બિહારમાં માલગાડીના 20 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ગયા-હાવડા રેલ માર્ગ પર ઘણી ટ્રેનોને અસર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 10:32:03

બિહારમાં માલસામાનની ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, આ દુર્ઘટના દીનદયાલ ઉપાધ્યાય રેલ વિભાગના કુંભાઉ સ્ટેશન પાસે બની હતી. દુર્ઘટનાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ હતી. રાહત અને બચાવમાં અનેક ટીમો લાગી ગઈ છે. અકસ્માતની ઘણી તસવીરો પણ સામે આવી છે.

Image

બિહારના રોહતાસ જિલ્લાના કુંભાઉ સ્ટેશન પાસે આજે સવારે લગભગ 6.30 વાગ્યે એક મોટો અકસ્માત થયો હતો. દીનદયાળ ઉપાધ્યાય નગર (DDU)-ગયા રેલ્વે માર્ગ પર કુંભાઉ સ્ટેશન નજીક માલગાડીના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

હાવડા-નવી દિલ્હી રેલ રૂટના ગયા-ડીડીયુ રેલ સેક્શન પરની કામગીરી અટકી ગઈ છે. દુર્ઘટનાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ હતી. રાહત અને બચાવમાં અનેક ટીમો લાગી ગઈ છે. અકસ્માતની ઘણી તસવીરો પણ સામે આવી છે. જોકે, માલગાડી હોવાના કારણે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. બીજી તરફ ટીમોએ પાટા પરથી કોચ હટાવીને ટ્રેનનો રૂટ શરૂ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

ગયા-હાવડા રેલ રૂટ પર ઘણી ટ્રેનો પ્રભાવિત

Rail traffic on Howrah-Delhi route affected as goods train details in  Bihar's Sasaram | India News – India TV

દુર્ઘટના બાદ દીનદયાલ ઉપાધ્યાય જંક્શન ગયા હાવડા રેલ રૂટ પર ટ્રેનોના સંચાલનને અસર થઈ છે. દીનદયાલ ઉપાધ્યાય જંક્શન ગયા રૂટ પર ઘણી ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. માલવાહક ટ્રેનના કોચને પાટા પરથી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જેથી રૂટ ફરી શરૂ થઈ શકે. જેના કારણે દિલ્હી-હાવડા રેલ માર્ગ ખોરવાઈ ગયો છે.

અકસ્માતને કારણે આ ટ્રેનો પ્રભાવિત થઈ છે 

1- 12321 હાવડા મુંબઈ મેલ


2- 13009 હાવડા દેહરાદૂન એક્સપ્રેસ


3- 12260 બિકાનેર સીલદાહ દુરંતો એક્સપ્રેસ


4- 12444 આનંદ વિહાર હલ્દીયા એક્સપ્રેસ


5- 03360 વારાણસી બરકાકાના પેસેન્જર


6- 12311 કાલકા મેઇલ


7- 12987 સિયાલદહ અજમેર એક્સપ્રેસ


8- 12307 હાવડા જોધપુર એક્સપ્રેસ



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.