાલ ઉપાધ્યાય જંક્શન ગયા રૂટ પર ઘણી ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. માલવાહક ટ્રેનના કોચને પાટા પરથી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જેથી રૂટ ફરી શરૂ થઈ શકે. જેના કારણે દિલ્હી-હાવડા રેલ માર્ગ ખોરવાઈ ગયો છે.

અકસ્માતને કારણે આ ટ્રેનો પ્રભાવિત થઈ છે 

1- 12321 હાવડા મુંબઈ મેલ


2- 13009 હાવડા દેહરાદૂન એક્સપ્રેસ


3- 12260 બિકાનેર સીલદાહ દુરંતો એક્સપ્રેસ


4- 12444 આનંદ વિહાર હલ્દીયા એક્સપ્રેસ


5- 03360 વારાણસી બરકાકાના પેસેન્જર


6- 12311 કાલકા મેઇલ


7- 12987 સિયાલદહ અજમેર એક્સપ્રેસ


8- 12307 હાવડા જોધપુર એક્સપ્રેસ



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.